ભાજપ ખેડૂતોને રિઝવવા માટે શરૂ કરશે અભિયાન, 1 કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય


  • Published By :
  • Published Date : 2023-02-05 18:30:57

વર્ષ 2023માં દેશમાં 8 રાજ્યો વિધાનસભાની અને 2024ની લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીઓનેને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ કોંગ્રેસ હવે હાથ સે હાથ જોડો અભિયાન ચલાવી રહી છે. તો, ભાજપ બજેટની જાહેરાતોના વ્યાપક પ્રચાર માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે.


ભાજપનો માસ્ટર પ્લાન


કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે થયેલી જાહેરાતોનો પ્રચાર  દેશભરમાં કરવા માટે ભાજપ 24 ફેબ્રુઆરીથી દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. વર્ષભર ચાલનારી ઝુંબેશમાં એક લાખ ગામડાઓમાં પદયાત્રા કરીને એક કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. બીજેપી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે 'બજેટમાં સરકારે ઓર્ગેનિક ખેતી અને શ્રીઅન્ન (મોટા અનાજ) પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજેટની જાહેરાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે 6થી 12 ફેબ્રુઆરી સુધી દેશભરમાં કિસાન ચૌપાલ યોજાશે.'


કાર્યકરોને ખાસ ટ્રેનિંગ


ખેડૂતલક્ષી જાહેરાતોનો પ્રયાર સોશિયલ મિડીયા પર પણ સારી રીતે થાય તે માટે ભાજપ તેના કાર્યકરોને ખાસ ટ્રેનિંગ પણ આપશે. 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કિસાન મોરચા, સોશિયલ મીડિયા અને પ્રાકૃતિક ખેતી સંબંધિત ટીમની ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્યોમાં પણ ટ્રેનિંગ પૂરી થયા પછી એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવશે. કિસાન સન્માન નિધિના ચાર વર્ષ પૂરા થવા પર 24 ફેબ્રુઆરીએ તમામ જિલ્લાઓમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને સંપર્ક કરવામાં આવશે. નદીના કિનારે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી સાથે જોડવા માટે અભિયાન ચલાવવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.