સાબરકાંઠામાં વિવાદ વધતા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું! સાબરકાંઠાના પ્રવાસે Harsh Sanghvi..


  • Published By :
  • Published Date : 2024-03-29 16:13:48

ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક ડખો શાંત થતો નથી અને બીજો ડખો શરૂ થઈ રહ્યો છે આજકાલ.. લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું લાગે છે. ખુલ્લીને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે જેના ઉદાહરણો આપણી સામે છે. સાબરકાંઠામાં ચાલી રહેલા વિરોધને શાંત કરવા ભાજપે કવાયત શરૂ કરી છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહરાજ્ય મંત્રી સાબરકાંઠાના પ્રવાસે છે. 



ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની પાડી દીધી ના!

ભાજપ દ્વારા જ્યારથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ કકળાટ શરૂ થયો, સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી. તે બાદ નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. નવા ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ ભડકો વધારે ઉગ્ર બન્યો. પહેલા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા શરૂ થયા અને તે બાદ ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.  


ઉમેદવાર બદલાતા સમર્થકોએ કર્યો વિરોધ! 

અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા. સમર્થકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં  કાર્યકર્તાઓએ ખેસ નીચે ફેંકી દીધા હતા. સમર્થકોની માગ હતી કે ભીખાજી ઠાકોરને ફરીથી ટિકીટ આપવામાં આવે. સાબરકાંઠામાં શરૂ થયેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. 


હર્ષ સંઘવી પહોંચ્યા સાબરકાંઠા ડેમેજ કંટ્રોલ કરવા!

ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હર્ષ સંઘવી આજે સાબરકાંઠાની મુલાકાતે ગયા છે. મળતી માહિતી અનુસાર બેઠકનું  આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં સી.આર.પાટીલ પણ સાબરકાંઠાનો પ્રવાસ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.  


ભાજપમાં ઉઠી રહ્યા છે વિરોધના સૂર!  

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા આવા ડખાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે જોવા નથી મળતા. ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે, આવા દ્રશ્યો અનેક વખત કોંગ્રેસથી સામે આવતા હોય છે પરંતુ હવે આવી વાતો, આવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીથી સામે આવી રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.