કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીનો મળી આવ્યો મૃતદેહ! અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી હતો લાપતા


  • Published By :
  • Published Date : 2023-04-18 12:54:20

ભણવા માટે તેમજ વસવા માટે ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશમાં અનેક ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં તેમજ કેનેડામાં અનેક ભારતીય વસવાટ કરવા જતા હોય છે. ત્યારે કેનેડાથી એક દુખદ ઘટના સામે આવી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ ભારતીય વિદ્યાર્થી હર્ષ પટેલ બે દિવસથી ગુમ હતો. બે દિવસ બાદ હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. 


બે દિવસથી ગુમ હર્ષ પટેલનો મળ્યો મૃતદેહ!

અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. અમેરિકા અને કેનેડા વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. ત્યારે વિદેશથી અનેક વખત દુખની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકા બાદ કેનેડામાં ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો હર્ષ પટેલ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. બે દિવસથી હર્ષ પટેલ ગુમ હતો. હર્ષ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. હર્ષ પટેલનો ટોરેન્ટોમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષનું મૃત્યુ કઈ રીતે થયું તે હજી જાણી શકાયું નથી પરંતુ હર્ષના પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.