સાબરકાંઠામાં વિવાદ વધતા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું! સાબરકાંઠાના પ્રવાસે Harsh Sanghvi..


  • Published By :
  • Published Date : 2024-03-29 16:13:48

ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક ડખો શાંત થતો નથી અને બીજો ડખો શરૂ થઈ રહ્યો છે આજકાલ.. લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું લાગે છે. ખુલ્લીને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે જેના ઉદાહરણો આપણી સામે છે. સાબરકાંઠામાં ચાલી રહેલા વિરોધને શાંત કરવા ભાજપે કવાયત શરૂ કરી છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહરાજ્ય મંત્રી સાબરકાંઠાના પ્રવાસે છે. 



ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની પાડી દીધી ના!

ભાજપ દ્વારા જ્યારથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ કકળાટ શરૂ થયો, સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી. તે બાદ નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. નવા ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ ભડકો વધારે ઉગ્ર બન્યો. પહેલા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા શરૂ થયા અને તે બાદ ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.  


ઉમેદવાર બદલાતા સમર્થકોએ કર્યો વિરોધ! 

અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા. સમર્થકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં  કાર્યકર્તાઓએ ખેસ નીચે ફેંકી દીધા હતા. સમર્થકોની માગ હતી કે ભીખાજી ઠાકોરને ફરીથી ટિકીટ આપવામાં આવે. સાબરકાંઠામાં શરૂ થયેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. 


હર્ષ સંઘવી પહોંચ્યા સાબરકાંઠા ડેમેજ કંટ્રોલ કરવા!

ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હર્ષ સંઘવી આજે સાબરકાંઠાની મુલાકાતે ગયા છે. મળતી માહિતી અનુસાર બેઠકનું  આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં સી.આર.પાટીલ પણ સાબરકાંઠાનો પ્રવાસ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.  


ભાજપમાં ઉઠી રહ્યા છે વિરોધના સૂર!  

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા આવા ડખાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે જોવા નથી મળતા. ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે, આવા દ્રશ્યો અનેક વખત કોંગ્રેસથી સામે આવતા હોય છે પરંતુ હવે આવી વાતો, આવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીથી સામે આવી રહ્યા છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.