સાબરકાંઠામાં વિવાદ વધતા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું! સાબરકાંઠાના પ્રવાસે Harsh Sanghvi..


  • Published By :
  • Published Date : 2024-03-29 16:13:48

ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક ડખો શાંત થતો નથી અને બીજો ડખો શરૂ થઈ રહ્યો છે આજકાલ.. લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું લાગે છે. ખુલ્લીને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે જેના ઉદાહરણો આપણી સામે છે. સાબરકાંઠામાં ચાલી રહેલા વિરોધને શાંત કરવા ભાજપે કવાયત શરૂ કરી છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહરાજ્ય મંત્રી સાબરકાંઠાના પ્રવાસે છે. 



ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની પાડી દીધી ના!

ભાજપ દ્વારા જ્યારથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ કકળાટ શરૂ થયો, સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી. તે બાદ નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. નવા ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ ભડકો વધારે ઉગ્ર બન્યો. પહેલા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા શરૂ થયા અને તે બાદ ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.  


ઉમેદવાર બદલાતા સમર્થકોએ કર્યો વિરોધ! 

અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા. સમર્થકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં  કાર્યકર્તાઓએ ખેસ નીચે ફેંકી દીધા હતા. સમર્થકોની માગ હતી કે ભીખાજી ઠાકોરને ફરીથી ટિકીટ આપવામાં આવે. સાબરકાંઠામાં શરૂ થયેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. 


હર્ષ સંઘવી પહોંચ્યા સાબરકાંઠા ડેમેજ કંટ્રોલ કરવા!

ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હર્ષ સંઘવી આજે સાબરકાંઠાની મુલાકાતે ગયા છે. મળતી માહિતી અનુસાર બેઠકનું  આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં સી.આર.પાટીલ પણ સાબરકાંઠાનો પ્રવાસ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.  


ભાજપમાં ઉઠી રહ્યા છે વિરોધના સૂર!  

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા આવા ડખાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે જોવા નથી મળતા. ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે, આવા દ્રશ્યો અનેક વખત કોંગ્રેસથી સામે આવતા હોય છે પરંતુ હવે આવી વાતો, આવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીથી સામે આવી રહ્યા છે. 



" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.