રામચરિત માનસ અંગે બિહારના શિક્ષણમંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન, સાધુઓ આપી રહ્યા છે પ્રતિક્રયા


  • Published By :
  • Published Date : 2023-01-12 17:02:19

બિહારના શિક્ષણમંત્રીએ રામ ચરિત માનસને લઈ એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે. શિક્ષણમંત્રીએ રામચરિત માનસને નફરત ફેલાવવાળો ગ્રંથ ગણાવી દીધો છે. આ વિવાદને કારણે સંતો ભડકી ઉઠ્યા છે. અયોધ્યાના મહંતે આ અંગે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


શિક્ષણમંત્રીના નિવેદન બાદ થયો વિવાદ 

નાલંદા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું મનુસ્મુતિને કેમ સળગાવી દેવામાં આવ્યા કારણ કે , તેમાં એક વર્ગ માટે અપશબ્દ લખવામાં આવ્યા હતા. રામચરિત માનસનો વિરોધ કેમ કરવામાં આવ્યો અને કયા ભાગનો વિરોધ કરવામાં આવ્યો. 


સંતો આ અંગે આપી રહ્યા છે પ્રતિક્રિયા  

આ નિવેદનને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ નિવેદનને લઈ અનેક ધર્મગુરૂઓએ વિરોધ કર્યો હતો. અયોધ્યાના મહંત જગદ્ ગુરૂ પરમહંસ આચાર્યે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બિહારના શિક્ષણમંત્રીએ જે રીતે રામચરિત માનસને નફરત ફેલવાતો ગ્રંથ ગણાવ્યો છે તેનાથી પૂરો દેશ આઘાતમાં છે. શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવવા જોઈએ ઉપરાંત તેમણે માફી પણ માગવી જોઈએ.

     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.