IPLમાં જીત બદલ બોલિવુડ સેલિબ્રિટીએ પાઠવ્યા ટીમને અભિનંદન! કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભકામના


  • Published By :
  • Published Date : 2023-05-30 11:14:50

IPLની ફાઈનલ મેચ ચેન્નઈ સુપરકિંગ ટીમ જીતી ગઈ છે. દરેક જગ્યાઓ પર હાલ મેચની તેમજ શાનદાર ઈનિંગની જ ચર્ચા થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સને હરાવી ચેન્નઈ સુપરકિંગ ચેમ્પિયન બની છે. મેચ 28મેના રોજ અમદાવાદમાં યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ 29મેના રોજ યોજાઈ હતી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ મારી ટ્રોફી ચેન્નઈ સુપરકિંગના નામે થઈ ગઈ હતી. પાંચમી વખત સીએસકે ચેમ્પિયન બન્યું છે. રવિન્દ્ર જાડેજાના વખાણ થઈ રહ્યા છે. CSKની જીત બાદ ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર હાલ આઈપીએલ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

 


આ લોકોએ ટીમને જીત બદલ પાઠવ્યા અભિનંદન!

CSKની જીત બાદ અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધોનીએ રવિન્દ્ર જાડેજાને ગળે લગાવી લીધો હતો. તે સિવાય રિવાબા પણ ભાવુક થતાં દેખાયા હતા. CSKની જીત બાદ રણવીર સિંહે, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના અભિનેતાઓએ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તો સારા અલી ખાન અને વિક્કી કૌશલ તો મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. સીએસકેની જીત બાદ બંને ઉત્સાહિત જોવા મળ્યા હતા. કાર્તિક આર્યને ચેન્નઈ સુપરકિંગ્સના જીત બાદ ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી હતી. તે સિવાય અભિષેક બચ્ચને પણ અભિનંદન પાઠવ્યા હતા. અથિયા શેઠ્ઠીએ પણ જીત બાદ સ્ટોરી મૂકી આનંદ વ્યક્ત કર્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.