મલ્લિકાર્જૂન ખડગેની ટિપ્પણી પર ભાજપે કર્યો હંગામો, ખડગે માફી માગે તેવી ભાજપે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-20 13:45:40

સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક વખત હંગામો થતો હોય છે જેને કારણે કાર્યવાહીને સ્થગિત કરવી પડતી હોય છે. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ હંગામો થઈ રહ્યો છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીને લઈ સંસદમાં હંગામો થયો છે. મલ્લિકાર્જૂન ખડગેની ટીકા કરતા ભાજપે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે.

   

ખડગે પોતાના નિવેદન પર અડગ

રાજસ્તાનના અલવરમાં રવિવારે ખડગેએ કહ્યું હતું કે અમે દેશને આઝાદી અપાઈ અને દેશની એકતાને માટે થઈને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાના જાનની કૂરબાની આપી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાએ પોતાની જાન આપી છે તમે લોકોએ શુ કર્યું. તમારા ઘરમાંથી દેશ માટે થઈને કોઈ કૂતરો પણ નથી મર્યો.

 


ખડગે પોતાના નિવેદનને લઈ માફી માગે - પિયુષ ગોયલ

આ વિવાદિત નિવેદનને લઈ સંસદમાં હોબાળો થયો હતો. પીયૂષ ગોયલે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખડગે દેશની માફી માગે અને તેમણે દેશ સમક્ષ ખોટૂ રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. નિરાધાર વાતો કરી દેશ સમક્ષ ખોટી વાત રજૂ કરી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે