કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીનો મળી આવ્યો મૃતદેહ! અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી હતો લાપતા


  • Published By :
  • Published Date : 2023-04-18 12:54:20

ભણવા માટે તેમજ વસવા માટે ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશમાં અનેક ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં તેમજ કેનેડામાં અનેક ભારતીય વસવાટ કરવા જતા હોય છે. ત્યારે કેનેડાથી એક દુખદ ઘટના સામે આવી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ ભારતીય વિદ્યાર્થી હર્ષ પટેલ બે દિવસથી ગુમ હતો. બે દિવસ બાદ હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. 


બે દિવસથી ગુમ હર્ષ પટેલનો મળ્યો મૃતદેહ!

અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. અમેરિકા અને કેનેડા વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. ત્યારે વિદેશથી અનેક વખત દુખની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકા બાદ કેનેડામાં ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો હર્ષ પટેલ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. બે દિવસથી હર્ષ પટેલ ગુમ હતો. હર્ષ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. હર્ષ પટેલનો ટોરેન્ટોમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષનું મૃત્યુ કઈ રીતે થયું તે હજી જાણી શકાયું નથી પરંતુ હર્ષના પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.        



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.