ઉર્વશી રૌતેલાએ નિશાન પર તીર લગાવી ડાન્સ કર્યો, સોશિયલ મીડિયા યુઝર્સે કરી આ કોમેન્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:42:33

ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતા સોશિયલ મીડિયામાં તેના વીડિયો શેર  કરીને સતત લાઈમ લાઈટમાં રહે છે. ખાસ કરીને તે ભારતીય ક્રિકેટર ઋષભ પંતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હવે ઉર્વશી રૌતેલાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નિશાન સાધતી અને ડાન્સ કરતી જોવા મળે છે.  


વીડિયો સાથે ઉર્વશીએ શું કેપ્શન લખી?


ઉર્વશીએ શેર કરેલા વીડિયોમાં તે તીર વડે નિશાન લગાવતી જોવા મળી રહી છે. આમાં તેનું તીર નિશાન પર લાગી રહ્યું છે. આ પછી ઉર્વશી ખુશીથી નાચવા લાગે છે. આ વીડિયો સાથે ઉર્વશીએ કેપ્શન આપ્યું, 'દિવાળી ઓસ્ટ્રેલિયામાં કે ભારતમાં???. તેણે તેના કેપ્શનને ઘણા પ્રશ્ન ચિહ્નો સાથે અધૂરું છોડી દીધું છે, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ તેને લઈને અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે.


સોશિયલ મીડિયા યુઝર્સ શું કોમેન્ટ લખી? 


ઉર્વશીની કોઈપણ પોસ્ટ આજે તરત જ વાયરલ થઈ જાય છે. તેણે પોતાનો આ વીડિયો શેર કરતાની સાથે જ યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી. એક યુઝરે લખ્યું, 'પહેલા પંત ભાઈને મનાવો પછી દિવાળી સેલિબ્રેટ કરો'. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'ઋષભ પંતના દિલ પર હુમલો કરવાથી કામ થઈ જશે. અહીં પ્રયત્નો કરવાથી કંઈ નહીં થાય.’ આ સાથે જ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઋષભ ભાઈ માની લો, મેડમ તમારી પાછળ પાગલ છે.’



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી