ઉર્વશી રૌતેલાએ નિશાન પર તીર લગાવી ડાન્સ કર્યો, સોશિયલ મીડિયા યુઝર્સે કરી આ કોમેન્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:42:33

ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતા સોશિયલ મીડિયામાં તેના વીડિયો શેર  કરીને સતત લાઈમ લાઈટમાં રહે છે. ખાસ કરીને તે ભારતીય ક્રિકેટર ઋષભ પંતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હવે ઉર્વશી રૌતેલાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નિશાન સાધતી અને ડાન્સ કરતી જોવા મળે છે.  


વીડિયો સાથે ઉર્વશીએ શું કેપ્શન લખી?


ઉર્વશીએ શેર કરેલા વીડિયોમાં તે તીર વડે નિશાન લગાવતી જોવા મળી રહી છે. આમાં તેનું તીર નિશાન પર લાગી રહ્યું છે. આ પછી ઉર્વશી ખુશીથી નાચવા લાગે છે. આ વીડિયો સાથે ઉર્વશીએ કેપ્શન આપ્યું, 'દિવાળી ઓસ્ટ્રેલિયામાં કે ભારતમાં???. તેણે તેના કેપ્શનને ઘણા પ્રશ્ન ચિહ્નો સાથે અધૂરું છોડી દીધું છે, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ તેને લઈને અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે.


સોશિયલ મીડિયા યુઝર્સ શું કોમેન્ટ લખી? 


ઉર્વશીની કોઈપણ પોસ્ટ આજે તરત જ વાયરલ થઈ જાય છે. તેણે પોતાનો આ વીડિયો શેર કરતાની સાથે જ યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી. એક યુઝરે લખ્યું, 'પહેલા પંત ભાઈને મનાવો પછી દિવાળી સેલિબ્રેટ કરો'. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'ઋષભ પંતના દિલ પર હુમલો કરવાથી કામ થઈ જશે. અહીં પ્રયત્નો કરવાથી કંઈ નહીં થાય.’ આ સાથે જ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઋષભ ભાઈ માની લો, મેડમ તમારી પાછળ પાગલ છે.’



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે