બિહાર પોલીસ ફરી આવી ચર્ચામાં, વાહન ચેકિંગના નામે પોલીસે યુવકને મારી ગોળી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-29 17:31:01

ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ પહેરવાનો નિયમ આપણે ત્યાં બનેલો છે. પરંતુ અનેક વખત એવા અનેક લોકો સામે આવતા હોય છે જે વગર હેલ્મેટે વ્હીકલ ડ્રાઈવ કરતા હોય છે. પોલીસ દ્વારા અનેક વખત રોકવામાં આવે છે અને અનેક વખત દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યારે બિહારના જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી.    


પોતાની ફરજ દરમિયાન એએસઆઈએ યુવાનને મારી ગોળી! 

અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે વાહન ચલાવતી વખતે સલામતી રહે તે માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો નિયમ છે તો કાર ચલાવતી વખતે સિટ બ્લેટ પહેરવાનો નિયમ છે. પરંતુ અનેક વખત લોકો આ નિયમોનું પાલન નથી કરતા. જેને કારણે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. નિયમો ન પાળનાર લોકોને રસ્તાઓ પર રોકી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે  જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો હેલ્મેટ વગર બાઈક ચલાવતો યુવક પોલીસને ચેકિંગ કરતા જોઈ ત્યાંથી ભાગી ગયો. ત્યારબાદ પોલીસે યુવકનો પીછો કર્યો હતો. તે દરમિયાન પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના મંગળવારની છે પરંતુ હજી સુધી આ યુવકની હાલત ગંભીર છે તેવા સમાચાર મળી રહ્યા છે.


ચેકિંગ કરનાર ટીમને કરાયા સસ્પેન્ડ 

જે યુવકને પોલીસે ગોળી મારી તેનું નામ સુધીર છે. તે નાલંદા જિલ્લાના કોરથું ગામનો નિવાસી છે. ત્રણ બહેનો વચ્ચે સુધીર એક માત્ર ભાઈ હતો અને ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા. જે પોલીસ અધિકારીએ ગોળી મારી તેનું નામ એએસઆઈ મુમતાઝ અહેમદ છે. મળતી માહિતી અનુસાર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. ગોળી વાગ્યા બાદ પણ સુધીરે બે કિલોમીટર સુધી બાઈકને ચલાવી હતી. બે કિલોમીટર બાઈક ચલાવ્યા બાદ પોતાના ગામ પાસે પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુધીરની હાલત હાલ ગંભીર છે. ગોળી તો હાલ કાઢવામાં આવી છે પરંતુ આવનાર થોડા કલાકો તેના માટે મહત્વના રહેવાના છે. 

 

સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કરી રહી હતી 

આ ઘટના બાદ એસપી દીપક રંજને સમગ્ર ચેકિંગ ટીમને સસ્પેન્ડ કરી દીધી છે. આ ટીમમાં ઓપી પ્રમુખ, એએસસાઈ, બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરાંત તપાસ પણ કરવામાં આવશે. આ ઘટનામાં વાંક બંને બાજુથી છે.. પણ વધારે પોલીસ તરફથી છે કે તેવું માનવામાં આવી રહ્યું છે. અધિકારીએ ગોળી ચલાવી દીધી. યુવાનનો વાંક એટલો કે તેની પાસે લાઈસન્સ અને હેલમેટ જેવા કાગળિયા ન હતા.અને પોલીસનોએ વાંક કે તેણે સમજ્યા વિચાર્યા વગર ગોળી ચલાવી દીધી.. પોલીસ પણ આરોપીની શોધ કરી રહી હતી જેને પકડવાનો હતો. પોલીસને એમ કે એ આ જ આરોપી છે અને ગોળી ચલાવી દીધી પણ યુવાન આરોપી ના હતો... તેની પાસે તો હેલમેટ કે લાઈસન્સ ના હતું એટલે ભાગ્યો હતો. યુવાનના પિતાએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા કે એવી તો શું જરૂર પડી ગઈ કે પોલીસને ગોળી ચલાવવાનો નિર્ણય લેવો પડ્યો... હાલ સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કેપ્ટન દીપક રંજન આ ઘટનાને જોઈ રહ્યા છે...        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.