કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! જાણો કર્ણાટકની જનતાને ભાજપે શું કર્યા છે વાયદા!


  • Published By :
  • Published Date : 2023-05-01 12:43:21

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈ ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બેંગ્લોર ખાતે આવેલા ભાજપના મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કર્યો છે જેને પ્રજા ધ્વનિ નામ તરીકે ઓળખવામાં આવશે. ઘોષણા પત્રમાં ભાજપ દ્વારા અનેક દાવા કરવામાં આવ્યા છે. ઘોષણા પત્રમાં બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

 


કર્ણાટક માટે ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! 

10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી હાથ ધરાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપે ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ઘોષણા પત્રનું નામ પ્રજા ધ્વનિ નામ આપ્યું છે. જે.પીનડ્ડાએ ઘોષણા પત્રને જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને બીએસ યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા છે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત બીપીએલ પરિવારને ત્રણ સિલિન્ડર મફત આપવામાં આવશે. ખેડૂતોને બિયારણ માટે 10 હજાર રુપિયા આપવામાં આવશે. તે સિવાય દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર બનાવવાનો પ્લાન છે. 


પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ કરી મહત્વની જાહેરાત!      

મહત્વનું છે કે કર્ણાટકમાં પ્રચાર માટે પાર્ટીઓના સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં થોડા દિવસ પહેલા જનસભા કરી હતી અને તે દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં રેલી કરી હતી. જે દરમિયાન પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.