કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીનો મળી આવ્યો મૃતદેહ! અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી હતો લાપતા


  • Published By :
  • Published Date : 2023-04-18 12:54:20

ભણવા માટે તેમજ વસવા માટે ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશમાં અનેક ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં તેમજ કેનેડામાં અનેક ભારતીય વસવાટ કરવા જતા હોય છે. ત્યારે કેનેડાથી એક દુખદ ઘટના સામે આવી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ ભારતીય વિદ્યાર્થી હર્ષ પટેલ બે દિવસથી ગુમ હતો. બે દિવસ બાદ હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. 


બે દિવસથી ગુમ હર્ષ પટેલનો મળ્યો મૃતદેહ!

અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. અમેરિકા અને કેનેડા વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. ત્યારે વિદેશથી અનેક વખત દુખની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકા બાદ કેનેડામાં ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો હર્ષ પટેલ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. બે દિવસથી હર્ષ પટેલ ગુમ હતો. હર્ષ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. હર્ષ પટેલનો ટોરેન્ટોમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષનું મૃત્યુ કઈ રીતે થયું તે હજી જાણી શકાયું નથી પરંતુ હર્ષના પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.        



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.