મલ્લિકાર્જૂન ખડગેની ટિપ્પણી પર ભાજપે કર્યો હંગામો, ખડગે માફી માગે તેવી ભાજપે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-20 13:45:40

સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક વખત હંગામો થતો હોય છે જેને કારણે કાર્યવાહીને સ્થગિત કરવી પડતી હોય છે. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ હંગામો થઈ રહ્યો છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીને લઈ સંસદમાં હંગામો થયો છે. મલ્લિકાર્જૂન ખડગેની ટીકા કરતા ભાજપે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે.

   

ખડગે પોતાના નિવેદન પર અડગ

રાજસ્તાનના અલવરમાં રવિવારે ખડગેએ કહ્યું હતું કે અમે દેશને આઝાદી અપાઈ અને દેશની એકતાને માટે થઈને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાના જાનની કૂરબાની આપી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાએ પોતાની જાન આપી છે તમે લોકોએ શુ કર્યું. તમારા ઘરમાંથી દેશ માટે થઈને કોઈ કૂતરો પણ નથી મર્યો.

 


ખડગે પોતાના નિવેદનને લઈ માફી માગે - પિયુષ ગોયલ

આ વિવાદિત નિવેદનને લઈ સંસદમાં હોબાળો થયો હતો. પીયૂષ ગોયલે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખડગે દેશની માફી માગે અને તેમણે દેશ સમક્ષ ખોટૂ રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. નિરાધાર વાતો કરી દેશ સમક્ષ ખોટી વાત રજૂ કરી છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.