IPLમાં જીત બદલ બોલિવુડ સેલિબ્રિટીએ પાઠવ્યા ટીમને અભિનંદન! કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભકામના


  • Published By :
  • Published Date : 2023-05-30 11:14:50

IPLની ફાઈનલ મેચ ચેન્નઈ સુપરકિંગ ટીમ જીતી ગઈ છે. દરેક જગ્યાઓ પર હાલ મેચની તેમજ શાનદાર ઈનિંગની જ ચર્ચા થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સને હરાવી ચેન્નઈ સુપરકિંગ ચેમ્પિયન બની છે. મેચ 28મેના રોજ અમદાવાદમાં યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ 29મેના રોજ યોજાઈ હતી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ મારી ટ્રોફી ચેન્નઈ સુપરકિંગના નામે થઈ ગઈ હતી. પાંચમી વખત સીએસકે ચેમ્પિયન બન્યું છે. રવિન્દ્ર જાડેજાના વખાણ થઈ રહ્યા છે. CSKની જીત બાદ ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર હાલ આઈપીએલ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

 


આ લોકોએ ટીમને જીત બદલ પાઠવ્યા અભિનંદન!

CSKની જીત બાદ અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધોનીએ રવિન્દ્ર જાડેજાને ગળે લગાવી લીધો હતો. તે સિવાય રિવાબા પણ ભાવુક થતાં દેખાયા હતા. CSKની જીત બાદ રણવીર સિંહે, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના અભિનેતાઓએ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તો સારા અલી ખાન અને વિક્કી કૌશલ તો મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. સીએસકેની જીત બાદ બંને ઉત્સાહિત જોવા મળ્યા હતા. કાર્તિક આર્યને ચેન્નઈ સુપરકિંગ્સના જીત બાદ ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી હતી. તે સિવાય અભિષેક બચ્ચને પણ અભિનંદન પાઠવ્યા હતા. અથિયા શેઠ્ઠીએ પણ જીત બાદ સ્ટોરી મૂકી આનંદ વ્યક્ત કર્યો હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.