BOBના ખાતાધારકોએ રોકડ ઉપાડવા માટે UAEમાં લાઈન લગાવી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-27 14:16:41

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો દરરોજ ધડાધડ તુટી રહ્યા છે. જો કે તેના કારણે બેંકિગ શેરો પર પણ અસર થઈ રહી છે.દેશની મોટી રાષ્ટ્રિયકૃત બેંકોના શેરો પણ છેલ્લા કેટલાક દિવસોથી ધરાશાઈ થઈ રહ્યા છે. જો કે તેમાં પણ સૌથી ખરાબ હાલત બેંક ઓફ બરોડાની થઈ છે. બેંક ઓફ બરોડાના ખાતાધારકો પણ હવે તેમની રોકડ ઉપાડવા માટે લાઈનો લગાવી રહ્યા છે.


શા માટે સર્જાઈ આ સ્થિતી?


તાજેતરમાં બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંક અદાણી ગ્રુપને આગળ પણ લોન આપવાનું ચાલુ રાખશે. ચઢ્ઢાએ કહ્યું હતું કે અદાણી જૂથની લોનની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાની આ જાહેરાત બાદ દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશ અને વિદેશમાં BOBની બ્રાન્ચ સામે લોકો તેમના ખાતા બંધ કરાવવા માટે સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. 


UAEનો વીડિયો વાયરલ


UAEમાં લોકો લાંબી કતારોમાં ઉભા રહીને તેમના બેંક ઓફ બરોડાના ખાતા બંધ કરી રહ્યા છે. BOBના CEOએ અદાણી ગ્રુપને લોન આપવાનું ચાલુ રાખવાનું કહ્યું હોવાથી લોકો નારાજ છે? UAEમાં બેંક ઓફ બરોડાની શાખા બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. BOBની અલ આઈન શાખાની બહાર લાઈનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.