પેરિસમાં સૂટકેસમાં મળી 12 વર્ષની છોકરીની લાશ, ટેપથી ઢાંકી દેવાયો હતો ચહેરો, શરીર પર લખાયેલા હતા રહસ્યમય નંબર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:07:01

પોલીસને પરિવાર જે ઘરમાં રહેતો હતો તેના તહેખાનામાં અપહરણના સંકેત મળ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં ઘરની બહાર એક મહિલા સૂટકેસ લઈ જતી દેખાઈ હતી.
પોલીસે હાલમાં આ ચાર લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

What happened to Lola? France rocked by murder of 12-year-old girl found in  suitcase

પેરિસ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક 12 વર્ષના બાળકની લાશ મળ્યા બાદ હત્યાની તપાસ શરૂ થઈ છે. આ લાશ એક સૂટકેસમાં હતી, તેના ગળા પર ઘણા ઘા હતા અને તેના શરીર પર કોઈ ખાસ 'ડિવાઈસ'થી કેટલાક રહસ્યમય આંકડા 'રખાયા' હતા. બાળકની લાશ જે સ્થિતિમાં મળી તેને જોઈને લોકોમાં ભય વ્યાપી ગયો છે. તેના હાથ-પગ બાંધેલા હતા, તેના મોંને ટેપથી ઢાંકી દેવાયો હતો. પોલીસ માટે મૃત બાળકીના શરીર પરના નંબરો કોયડો બની ગયા છે.


બે દિવસ પહેલા થયેલા પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે, બાળકનું મોત શ્વાસ રુંધાઈ જવાથી થયું હતું. ફ્રેન્ચ બ્રોડકાસ્ટર બીએફએમટીવી મુજબ, બાળકીના શરીર પર '1' અને '0' નંબર મળ્યા છે. ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, પોલીસ સૂત્રએ કહ્યું કે, આંકડા છોકરીના શરીર પર લખાયેલા ન હતા કે તેને કાપવામાં પણ આવી નથી, પરંતુ એક 'ડિવાઈસ'થી તે તેના પર રાખવામાં આવ્યા હતા. નંબરોનું રહસ્ય હજુ ઉકેલાયું નથી, કેમકે અધિકારીઓ તેનો અર્થ હજુ શોધી શક્યા નથી.


સીસીટીવી ફૂટેજમાં દેખાઈ સૂટકેસ લઈને જતી મહિલા

Missing Paris girl, 12, found dead in suitcase: report

છોકરી સ્કૂલેથી પાછી ન આવતા તેની માતાએ તે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હવે, પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે અને કહ્યું કે, પોલીસને પરિવાર જે ઘરમાં રહેતો હતો તેના તહેખાનામાં અપહરણના સંકેત મળ્યા છે. જાસૂસોએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, જેમાં બિલ્ડિંગની બહાર એક મહિલા સૂટકેસ લઈને જતી જોવા મળી. અધિકારીઓનું માનવું છે કે, તે એ જ સૂટકેસ છે જે બાદમાં રસ્તા પર મળી હતી અને જેમાંથી બાળકીની લાશ મળી આવી હતી.


પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા

The body of a 12-year-old in a suitcase. Someone put the numbers 1 and 0 on  her body

સ્થાનિક અહેવાલો મુજબ, બાળકીની લાશ મળ્યા બાદ પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કસ્ટડીમાં લેવાયેલા લોકોમાં એ શખસ પણ સામેલ છે, જેણે સૂટકેસ જોયા પછી પોલીસને જાણ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.