IPLમાં જીત બદલ બોલિવુડ સેલિબ્રિટીએ પાઠવ્યા ટીમને અભિનંદન! કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભકામના


  • Published By :
  • Published Date : 2023-05-30 11:14:50

IPLની ફાઈનલ મેચ ચેન્નઈ સુપરકિંગ ટીમ જીતી ગઈ છે. દરેક જગ્યાઓ પર હાલ મેચની તેમજ શાનદાર ઈનિંગની જ ચર્ચા થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સને હરાવી ચેન્નઈ સુપરકિંગ ચેમ્પિયન બની છે. મેચ 28મેના રોજ અમદાવાદમાં યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ 29મેના રોજ યોજાઈ હતી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ મારી ટ્રોફી ચેન્નઈ સુપરકિંગના નામે થઈ ગઈ હતી. પાંચમી વખત સીએસકે ચેમ્પિયન બન્યું છે. રવિન્દ્ર જાડેજાના વખાણ થઈ રહ્યા છે. CSKની જીત બાદ ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર હાલ આઈપીએલ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

 


આ લોકોએ ટીમને જીત બદલ પાઠવ્યા અભિનંદન!

CSKની જીત બાદ અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધોનીએ રવિન્દ્ર જાડેજાને ગળે લગાવી લીધો હતો. તે સિવાય રિવાબા પણ ભાવુક થતાં દેખાયા હતા. CSKની જીત બાદ રણવીર સિંહે, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના અભિનેતાઓએ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તો સારા અલી ખાન અને વિક્કી કૌશલ તો મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. સીએસકેની જીત બાદ બંને ઉત્સાહિત જોવા મળ્યા હતા. કાર્તિક આર્યને ચેન્નઈ સુપરકિંગ્સના જીત બાદ ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી હતી. તે સિવાય અભિષેક બચ્ચને પણ અભિનંદન પાઠવ્યા હતા. અથિયા શેઠ્ઠીએ પણ જીત બાદ સ્ટોરી મૂકી આનંદ વ્યક્ત કર્યો હતો. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.