બિપાશા બાસુ અને કરણ સિંહ માતા-પિતા બન્યા!!!


  • Published By :
  • Published Date : 2022-11-12 15:50:39

બોલિવુડની ગપશપમાં રસ ધરાવતા લોકો માટે નવા સમાચાર આવી રહ્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ માતા-પિતા બન્યા છે. આજે બંનેના ઘરે લક્ષ્મી પધાર્યા છે. બિપાશા અને કરણ સિંહના લગ્નના છ વર્ષ બાદ તેઓના ઘરે પહેલીવાર કિલકારીઓ ગુંજી છે.  

Before Bipasha Basu, Karan Singh Grover's baby announcement, a look at  their love story - India Today

બિપાશા બાસુએ બેબી ગર્લને આપ્યો જન્મ

ઓગસ્ટ માસની અંદર બંનેએ માહિતી આપી હતી કે બિપાશા બાસુ માતા બનવાના છે. ઈન્ટાગ્રામ પર બિપાશા બાસુએ પોતાની પ્રેગનેન્સી વિશે પોસ્ટ કરી હતી. બિપાશા બાસુએ પતિ કરણ સિંહ સાથે મેટરનિટી શૂટ પણ કરાવ્યું હતું. 

Happy birthday Bipasha Basu: Her loving moments with Karan Singh Grover  that scream couple goals

વર્ષ 2015માં બિપાશા બાસુ અને કરણ સિંહ અલોનના ફિલ્મ સેટ પર મળ્યા હતા. ત્યાર બાદથી બંને વચ્ચે દોસ્તી વધી હતી અને બંનેએ લગ્નની ગાંઠે બંધાવાનો નિર્ણય લીધો હતો. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .