કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! જાણો કર્ણાટકની જનતાને ભાજપે શું કર્યા છે વાયદા!


  • Published By :
  • Published Date : 2023-05-01 12:43:21

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈ ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બેંગ્લોર ખાતે આવેલા ભાજપના મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કર્યો છે જેને પ્રજા ધ્વનિ નામ તરીકે ઓળખવામાં આવશે. ઘોષણા પત્રમાં ભાજપ દ્વારા અનેક દાવા કરવામાં આવ્યા છે. ઘોષણા પત્રમાં બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

 


કર્ણાટક માટે ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! 

10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી હાથ ધરાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપે ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ઘોષણા પત્રનું નામ પ્રજા ધ્વનિ નામ આપ્યું છે. જે.પીનડ્ડાએ ઘોષણા પત્રને જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને બીએસ યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા છે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત બીપીએલ પરિવારને ત્રણ સિલિન્ડર મફત આપવામાં આવશે. ખેડૂતોને બિયારણ માટે 10 હજાર રુપિયા આપવામાં આવશે. તે સિવાય દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર બનાવવાનો પ્લાન છે. 


પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ કરી મહત્વની જાહેરાત!      

મહત્વનું છે કે કર્ણાટકમાં પ્રચાર માટે પાર્ટીઓના સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં થોડા દિવસ પહેલા જનસભા કરી હતી અને તે દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં રેલી કરી હતી. જે દરમિયાન પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.