કયો બોલિવુડ સ્ટાર લે છે સૌથી વધુ ફી, સલમાન, શાહરૂખ, અક્ષય અને આમિરની નેટવર્થ કેટલી છે?


  • Published By :
  • Published Date : 2023-02-03 16:35:36

ભારતમાં હિન્દી ફિલ્મો વર્ષોથી મનોરંજનનું સૌથી મોટું અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. બોલિવુડ કલાકારો અભૂતપૂર્વ લોકચાહના ધરાવે છે. દેશમાં ફિલ્મ માત્ર એન્ટરટેંઈમેન્ટ માટે જ નહીં પણ એન્ફોટેંમેન્ટ માટે જોવામાં આવે છે. પરંતું તમને ખબર છે કે તમારા પ્રિય કલાકારો કેટલી કમાણી કરે છે? બોલીવુડ કલાકારોની તોતિંગ આવક જાણવી રસપ્રદ બની રહેશે. 

શાહરૂખ ખાન


બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા આ લોકપ્રિય અભિનેતા તેમની ફિલ્મમાં અભિનય કરવા માટે ફિ ઉપરાંત 60 ટકા જેટલો નફો પણ લે છે. જેમ કે તાજેતરમાં જ રિલિઝ થયેલી પઠાણ ફિલ્મ માટે શાહરૂખ ખાને 120 કરોડ રૂપિયા જેટલો ચાર્જ લીધો હતો.  શાહરૂખ ખાનની કુલ આવક 6295.01 કરોડ રૂપિયા જેટલી છે. તે હોલિવુડના જાણીતા અભિનેતા ટોમ ક્રૂઝ, જ્યોર્જ  ક્લૂની, રોબર્ટ ડિ નીરોથી પણ વધુ ફિ વસૂલે છે.


અક્ષય કુમાર


એક્શન હિરો તરીકે જાણીતો અક્ષય કુમાર પણ ખુબ જ મોંઘો અભિનેતા છે. તેણે ફિલ્મ રામ સેતુ માટે 50 કરોડની ફિ લીધી છે. તે ઉપરાંત આગામી ફિલ્મ છોટે મિયાં માટે લગભગ 135 કરોડ રૂપિયા ચાર્જ લેશે. વર્ષ 2022ના અંત સુધી તેની સંપત્તી 2660 રૂપિયા આંકવામાં આવી હતી. 


સલમાન ખાન 


રોમેન્ટિક કલાકાર સલમાન ખાન પણ દેશનો હાઈ-પેઈડ એક્ટર છે. વર્ષ 2016માં આવેલી તેની ફિલ્મ સુલતાન માટે તેણે 100 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વર્ષ 2017માં તેણે ટાઈગર ઝિંદા હૈ માટે એક્ટિંગ ફિ તરીકે 130 કરોડ પણ લીધી છે.  યશરાજ બેનર સાથે તેણે પ્રોફિટ શેયરિંગ ડીલ કરી હતી. તે અંતર્ગત તેને ફિલ્મની કુલ કમાણીના 60થી 70 ટકા જેટલો હિસ્સો મળ્યો હતો. ટાઈગર ઝિંદા હૈ બાદ સલમાનની તમામ ફિલ્મો તેના હોમ પ્રોડક્સનથી રિલિઝ થઈ છે. જેનો મતલબ એ છે કે તે પોતાની એક્ટિંગ ફિ ઉપરાંત તમામ સેટેલાઈટ અને ડિઝિટલ રેવન્યુ પણ ઘરભેગી કરે છે. 


આમિર ખાન 


આમિર ખાન પોતાની ફિલ્મો માટે લગભગ 100થી 150 કરોડ રૂપિયા જેટલો ચાર્જ વસૂલે છે. એટલું જ નહીં તે ફિલ્મના નફાનો 70 ટકા હિસ્સો પણ પોતાના ઘરે લઈ જાય છે. બોલિવુડમાં મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતો આ અભિનેતા ખુબ જ ઓછી અને ગણતરી ફિલ્મોમા જ કામ કરે છે. જો કે તેની ફિલ્મો સફળતાની ગેરન્ટી મનાય છે. જો કે તાજેતરમાં જ રિલિઝ થયેલી લાલાલિંહ ચઢ્ઢા ફ્લોપ સાબિત થઈ હતી.


રણવીર સિંહ


દેશનો યુવા સ્ટાર રણવીર સિંહ તેની ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયા વસૂલે છે. FPJની એક રિપોર્ટ અનુસાર, અભિનેતાને '83' માટે 13 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે હવે ફિલ્મની સફળતા માટે તેણે પોતાની તેની ફી વધારી દીધી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.