ઉર્વશી રૌતેલાએ નિશાન પર તીર લગાવી ડાન્સ કર્યો, સોશિયલ મીડિયા યુઝર્સે કરી આ કોમેન્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:42:33

ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતા સોશિયલ મીડિયામાં તેના વીડિયો શેર  કરીને સતત લાઈમ લાઈટમાં રહે છે. ખાસ કરીને તે ભારતીય ક્રિકેટર ઋષભ પંતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હવે ઉર્વશી રૌતેલાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નિશાન સાધતી અને ડાન્સ કરતી જોવા મળે છે.  


વીડિયો સાથે ઉર્વશીએ શું કેપ્શન લખી?


ઉર્વશીએ શેર કરેલા વીડિયોમાં તે તીર વડે નિશાન લગાવતી જોવા મળી રહી છે. આમાં તેનું તીર નિશાન પર લાગી રહ્યું છે. આ પછી ઉર્વશી ખુશીથી નાચવા લાગે છે. આ વીડિયો સાથે ઉર્વશીએ કેપ્શન આપ્યું, 'દિવાળી ઓસ્ટ્રેલિયામાં કે ભારતમાં???. તેણે તેના કેપ્શનને ઘણા પ્રશ્ન ચિહ્નો સાથે અધૂરું છોડી દીધું છે, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ તેને લઈને અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે.


સોશિયલ મીડિયા યુઝર્સ શું કોમેન્ટ લખી? 


ઉર્વશીની કોઈપણ પોસ્ટ આજે તરત જ વાયરલ થઈ જાય છે. તેણે પોતાનો આ વીડિયો શેર કરતાની સાથે જ યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી. એક યુઝરે લખ્યું, 'પહેલા પંત ભાઈને મનાવો પછી દિવાળી સેલિબ્રેટ કરો'. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'ઋષભ પંતના દિલ પર હુમલો કરવાથી કામ થઈ જશે. અહીં પ્રયત્નો કરવાથી કંઈ નહીં થાય.’ આ સાથે જ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઋષભ ભાઈ માની લો, મેડમ તમારી પાછળ પાગલ છે.’



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.