સાબરકાંઠામાં વિવાદ વધતા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું! સાબરકાંઠાના પ્રવાસે Harsh Sanghvi..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 16:13:48

ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક ડખો શાંત થતો નથી અને બીજો ડખો શરૂ થઈ રહ્યો છે આજકાલ.. લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું લાગે છે. ખુલ્લીને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે જેના ઉદાહરણો આપણી સામે છે. સાબરકાંઠામાં ચાલી રહેલા વિરોધને શાંત કરવા ભાજપે કવાયત શરૂ કરી છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહરાજ્ય મંત્રી સાબરકાંઠાના પ્રવાસે છે. 



ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની પાડી દીધી ના!

ભાજપ દ્વારા જ્યારથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ કકળાટ શરૂ થયો, સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી. તે બાદ નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. નવા ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ ભડકો વધારે ઉગ્ર બન્યો. પહેલા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા શરૂ થયા અને તે બાદ ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.  


ઉમેદવાર બદલાતા સમર્થકોએ કર્યો વિરોધ! 

અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા. સમર્થકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં  કાર્યકર્તાઓએ ખેસ નીચે ફેંકી દીધા હતા. સમર્થકોની માગ હતી કે ભીખાજી ઠાકોરને ફરીથી ટિકીટ આપવામાં આવે. સાબરકાંઠામાં શરૂ થયેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. 


હર્ષ સંઘવી પહોંચ્યા સાબરકાંઠા ડેમેજ કંટ્રોલ કરવા!

ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હર્ષ સંઘવી આજે સાબરકાંઠાની મુલાકાતે ગયા છે. મળતી માહિતી અનુસાર બેઠકનું  આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં સી.આર.પાટીલ પણ સાબરકાંઠાનો પ્રવાસ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.  


ભાજપમાં ઉઠી રહ્યા છે વિરોધના સૂર!  

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા આવા ડખાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે જોવા નથી મળતા. ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે, આવા દ્રશ્યો અનેક વખત કોંગ્રેસથી સામે આવતા હોય છે પરંતુ હવે આવી વાતો, આવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીથી સામે આવી રહ્યા છે. 



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. ત્યારે ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે સંજયસિંહ ગુજરાત આવ્યા છે. ભાજપ પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા..