ભાજપ ખેડૂતોને રિઝવવા માટે શરૂ કરશે અભિયાન, 1 કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય


  • Published By :
  • Published Date : 2023-02-05 18:30:57

વર્ષ 2023માં દેશમાં 8 રાજ્યો વિધાનસભાની અને 2024ની લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીઓનેને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ કોંગ્રેસ હવે હાથ સે હાથ જોડો અભિયાન ચલાવી રહી છે. તો, ભાજપ બજેટની જાહેરાતોના વ્યાપક પ્રચાર માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે.


ભાજપનો માસ્ટર પ્લાન


કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે થયેલી જાહેરાતોનો પ્રચાર  દેશભરમાં કરવા માટે ભાજપ 24 ફેબ્રુઆરીથી દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. વર્ષભર ચાલનારી ઝુંબેશમાં એક લાખ ગામડાઓમાં પદયાત્રા કરીને એક કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. બીજેપી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે 'બજેટમાં સરકારે ઓર્ગેનિક ખેતી અને શ્રીઅન્ન (મોટા અનાજ) પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજેટની જાહેરાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે 6થી 12 ફેબ્રુઆરી સુધી દેશભરમાં કિસાન ચૌપાલ યોજાશે.'


કાર્યકરોને ખાસ ટ્રેનિંગ


ખેડૂતલક્ષી જાહેરાતોનો પ્રયાર સોશિયલ મિડીયા પર પણ સારી રીતે થાય તે માટે ભાજપ તેના કાર્યકરોને ખાસ ટ્રેનિંગ પણ આપશે. 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કિસાન મોરચા, સોશિયલ મીડિયા અને પ્રાકૃતિક ખેતી સંબંધિત ટીમની ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્યોમાં પણ ટ્રેનિંગ પૂરી થયા પછી એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવશે. કિસાન સન્માન નિધિના ચાર વર્ષ પૂરા થવા પર 24 ફેબ્રુઆરીએ તમામ જિલ્લાઓમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને સંપર્ક કરવામાં આવશે. નદીના કિનારે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી સાથે જોડવા માટે અભિયાન ચલાવવામાં આવશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.