મલ્લિકાર્જૂન ખડગેની ટિપ્પણી પર ભાજપે કર્યો હંગામો, ખડગે માફી માગે તેવી ભાજપે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-20 13:45:40

સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક વખત હંગામો થતો હોય છે જેને કારણે કાર્યવાહીને સ્થગિત કરવી પડતી હોય છે. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ હંગામો થઈ રહ્યો છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીને લઈ સંસદમાં હંગામો થયો છે. મલ્લિકાર્જૂન ખડગેની ટીકા કરતા ભાજપે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે.

   

ખડગે પોતાના નિવેદન પર અડગ

રાજસ્તાનના અલવરમાં રવિવારે ખડગેએ કહ્યું હતું કે અમે દેશને આઝાદી અપાઈ અને દેશની એકતાને માટે થઈને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાના જાનની કૂરબાની આપી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાએ પોતાની જાન આપી છે તમે લોકોએ શુ કર્યું. તમારા ઘરમાંથી દેશ માટે થઈને કોઈ કૂતરો પણ નથી મર્યો.

 


ખડગે પોતાના નિવેદનને લઈ માફી માગે - પિયુષ ગોયલ

આ વિવાદિત નિવેદનને લઈ સંસદમાં હોબાળો થયો હતો. પીયૂષ ગોયલે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખડગે દેશની માફી માગે અને તેમણે દેશ સમક્ષ ખોટૂ રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. નિરાધાર વાતો કરી દેશ સમક્ષ ખોટી વાત રજૂ કરી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.