Bombay High Court: યુવતીનો હાથ પકડી પ્રપોઝ કરવું તે છેડતી નથી, યુવકને આપી મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-28 15:55:46

બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે કોઈ યુવતીનો હાથ પકડીને પ્રેમનો ઈજહાર કરવો તે છેડતી નથી. હાઈકોર્ટે આરોપીના જામીન મંજુર કરતા આ ટિપ્પણી કરી છે. બોંમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં જસ્ટીસ ભારતી ડાંગરની સિંગલ બેંચે તેમના આદેશમાં કહ્યું કે પિડીતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આરોપીનો તે યુવતીના ઉત્પીડનનો કોઈ ઈરાદો નહોતો. આ સ્થિતીમાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યો છે.


સમગ્ર મામલો શું છે?


વર્ષ 2022માં એક સગીરાના પિતાએ ઓટો ચાલક ધનરાજ બાબુ સિંહ રાઠૌર પર તેમની પુત્રીનું ઉત્પીડન કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તે સગીરા તેની ઓટોના બદલે બીજી ઓટોથી કોલેજ અને ટ્યુશન જવા લાગી હતી. જો કે ધનરાજે તેનો પીછો કર્યો હતો અને નવેમ્બર 2022માં આરોપીએ સગીરાનો હાથ પકડીને તેને પ્રપોઝ કર્યું હતું. જો કે સગીરા તેનો ઈન્કાર કરીને જેમ તેમ કરીને ઘરે પહોંચી હતી. બાદમાં તે યુવક પર યૌન ઉત્પિડનનો કેસ થયો હતો. જો કે હાઈકોર્ટે આજે તે યુવકને રાહત આપવાની સાથે તે યુવતીને ફરીથી હેરાન નહીં  કરવાની પણ ચેતવણી આપી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.