ઉત્તર પ્રદેશ નગર નિગમમાં ભાજપનો દબદબો! 17માંથી 17 સીટો પર ખીલ્યું કમળ! સાંભળો જીત બાદ સીએમ યોગી આદિત્યનાથે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:55:55

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. ત્યારે કર્ણાટકની સાથે ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 17 નગર નિગમ સીટો માટેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. નગર નિગમની તમામે તમામ 17 સીટો પર કમળ ખીલ્યું છે. મેયર પદ પર ભગવો લહેરાયો છે. ભાજપના ખાતામાં મેરઠ તેમજ અલીગઢ સીટ પણ આવી છે જે પહેલા તેમની પાસે ન હતી.

    

17માંથી 17 સીટો ગઈ ભાજપના ફાળે!

ઉત્તરપ્રદેશમાં નગર નિગમની ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે. 17 સીટો માટે મતદાન થયું હતું અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 17 સીટો પર ભગવો લહેરાયો છે. લખનઉ, ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, કાનપુર નગર નિગમ માટે મતદાન થયું હતું. તે સિવાય અલીગઢ, મેરઠ. ઝાંસી, શાહજહાપુર, સહારનપુર, મુરાદાબાદ, મથુરા, ગાજિયાબાદ, બરેલી, ફિરોજાબાદ, આગરા નગર નિગમમાં ભાજપનું કમળ ખીલ્યું છે.       

જીતનો શ્રેય સીએમએ પીએમને આપ્યો!

આ ચૂંટણી માટે ભાજપ દ્વારા ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક રેલીઓ કરી હતી. ત્યારે પાર્ટી દ્વારા તેમજ સીએમ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. પાર્ટીની જીત થયા બાદ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. આ જીતનો શ્રેય સીએમએ વડાપ્રધાન મોદીને આપ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપે પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.