Bombay High Court: યુવતીનો હાથ પકડી પ્રપોઝ કરવું તે છેડતી નથી, યુવકને આપી મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-28 15:55:46

બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે કોઈ યુવતીનો હાથ પકડીને પ્રેમનો ઈજહાર કરવો તે છેડતી નથી. હાઈકોર્ટે આરોપીના જામીન મંજુર કરતા આ ટિપ્પણી કરી છે. બોંમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં જસ્ટીસ ભારતી ડાંગરની સિંગલ બેંચે તેમના આદેશમાં કહ્યું કે પિડીતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આરોપીનો તે યુવતીના ઉત્પીડનનો કોઈ ઈરાદો નહોતો. આ સ્થિતીમાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યો છે.


સમગ્ર મામલો શું છે?


વર્ષ 2022માં એક સગીરાના પિતાએ ઓટો ચાલક ધનરાજ બાબુ સિંહ રાઠૌર પર તેમની પુત્રીનું ઉત્પીડન કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તે સગીરા તેની ઓટોના બદલે બીજી ઓટોથી કોલેજ અને ટ્યુશન જવા લાગી હતી. જો કે ધનરાજે તેનો પીછો કર્યો હતો અને નવેમ્બર 2022માં આરોપીએ સગીરાનો હાથ પકડીને તેને પ્રપોઝ કર્યું હતું. જો કે સગીરા તેનો ઈન્કાર કરીને જેમ તેમ કરીને ઘરે પહોંચી હતી. બાદમાં તે યુવક પર યૌન ઉત્પિડનનો કેસ થયો હતો. જો કે હાઈકોર્ટે આજે તે યુવકને રાહત આપવાની સાથે તે યુવતીને ફરીથી હેરાન નહીં  કરવાની પણ ચેતવણી આપી છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.