રામચરિત માનસ અંગે બિહારના શિક્ષણમંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન, સાધુઓ આપી રહ્યા છે પ્રતિક્રયા


  • Published By :
  • Published Date : 2023-01-12 17:02:19

બિહારના શિક્ષણમંત્રીએ રામ ચરિત માનસને લઈ એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે. શિક્ષણમંત્રીએ રામચરિત માનસને નફરત ફેલાવવાળો ગ્રંથ ગણાવી દીધો છે. આ વિવાદને કારણે સંતો ભડકી ઉઠ્યા છે. અયોધ્યાના મહંતે આ અંગે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


શિક્ષણમંત્રીના નિવેદન બાદ થયો વિવાદ 

નાલંદા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું મનુસ્મુતિને કેમ સળગાવી દેવામાં આવ્યા કારણ કે , તેમાં એક વર્ગ માટે અપશબ્દ લખવામાં આવ્યા હતા. રામચરિત માનસનો વિરોધ કેમ કરવામાં આવ્યો અને કયા ભાગનો વિરોધ કરવામાં આવ્યો. 


સંતો આ અંગે આપી રહ્યા છે પ્રતિક્રિયા  

આ નિવેદનને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ નિવેદનને લઈ અનેક ધર્મગુરૂઓએ વિરોધ કર્યો હતો. અયોધ્યાના મહંત જગદ્ ગુરૂ પરમહંસ આચાર્યે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બિહારના શિક્ષણમંત્રીએ જે રીતે રામચરિત માનસને નફરત ફેલવાતો ગ્રંથ ગણાવ્યો છે તેનાથી પૂરો દેશ આઘાતમાં છે. શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવવા જોઈએ ઉપરાંત તેમણે માફી પણ માગવી જોઈએ.

     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.