કયો બોલિવુડ સ્ટાર લે છે સૌથી વધુ ફી, સલમાન, શાહરૂખ, અક્ષય અને આમિરની નેટવર્થ કેટલી છે?


  • Published By :
  • Published Date : 2023-02-03 16:35:36

ભારતમાં હિન્દી ફિલ્મો વર્ષોથી મનોરંજનનું સૌથી મોટું અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. બોલિવુડ કલાકારો અભૂતપૂર્વ લોકચાહના ધરાવે છે. દેશમાં ફિલ્મ માત્ર એન્ટરટેંઈમેન્ટ માટે જ નહીં પણ એન્ફોટેંમેન્ટ માટે જોવામાં આવે છે. પરંતું તમને ખબર છે કે તમારા પ્રિય કલાકારો કેટલી કમાણી કરે છે? બોલીવુડ કલાકારોની તોતિંગ આવક જાણવી રસપ્રદ બની રહેશે. 

શાહરૂખ ખાન


બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા આ લોકપ્રિય અભિનેતા તેમની ફિલ્મમાં અભિનય કરવા માટે ફિ ઉપરાંત 60 ટકા જેટલો નફો પણ લે છે. જેમ કે તાજેતરમાં જ રિલિઝ થયેલી પઠાણ ફિલ્મ માટે શાહરૂખ ખાને 120 કરોડ રૂપિયા જેટલો ચાર્જ લીધો હતો.  શાહરૂખ ખાનની કુલ આવક 6295.01 કરોડ રૂપિયા જેટલી છે. તે હોલિવુડના જાણીતા અભિનેતા ટોમ ક્રૂઝ, જ્યોર્જ  ક્લૂની, રોબર્ટ ડિ નીરોથી પણ વધુ ફિ વસૂલે છે.


અક્ષય કુમાર


એક્શન હિરો તરીકે જાણીતો અક્ષય કુમાર પણ ખુબ જ મોંઘો અભિનેતા છે. તેણે ફિલ્મ રામ સેતુ માટે 50 કરોડની ફિ લીધી છે. તે ઉપરાંત આગામી ફિલ્મ છોટે મિયાં માટે લગભગ 135 કરોડ રૂપિયા ચાર્જ લેશે. વર્ષ 2022ના અંત સુધી તેની સંપત્તી 2660 રૂપિયા આંકવામાં આવી હતી. 


સલમાન ખાન 


રોમેન્ટિક કલાકાર સલમાન ખાન પણ દેશનો હાઈ-પેઈડ એક્ટર છે. વર્ષ 2016માં આવેલી તેની ફિલ્મ સુલતાન માટે તેણે 100 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વર્ષ 2017માં તેણે ટાઈગર ઝિંદા હૈ માટે એક્ટિંગ ફિ તરીકે 130 કરોડ પણ લીધી છે.  યશરાજ બેનર સાથે તેણે પ્રોફિટ શેયરિંગ ડીલ કરી હતી. તે અંતર્ગત તેને ફિલ્મની કુલ કમાણીના 60થી 70 ટકા જેટલો હિસ્સો મળ્યો હતો. ટાઈગર ઝિંદા હૈ બાદ સલમાનની તમામ ફિલ્મો તેના હોમ પ્રોડક્સનથી રિલિઝ થઈ છે. જેનો મતલબ એ છે કે તે પોતાની એક્ટિંગ ફિ ઉપરાંત તમામ સેટેલાઈટ અને ડિઝિટલ રેવન્યુ પણ ઘરભેગી કરે છે. 


આમિર ખાન 


આમિર ખાન પોતાની ફિલ્મો માટે લગભગ 100થી 150 કરોડ રૂપિયા જેટલો ચાર્જ વસૂલે છે. એટલું જ નહીં તે ફિલ્મના નફાનો 70 ટકા હિસ્સો પણ પોતાના ઘરે લઈ જાય છે. બોલિવુડમાં મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતો આ અભિનેતા ખુબ જ ઓછી અને ગણતરી ફિલ્મોમા જ કામ કરે છે. જો કે તેની ફિલ્મો સફળતાની ગેરન્ટી મનાય છે. જો કે તાજેતરમાં જ રિલિઝ થયેલી લાલાલિંહ ચઢ્ઢા ફ્લોપ સાબિત થઈ હતી.


રણવીર સિંહ


દેશનો યુવા સ્ટાર રણવીર સિંહ તેની ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયા વસૂલે છે. FPJની એક રિપોર્ટ અનુસાર, અભિનેતાને '83' માટે 13 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે હવે ફિલ્મની સફળતા માટે તેણે પોતાની તેની ફી વધારી દીધી છે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.