બિહાર પોલીસ ફરી આવી ચર્ચામાં, વાહન ચેકિંગના નામે પોલીસે યુવકને મારી ગોળી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-29 17:31:01

ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ પહેરવાનો નિયમ આપણે ત્યાં બનેલો છે. પરંતુ અનેક વખત એવા અનેક લોકો સામે આવતા હોય છે જે વગર હેલ્મેટે વ્હીકલ ડ્રાઈવ કરતા હોય છે. પોલીસ દ્વારા અનેક વખત રોકવામાં આવે છે અને અનેક વખત દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યારે બિહારના જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી.    


પોતાની ફરજ દરમિયાન એએસઆઈએ યુવાનને મારી ગોળી! 

અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે વાહન ચલાવતી વખતે સલામતી રહે તે માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો નિયમ છે તો કાર ચલાવતી વખતે સિટ બ્લેટ પહેરવાનો નિયમ છે. પરંતુ અનેક વખત લોકો આ નિયમોનું પાલન નથી કરતા. જેને કારણે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. નિયમો ન પાળનાર લોકોને રસ્તાઓ પર રોકી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે  જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો હેલ્મેટ વગર બાઈક ચલાવતો યુવક પોલીસને ચેકિંગ કરતા જોઈ ત્યાંથી ભાગી ગયો. ત્યારબાદ પોલીસે યુવકનો પીછો કર્યો હતો. તે દરમિયાન પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના મંગળવારની છે પરંતુ હજી સુધી આ યુવકની હાલત ગંભીર છે તેવા સમાચાર મળી રહ્યા છે.


ચેકિંગ કરનાર ટીમને કરાયા સસ્પેન્ડ 

જે યુવકને પોલીસે ગોળી મારી તેનું નામ સુધીર છે. તે નાલંદા જિલ્લાના કોરથું ગામનો નિવાસી છે. ત્રણ બહેનો વચ્ચે સુધીર એક માત્ર ભાઈ હતો અને ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા. જે પોલીસ અધિકારીએ ગોળી મારી તેનું નામ એએસઆઈ મુમતાઝ અહેમદ છે. મળતી માહિતી અનુસાર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. ગોળી વાગ્યા બાદ પણ સુધીરે બે કિલોમીટર સુધી બાઈકને ચલાવી હતી. બે કિલોમીટર બાઈક ચલાવ્યા બાદ પોતાના ગામ પાસે પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુધીરની હાલત હાલ ગંભીર છે. ગોળી તો હાલ કાઢવામાં આવી છે પરંતુ આવનાર થોડા કલાકો તેના માટે મહત્વના રહેવાના છે. 

 

સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કરી રહી હતી 

આ ઘટના બાદ એસપી દીપક રંજને સમગ્ર ચેકિંગ ટીમને સસ્પેન્ડ કરી દીધી છે. આ ટીમમાં ઓપી પ્રમુખ, એએસસાઈ, બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરાંત તપાસ પણ કરવામાં આવશે. આ ઘટનામાં વાંક બંને બાજુથી છે.. પણ વધારે પોલીસ તરફથી છે કે તેવું માનવામાં આવી રહ્યું છે. અધિકારીએ ગોળી ચલાવી દીધી. યુવાનનો વાંક એટલો કે તેની પાસે લાઈસન્સ અને હેલમેટ જેવા કાગળિયા ન હતા.અને પોલીસનોએ વાંક કે તેણે સમજ્યા વિચાર્યા વગર ગોળી ચલાવી દીધી.. પોલીસ પણ આરોપીની શોધ કરી રહી હતી જેને પકડવાનો હતો. પોલીસને એમ કે એ આ જ આરોપી છે અને ગોળી ચલાવી દીધી પણ યુવાન આરોપી ના હતો... તેની પાસે તો હેલમેટ કે લાઈસન્સ ના હતું એટલે ભાગ્યો હતો. યુવાનના પિતાએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા કે એવી તો શું જરૂર પડી ગઈ કે પોલીસને ગોળી ચલાવવાનો નિર્ણય લેવો પડ્યો... હાલ સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કેપ્ટન દીપક રંજન આ ઘટનાને જોઈ રહ્યા છે...        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.