કર્ણાટકમાં મંત્રીના ગૌહત્યા વાળા નિવેદનનો ભાજપે કર્યો વિરોધ! ગાયોને લઈ રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકર્તાઓ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-06 15:15:15

થોડા સમય પહેલા કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે 3 જૂને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ભેંસને કાપી શકાય છે, બળદને કાપી શકાય છે તો ગાયને કેમ કાપી નથી શકાતી? આ નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મંત્રી દ્વારા આપેલા નિવદેનનો વિરોધ કરવા ભાજપના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના કાર્યકર્તાઓ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.         


પશુપાલન મંત્રીએ ગાયોના કતલને લઈ આપ્યું હતું નિવેદન!  

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે નિવેદન આપતા કહ્યું હતું કે જો ભેંસ અને બળદનું કતલ કરી શકાય તો ગાયનું કેમ નહીં? મીડિયા સાથે તેમની વાત ચાલી રહી હતી જે દરમિયાન ટી વેંકટેશે આ નિવેદન આપ્યું છે. વેંકટેશે જણાવ્યું કે તે પોતાના ઘરે ત્રણથી ચાર ગાયો પાળે છે. પરંતુ, જ્યારે આમાંથી એક ગાયનું મૃત્યુ થયું, ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. લગભગ 25 લોકો તેને લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેને ઉઠાવી શક્યા ન હતા. બાદમાં જેસીબીની મદદથી તેને ઉપાડી લઈ જવામાં આવી. ટી વેંકટેશે કહ્યું કે કર્ણાટકમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે.

રસ્તા પર ગાયો સાથે ઉતરી ભાજપના નેતાએ કર્યો વિરોધ!

તે સમયે ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી પર વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ લગાવ્યો કે તેમણે હિન્દુઓનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ સરકાર એક વર્ગને ખુશ કરવા માટે આવી જાહેરાતો કરી રહી છે. આ પહેલા બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાત પર પણ હંગામો થયો હતો. ત્યારે આ નિવેદનનો વિરોધ આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેંગ્લુરૂ ખાતે પ્રદર્શન કર્યું હતું . 


મંત્રી વિરૂદ્ધ ભાજપના કાર્યકર્તાઓએ કર્યા સૂત્રોચ્ચાર!  

વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાંચ ગેરેન્ટીના વાયદા જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામ યોજનાઓ હજી સૂધી લાગુ કરવામાં આવી નથી તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા વચનો આપવામાં આવ્યા હતા અને કહેવામાં  આવ્યું હતું કે પહેલી કેબિનેટમાં જ તમામ વચનોની અમલી કરવામાં આવશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.