રામચરિત માનસ અંગે બિહારના શિક્ષણમંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન, સાધુઓ આપી રહ્યા છે પ્રતિક્રયા


  • Published By :
  • Published Date : 2023-01-12 17:02:19

બિહારના શિક્ષણમંત્રીએ રામ ચરિત માનસને લઈ એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે. શિક્ષણમંત્રીએ રામચરિત માનસને નફરત ફેલાવવાળો ગ્રંથ ગણાવી દીધો છે. આ વિવાદને કારણે સંતો ભડકી ઉઠ્યા છે. અયોધ્યાના મહંતે આ અંગે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


શિક્ષણમંત્રીના નિવેદન બાદ થયો વિવાદ 

નાલંદા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું મનુસ્મુતિને કેમ સળગાવી દેવામાં આવ્યા કારણ કે , તેમાં એક વર્ગ માટે અપશબ્દ લખવામાં આવ્યા હતા. રામચરિત માનસનો વિરોધ કેમ કરવામાં આવ્યો અને કયા ભાગનો વિરોધ કરવામાં આવ્યો. 


સંતો આ અંગે આપી રહ્યા છે પ્રતિક્રિયા  

આ નિવેદનને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ નિવેદનને લઈ અનેક ધર્મગુરૂઓએ વિરોધ કર્યો હતો. અયોધ્યાના મહંત જગદ્ ગુરૂ પરમહંસ આચાર્યે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બિહારના શિક્ષણમંત્રીએ જે રીતે રામચરિત માનસને નફરત ફેલવાતો ગ્રંથ ગણાવ્યો છે તેનાથી પૂરો દેશ આઘાતમાં છે. શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવવા જોઈએ ઉપરાંત તેમણે માફી પણ માગવી જોઈએ.

     



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.