બિહાર પોલીસ ફરી આવી ચર્ચામાં, વાહન ચેકિંગના નામે પોલીસે યુવકને મારી ગોળી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-29 17:31:01

ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ પહેરવાનો નિયમ આપણે ત્યાં બનેલો છે. પરંતુ અનેક વખત એવા અનેક લોકો સામે આવતા હોય છે જે વગર હેલ્મેટે વ્હીકલ ડ્રાઈવ કરતા હોય છે. પોલીસ દ્વારા અનેક વખત રોકવામાં આવે છે અને અનેક વખત દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યારે બિહારના જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી.    


પોતાની ફરજ દરમિયાન એએસઆઈએ યુવાનને મારી ગોળી! 

અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે વાહન ચલાવતી વખતે સલામતી રહે તે માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો નિયમ છે તો કાર ચલાવતી વખતે સિટ બ્લેટ પહેરવાનો નિયમ છે. પરંતુ અનેક વખત લોકો આ નિયમોનું પાલન નથી કરતા. જેને કારણે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. નિયમો ન પાળનાર લોકોને રસ્તાઓ પર રોકી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે  જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો હેલ્મેટ વગર બાઈક ચલાવતો યુવક પોલીસને ચેકિંગ કરતા જોઈ ત્યાંથી ભાગી ગયો. ત્યારબાદ પોલીસે યુવકનો પીછો કર્યો હતો. તે દરમિયાન પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના મંગળવારની છે પરંતુ હજી સુધી આ યુવકની હાલત ગંભીર છે તેવા સમાચાર મળી રહ્યા છે.


ચેકિંગ કરનાર ટીમને કરાયા સસ્પેન્ડ 

જે યુવકને પોલીસે ગોળી મારી તેનું નામ સુધીર છે. તે નાલંદા જિલ્લાના કોરથું ગામનો નિવાસી છે. ત્રણ બહેનો વચ્ચે સુધીર એક માત્ર ભાઈ હતો અને ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા. જે પોલીસ અધિકારીએ ગોળી મારી તેનું નામ એએસઆઈ મુમતાઝ અહેમદ છે. મળતી માહિતી અનુસાર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. ગોળી વાગ્યા બાદ પણ સુધીરે બે કિલોમીટર સુધી બાઈકને ચલાવી હતી. બે કિલોમીટર બાઈક ચલાવ્યા બાદ પોતાના ગામ પાસે પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુધીરની હાલત હાલ ગંભીર છે. ગોળી તો હાલ કાઢવામાં આવી છે પરંતુ આવનાર થોડા કલાકો તેના માટે મહત્વના રહેવાના છે. 

 

સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કરી રહી હતી 

આ ઘટના બાદ એસપી દીપક રંજને સમગ્ર ચેકિંગ ટીમને સસ્પેન્ડ કરી દીધી છે. આ ટીમમાં ઓપી પ્રમુખ, એએસસાઈ, બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરાંત તપાસ પણ કરવામાં આવશે. આ ઘટનામાં વાંક બંને બાજુથી છે.. પણ વધારે પોલીસ તરફથી છે કે તેવું માનવામાં આવી રહ્યું છે. અધિકારીએ ગોળી ચલાવી દીધી. યુવાનનો વાંક એટલો કે તેની પાસે લાઈસન્સ અને હેલમેટ જેવા કાગળિયા ન હતા.અને પોલીસનોએ વાંક કે તેણે સમજ્યા વિચાર્યા વગર ગોળી ચલાવી દીધી.. પોલીસ પણ આરોપીની શોધ કરી રહી હતી જેને પકડવાનો હતો. પોલીસને એમ કે એ આ જ આરોપી છે અને ગોળી ચલાવી દીધી પણ યુવાન આરોપી ના હતો... તેની પાસે તો હેલમેટ કે લાઈસન્સ ના હતું એટલે ભાગ્યો હતો. યુવાનના પિતાએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા કે એવી તો શું જરૂર પડી ગઈ કે પોલીસને ગોળી ચલાવવાનો નિર્ણય લેવો પડ્યો... હાલ સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કેપ્ટન દીપક રંજન આ ઘટનાને જોઈ રહ્યા છે...        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.