BOBના ખાતાધારકોએ રોકડ ઉપાડવા માટે UAEમાં લાઈન લગાવી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-27 14:16:41

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો દરરોજ ધડાધડ તુટી રહ્યા છે. જો કે તેના કારણે બેંકિગ શેરો પર પણ અસર થઈ રહી છે.દેશની મોટી રાષ્ટ્રિયકૃત બેંકોના શેરો પણ છેલ્લા કેટલાક દિવસોથી ધરાશાઈ થઈ રહ્યા છે. જો કે તેમાં પણ સૌથી ખરાબ હાલત બેંક ઓફ બરોડાની થઈ છે. બેંક ઓફ બરોડાના ખાતાધારકો પણ હવે તેમની રોકડ ઉપાડવા માટે લાઈનો લગાવી રહ્યા છે.


શા માટે સર્જાઈ આ સ્થિતી?


તાજેતરમાં બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંક અદાણી ગ્રુપને આગળ પણ લોન આપવાનું ચાલુ રાખશે. ચઢ્ઢાએ કહ્યું હતું કે અદાણી જૂથની લોનની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાની આ જાહેરાત બાદ દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશ અને વિદેશમાં BOBની બ્રાન્ચ સામે લોકો તેમના ખાતા બંધ કરાવવા માટે સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. 


UAEનો વીડિયો વાયરલ


UAEમાં લોકો લાંબી કતારોમાં ઉભા રહીને તેમના બેંક ઓફ બરોડાના ખાતા બંધ કરી રહ્યા છે. BOBના CEOએ અદાણી ગ્રુપને લોન આપવાનું ચાલુ રાખવાનું કહ્યું હોવાથી લોકો નારાજ છે? UAEમાં બેંક ઓફ બરોડાની શાખા બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. BOBની અલ આઈન શાખાની બહાર લાઈનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..