મલ્લિકાર્જૂન ખડગેની ટિપ્પણી પર ભાજપે કર્યો હંગામો, ખડગે માફી માગે તેવી ભાજપે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-20 13:45:40

સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક વખત હંગામો થતો હોય છે જેને કારણે કાર્યવાહીને સ્થગિત કરવી પડતી હોય છે. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ હંગામો થઈ રહ્યો છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીને લઈ સંસદમાં હંગામો થયો છે. મલ્લિકાર્જૂન ખડગેની ટીકા કરતા ભાજપે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે.

   

ખડગે પોતાના નિવેદન પર અડગ

રાજસ્તાનના અલવરમાં રવિવારે ખડગેએ કહ્યું હતું કે અમે દેશને આઝાદી અપાઈ અને દેશની એકતાને માટે થઈને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાના જાનની કૂરબાની આપી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાએ પોતાની જાન આપી છે તમે લોકોએ શુ કર્યું. તમારા ઘરમાંથી દેશ માટે થઈને કોઈ કૂતરો પણ નથી મર્યો.

 


ખડગે પોતાના નિવેદનને લઈ માફી માગે - પિયુષ ગોયલ

આ વિવાદિત નિવેદનને લઈ સંસદમાં હોબાળો થયો હતો. પીયૂષ ગોયલે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખડગે દેશની માફી માગે અને તેમણે દેશ સમક્ષ ખોટૂ રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. નિરાધાર વાતો કરી દેશ સમક્ષ ખોટી વાત રજૂ કરી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.