બિપાશા બાસુ અને કરણ સિંહ માતા-પિતા બન્યા!!!


  • Published By :
  • Published Date : 2022-11-12 15:50:39

બોલિવુડની ગપશપમાં રસ ધરાવતા લોકો માટે નવા સમાચાર આવી રહ્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ માતા-પિતા બન્યા છે. આજે બંનેના ઘરે લક્ષ્મી પધાર્યા છે. બિપાશા અને કરણ સિંહના લગ્નના છ વર્ષ બાદ તેઓના ઘરે પહેલીવાર કિલકારીઓ ગુંજી છે.  

Before Bipasha Basu, Karan Singh Grover's baby announcement, a look at  their love story - India Today

બિપાશા બાસુએ બેબી ગર્લને આપ્યો જન્મ

ઓગસ્ટ માસની અંદર બંનેએ માહિતી આપી હતી કે બિપાશા બાસુ માતા બનવાના છે. ઈન્ટાગ્રામ પર બિપાશા બાસુએ પોતાની પ્રેગનેન્સી વિશે પોસ્ટ કરી હતી. બિપાશા બાસુએ પતિ કરણ સિંહ સાથે મેટરનિટી શૂટ પણ કરાવ્યું હતું. 

Happy birthday Bipasha Basu: Her loving moments with Karan Singh Grover  that scream couple goals

વર્ષ 2015માં બિપાશા બાસુ અને કરણ સિંહ અલોનના ફિલ્મ સેટ પર મળ્યા હતા. ત્યાર બાદથી બંને વચ્ચે દોસ્તી વધી હતી અને બંનેએ લગ્નની ગાંઠે બંધાવાનો નિર્ણય લીધો હતો. 




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.