કયો બોલિવુડ સ્ટાર લે છે સૌથી વધુ ફી, સલમાન, શાહરૂખ, અક્ષય અને આમિરની નેટવર્થ કેટલી છે?


  • Published By :
  • Published Date : 2023-02-03 16:35:36

ભારતમાં હિન્દી ફિલ્મો વર્ષોથી મનોરંજનનું સૌથી મોટું અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. બોલિવુડ કલાકારો અભૂતપૂર્વ લોકચાહના ધરાવે છે. દેશમાં ફિલ્મ માત્ર એન્ટરટેંઈમેન્ટ માટે જ નહીં પણ એન્ફોટેંમેન્ટ માટે જોવામાં આવે છે. પરંતું તમને ખબર છે કે તમારા પ્રિય કલાકારો કેટલી કમાણી કરે છે? બોલીવુડ કલાકારોની તોતિંગ આવક જાણવી રસપ્રદ બની રહેશે. 

શાહરૂખ ખાન


બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા આ લોકપ્રિય અભિનેતા તેમની ફિલ્મમાં અભિનય કરવા માટે ફિ ઉપરાંત 60 ટકા જેટલો નફો પણ લે છે. જેમ કે તાજેતરમાં જ રિલિઝ થયેલી પઠાણ ફિલ્મ માટે શાહરૂખ ખાને 120 કરોડ રૂપિયા જેટલો ચાર્જ લીધો હતો.  શાહરૂખ ખાનની કુલ આવક 6295.01 કરોડ રૂપિયા જેટલી છે. તે હોલિવુડના જાણીતા અભિનેતા ટોમ ક્રૂઝ, જ્યોર્જ  ક્લૂની, રોબર્ટ ડિ નીરોથી પણ વધુ ફિ વસૂલે છે.


અક્ષય કુમાર


એક્શન હિરો તરીકે જાણીતો અક્ષય કુમાર પણ ખુબ જ મોંઘો અભિનેતા છે. તેણે ફિલ્મ રામ સેતુ માટે 50 કરોડની ફિ લીધી છે. તે ઉપરાંત આગામી ફિલ્મ છોટે મિયાં માટે લગભગ 135 કરોડ રૂપિયા ચાર્જ લેશે. વર્ષ 2022ના અંત સુધી તેની સંપત્તી 2660 રૂપિયા આંકવામાં આવી હતી. 


સલમાન ખાન 


રોમેન્ટિક કલાકાર સલમાન ખાન પણ દેશનો હાઈ-પેઈડ એક્ટર છે. વર્ષ 2016માં આવેલી તેની ફિલ્મ સુલતાન માટે તેણે 100 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વર્ષ 2017માં તેણે ટાઈગર ઝિંદા હૈ માટે એક્ટિંગ ફિ તરીકે 130 કરોડ પણ લીધી છે.  યશરાજ બેનર સાથે તેણે પ્રોફિટ શેયરિંગ ડીલ કરી હતી. તે અંતર્ગત તેને ફિલ્મની કુલ કમાણીના 60થી 70 ટકા જેટલો હિસ્સો મળ્યો હતો. ટાઈગર ઝિંદા હૈ બાદ સલમાનની તમામ ફિલ્મો તેના હોમ પ્રોડક્સનથી રિલિઝ થઈ છે. જેનો મતલબ એ છે કે તે પોતાની એક્ટિંગ ફિ ઉપરાંત તમામ સેટેલાઈટ અને ડિઝિટલ રેવન્યુ પણ ઘરભેગી કરે છે. 


આમિર ખાન 


આમિર ખાન પોતાની ફિલ્મો માટે લગભગ 100થી 150 કરોડ રૂપિયા જેટલો ચાર્જ વસૂલે છે. એટલું જ નહીં તે ફિલ્મના નફાનો 70 ટકા હિસ્સો પણ પોતાના ઘરે લઈ જાય છે. બોલિવુડમાં મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતો આ અભિનેતા ખુબ જ ઓછી અને ગણતરી ફિલ્મોમા જ કામ કરે છે. જો કે તેની ફિલ્મો સફળતાની ગેરન્ટી મનાય છે. જો કે તાજેતરમાં જ રિલિઝ થયેલી લાલાલિંહ ચઢ્ઢા ફ્લોપ સાબિત થઈ હતી.


રણવીર સિંહ


દેશનો યુવા સ્ટાર રણવીર સિંહ તેની ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયા વસૂલે છે. FPJની એક રિપોર્ટ અનુસાર, અભિનેતાને '83' માટે 13 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે હવે ફિલ્મની સફળતા માટે તેણે પોતાની તેની ફી વધારી દીધી છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.