ઉત્તર પ્રદેશ નગર નિગમમાં ભાજપનો દબદબો! 17માંથી 17 સીટો પર ખીલ્યું કમળ! સાંભળો જીત બાદ સીએમ યોગી આદિત્યનાથે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:55:55

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. ત્યારે કર્ણાટકની સાથે ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 17 નગર નિગમ સીટો માટેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. નગર નિગમની તમામે તમામ 17 સીટો પર કમળ ખીલ્યું છે. મેયર પદ પર ભગવો લહેરાયો છે. ભાજપના ખાતામાં મેરઠ તેમજ અલીગઢ સીટ પણ આવી છે જે પહેલા તેમની પાસે ન હતી.

    

17માંથી 17 સીટો ગઈ ભાજપના ફાળે!

ઉત્તરપ્રદેશમાં નગર નિગમની ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે. 17 સીટો માટે મતદાન થયું હતું અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 17 સીટો પર ભગવો લહેરાયો છે. લખનઉ, ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, કાનપુર નગર નિગમ માટે મતદાન થયું હતું. તે સિવાય અલીગઢ, મેરઠ. ઝાંસી, શાહજહાપુર, સહારનપુર, મુરાદાબાદ, મથુરા, ગાજિયાબાદ, બરેલી, ફિરોજાબાદ, આગરા નગર નિગમમાં ભાજપનું કમળ ખીલ્યું છે.       

જીતનો શ્રેય સીએમએ પીએમને આપ્યો!

આ ચૂંટણી માટે ભાજપ દ્વારા ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક રેલીઓ કરી હતી. ત્યારે પાર્ટી દ્વારા તેમજ સીએમ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. પાર્ટીની જીત થયા બાદ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. આ જીતનો શ્રેય સીએમએ વડાપ્રધાન મોદીને આપ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપે પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.