કર્ણાટકમાં મંત્રીના ગૌહત્યા વાળા નિવેદનનો ભાજપે કર્યો વિરોધ! ગાયોને લઈ રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકર્તાઓ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-06 15:15:15

થોડા સમય પહેલા કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે 3 જૂને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ભેંસને કાપી શકાય છે, બળદને કાપી શકાય છે તો ગાયને કેમ કાપી નથી શકાતી? આ નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મંત્રી દ્વારા આપેલા નિવદેનનો વિરોધ કરવા ભાજપના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના કાર્યકર્તાઓ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.         


પશુપાલન મંત્રીએ ગાયોના કતલને લઈ આપ્યું હતું નિવેદન!  

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે નિવેદન આપતા કહ્યું હતું કે જો ભેંસ અને બળદનું કતલ કરી શકાય તો ગાયનું કેમ નહીં? મીડિયા સાથે તેમની વાત ચાલી રહી હતી જે દરમિયાન ટી વેંકટેશે આ નિવેદન આપ્યું છે. વેંકટેશે જણાવ્યું કે તે પોતાના ઘરે ત્રણથી ચાર ગાયો પાળે છે. પરંતુ, જ્યારે આમાંથી એક ગાયનું મૃત્યુ થયું, ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. લગભગ 25 લોકો તેને લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેને ઉઠાવી શક્યા ન હતા. બાદમાં જેસીબીની મદદથી તેને ઉપાડી લઈ જવામાં આવી. ટી વેંકટેશે કહ્યું કે કર્ણાટકમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે.

રસ્તા પર ગાયો સાથે ઉતરી ભાજપના નેતાએ કર્યો વિરોધ!

તે સમયે ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી પર વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ લગાવ્યો કે તેમણે હિન્દુઓનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ સરકાર એક વર્ગને ખુશ કરવા માટે આવી જાહેરાતો કરી રહી છે. આ પહેલા બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાત પર પણ હંગામો થયો હતો. ત્યારે આ નિવેદનનો વિરોધ આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેંગ્લુરૂ ખાતે પ્રદર્શન કર્યું હતું . 


મંત્રી વિરૂદ્ધ ભાજપના કાર્યકર્તાઓએ કર્યા સૂત્રોચ્ચાર!  

વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાંચ ગેરેન્ટીના વાયદા જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામ યોજનાઓ હજી સૂધી લાગુ કરવામાં આવી નથી તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા વચનો આપવામાં આવ્યા હતા અને કહેવામાં  આવ્યું હતું કે પહેલી કેબિનેટમાં જ તમામ વચનોની અમલી કરવામાં આવશે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.