કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીનો મળી આવ્યો મૃતદેહ! અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી હતો લાપતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-18 12:54:20

ભણવા માટે તેમજ વસવા માટે ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશમાં અનેક ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં તેમજ કેનેડામાં અનેક ભારતીય વસવાટ કરવા જતા હોય છે. ત્યારે કેનેડાથી એક દુખદ ઘટના સામે આવી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ ભારતીય વિદ્યાર્થી હર્ષ પટેલ બે દિવસથી ગુમ હતો. બે દિવસ બાદ હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. 


બે દિવસથી ગુમ હર્ષ પટેલનો મળ્યો મૃતદેહ!

અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. અમેરિકા અને કેનેડા વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. ત્યારે વિદેશથી અનેક વખત દુખની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકા બાદ કેનેડામાં ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો હર્ષ પટેલ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. બે દિવસથી હર્ષ પટેલ ગુમ હતો. હર્ષ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. હર્ષ પટેલનો ટોરેન્ટોમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષનું મૃત્યુ કઈ રીતે થયું તે હજી જાણી શકાયું નથી પરંતુ હર્ષના પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.        



પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા પહેલા ગામડે ગામડે જઈ વિરોધ કરતા હતા પરંતુ હવે તેમણે રણનીતિ બદલી છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..