કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! જાણો કર્ણાટકની જનતાને ભાજપે શું કર્યા છે વાયદા!


  • Published By :
  • Published Date : 2023-05-01 12:43:21

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈ ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બેંગ્લોર ખાતે આવેલા ભાજપના મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કર્યો છે જેને પ્રજા ધ્વનિ નામ તરીકે ઓળખવામાં આવશે. ઘોષણા પત્રમાં ભાજપ દ્વારા અનેક દાવા કરવામાં આવ્યા છે. ઘોષણા પત્રમાં બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

 


કર્ણાટક માટે ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! 

10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી હાથ ધરાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપે ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ઘોષણા પત્રનું નામ પ્રજા ધ્વનિ નામ આપ્યું છે. જે.પીનડ્ડાએ ઘોષણા પત્રને જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને બીએસ યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા છે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત બીપીએલ પરિવારને ત્રણ સિલિન્ડર મફત આપવામાં આવશે. ખેડૂતોને બિયારણ માટે 10 હજાર રુપિયા આપવામાં આવશે. તે સિવાય દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર બનાવવાનો પ્લાન છે. 


પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ કરી મહત્વની જાહેરાત!      

મહત્વનું છે કે કર્ણાટકમાં પ્રચાર માટે પાર્ટીઓના સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં થોડા દિવસ પહેલા જનસભા કરી હતી અને તે દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં રેલી કરી હતી. જે દરમિયાન પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.