Bombay High Court: યુવતીનો હાથ પકડી પ્રપોઝ કરવું તે છેડતી નથી, યુવકને આપી મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-28 15:55:46

બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે કોઈ યુવતીનો હાથ પકડીને પ્રેમનો ઈજહાર કરવો તે છેડતી નથી. હાઈકોર્ટે આરોપીના જામીન મંજુર કરતા આ ટિપ્પણી કરી છે. બોંમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં જસ્ટીસ ભારતી ડાંગરની સિંગલ બેંચે તેમના આદેશમાં કહ્યું કે પિડીતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આરોપીનો તે યુવતીના ઉત્પીડનનો કોઈ ઈરાદો નહોતો. આ સ્થિતીમાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યો છે.


સમગ્ર મામલો શું છે?


વર્ષ 2022માં એક સગીરાના પિતાએ ઓટો ચાલક ધનરાજ બાબુ સિંહ રાઠૌર પર તેમની પુત્રીનું ઉત્પીડન કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તે સગીરા તેની ઓટોના બદલે બીજી ઓટોથી કોલેજ અને ટ્યુશન જવા લાગી હતી. જો કે ધનરાજે તેનો પીછો કર્યો હતો અને નવેમ્બર 2022માં આરોપીએ સગીરાનો હાથ પકડીને તેને પ્રપોઝ કર્યું હતું. જો કે સગીરા તેનો ઈન્કાર કરીને જેમ તેમ કરીને ઘરે પહોંચી હતી. બાદમાં તે યુવક પર યૌન ઉત્પિડનનો કેસ થયો હતો. જો કે હાઈકોર્ટે આજે તે યુવકને રાહત આપવાની સાથે તે યુવતીને ફરીથી હેરાન નહીં  કરવાની પણ ચેતવણી આપી છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.