BOBના ખાતાધારકોએ રોકડ ઉપાડવા માટે UAEમાં લાઈન લગાવી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-27 14:16:41

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો દરરોજ ધડાધડ તુટી રહ્યા છે. જો કે તેના કારણે બેંકિગ શેરો પર પણ અસર થઈ રહી છે.દેશની મોટી રાષ્ટ્રિયકૃત બેંકોના શેરો પણ છેલ્લા કેટલાક દિવસોથી ધરાશાઈ થઈ રહ્યા છે. જો કે તેમાં પણ સૌથી ખરાબ હાલત બેંક ઓફ બરોડાની થઈ છે. બેંક ઓફ બરોડાના ખાતાધારકો પણ હવે તેમની રોકડ ઉપાડવા માટે લાઈનો લગાવી રહ્યા છે.


શા માટે સર્જાઈ આ સ્થિતી?


તાજેતરમાં બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંક અદાણી ગ્રુપને આગળ પણ લોન આપવાનું ચાલુ રાખશે. ચઢ્ઢાએ કહ્યું હતું કે અદાણી જૂથની લોનની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાની આ જાહેરાત બાદ દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશ અને વિદેશમાં BOBની બ્રાન્ચ સામે લોકો તેમના ખાતા બંધ કરાવવા માટે સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. 


UAEનો વીડિયો વાયરલ


UAEમાં લોકો લાંબી કતારોમાં ઉભા રહીને તેમના બેંક ઓફ બરોડાના ખાતા બંધ કરી રહ્યા છે. BOBના CEOએ અદાણી ગ્રુપને લોન આપવાનું ચાલુ રાખવાનું કહ્યું હોવાથી લોકો નારાજ છે? UAEમાં બેંક ઓફ બરોડાની શાખા બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. BOBની અલ આઈન શાખાની બહાર લાઈનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.