IPLમાં જીત બદલ બોલિવુડ સેલિબ્રિટીએ પાઠવ્યા ટીમને અભિનંદન! કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભકામના


  • Published By :
  • Published Date : 2023-05-30 11:14:50

IPLની ફાઈનલ મેચ ચેન્નઈ સુપરકિંગ ટીમ જીતી ગઈ છે. દરેક જગ્યાઓ પર હાલ મેચની તેમજ શાનદાર ઈનિંગની જ ચર્ચા થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સને હરાવી ચેન્નઈ સુપરકિંગ ચેમ્પિયન બની છે. મેચ 28મેના રોજ અમદાવાદમાં યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ 29મેના રોજ યોજાઈ હતી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ મારી ટ્રોફી ચેન્નઈ સુપરકિંગના નામે થઈ ગઈ હતી. પાંચમી વખત સીએસકે ચેમ્પિયન બન્યું છે. રવિન્દ્ર જાડેજાના વખાણ થઈ રહ્યા છે. CSKની જીત બાદ ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર હાલ આઈપીએલ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

 


આ લોકોએ ટીમને જીત બદલ પાઠવ્યા અભિનંદન!

CSKની જીત બાદ અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધોનીએ રવિન્દ્ર જાડેજાને ગળે લગાવી લીધો હતો. તે સિવાય રિવાબા પણ ભાવુક થતાં દેખાયા હતા. CSKની જીત બાદ રણવીર સિંહે, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના અભિનેતાઓએ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તો સારા અલી ખાન અને વિક્કી કૌશલ તો મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. સીએસકેની જીત બાદ બંને ઉત્સાહિત જોવા મળ્યા હતા. કાર્તિક આર્યને ચેન્નઈ સુપરકિંગ્સના જીત બાદ ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી હતી. તે સિવાય અભિષેક બચ્ચને પણ અભિનંદન પાઠવ્યા હતા. અથિયા શેઠ્ઠીએ પણ જીત બાદ સ્ટોરી મૂકી આનંદ વ્યક્ત કર્યો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.