કયો બોલિવુડ સ્ટાર લે છે સૌથી વધુ ફી, સલમાન, શાહરૂખ, અક્ષય અને આમિરની નેટવર્થ કેટલી છે?


  • Published By :
  • Published Date : 2023-02-03 16:35:36

ભારતમાં હિન્દી ફિલ્મો વર્ષોથી મનોરંજનનું સૌથી મોટું અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. બોલિવુડ કલાકારો અભૂતપૂર્વ લોકચાહના ધરાવે છે. દેશમાં ફિલ્મ માત્ર એન્ટરટેંઈમેન્ટ માટે જ નહીં પણ એન્ફોટેંમેન્ટ માટે જોવામાં આવે છે. પરંતું તમને ખબર છે કે તમારા પ્રિય કલાકારો કેટલી કમાણી કરે છે? બોલીવુડ કલાકારોની તોતિંગ આવક જાણવી રસપ્રદ બની રહેશે. 

શાહરૂખ ખાન


બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા આ લોકપ્રિય અભિનેતા તેમની ફિલ્મમાં અભિનય કરવા માટે ફિ ઉપરાંત 60 ટકા જેટલો નફો પણ લે છે. જેમ કે તાજેતરમાં જ રિલિઝ થયેલી પઠાણ ફિલ્મ માટે શાહરૂખ ખાને 120 કરોડ રૂપિયા જેટલો ચાર્જ લીધો હતો.  શાહરૂખ ખાનની કુલ આવક 6295.01 કરોડ રૂપિયા જેટલી છે. તે હોલિવુડના જાણીતા અભિનેતા ટોમ ક્રૂઝ, જ્યોર્જ  ક્લૂની, રોબર્ટ ડિ નીરોથી પણ વધુ ફિ વસૂલે છે.


અક્ષય કુમાર


એક્શન હિરો તરીકે જાણીતો અક્ષય કુમાર પણ ખુબ જ મોંઘો અભિનેતા છે. તેણે ફિલ્મ રામ સેતુ માટે 50 કરોડની ફિ લીધી છે. તે ઉપરાંત આગામી ફિલ્મ છોટે મિયાં માટે લગભગ 135 કરોડ રૂપિયા ચાર્જ લેશે. વર્ષ 2022ના અંત સુધી તેની સંપત્તી 2660 રૂપિયા આંકવામાં આવી હતી. 


સલમાન ખાન 


રોમેન્ટિક કલાકાર સલમાન ખાન પણ દેશનો હાઈ-પેઈડ એક્ટર છે. વર્ષ 2016માં આવેલી તેની ફિલ્મ સુલતાન માટે તેણે 100 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વર્ષ 2017માં તેણે ટાઈગર ઝિંદા હૈ માટે એક્ટિંગ ફિ તરીકે 130 કરોડ પણ લીધી છે.  યશરાજ બેનર સાથે તેણે પ્રોફિટ શેયરિંગ ડીલ કરી હતી. તે અંતર્ગત તેને ફિલ્મની કુલ કમાણીના 60થી 70 ટકા જેટલો હિસ્સો મળ્યો હતો. ટાઈગર ઝિંદા હૈ બાદ સલમાનની તમામ ફિલ્મો તેના હોમ પ્રોડક્સનથી રિલિઝ થઈ છે. જેનો મતલબ એ છે કે તે પોતાની એક્ટિંગ ફિ ઉપરાંત તમામ સેટેલાઈટ અને ડિઝિટલ રેવન્યુ પણ ઘરભેગી કરે છે. 


આમિર ખાન 


આમિર ખાન પોતાની ફિલ્મો માટે લગભગ 100થી 150 કરોડ રૂપિયા જેટલો ચાર્જ વસૂલે છે. એટલું જ નહીં તે ફિલ્મના નફાનો 70 ટકા હિસ્સો પણ પોતાના ઘરે લઈ જાય છે. બોલિવુડમાં મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતો આ અભિનેતા ખુબ જ ઓછી અને ગણતરી ફિલ્મોમા જ કામ કરે છે. જો કે તેની ફિલ્મો સફળતાની ગેરન્ટી મનાય છે. જો કે તાજેતરમાં જ રિલિઝ થયેલી લાલાલિંહ ચઢ્ઢા ફ્લોપ સાબિત થઈ હતી.


રણવીર સિંહ


દેશનો યુવા સ્ટાર રણવીર સિંહ તેની ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયા વસૂલે છે. FPJની એક રિપોર્ટ અનુસાર, અભિનેતાને '83' માટે 13 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે હવે ફિલ્મની સફળતા માટે તેણે પોતાની તેની ફી વધારી દીધી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.