Bhavnagarમાં બુટલેગરે આપી BJPના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-02 16:18:41

રાજ્યમાં દારૂબંધી કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ પણ આપણી સામે વારંવાર આવી રહ્યા છે. આજે દારૂબંધીના કાયદાની નહીં પરંતુ બુટલેગરોની વાત કરવી છે. બુટલેગરો બેફામ બન્યા છે જેનું ઉદાહરણ ભાવનગરથી સામે આવ્યું છે. ભાવનગરમાં બુટલેગરે ભાજપની મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોર્પોરેટરના ઘર પર આવીને બુટલેગરો કોર્પોરેટરને તેમજ તેમના પતિને ધમકાવી રહ્યા છે.     

Bootleggers torture in Bhavnagar, threaten to kill BJP's female corporator Bhavnagar News: ભાવનગરમાં બુટલેગરો બેફામ, ભાજપની જ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની આપી ધમકી

ભાવનગરમાં બુટલેગર બેફામ બન્યા!

બુટલેગરોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. દારૂબંધી કાયદાને લઈ તેમને કેટલો ડર છે એ તો જાણીએ જ છીએ પરંતુ હવે તો ઘરમાં આવીને બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકી આપી રહ્યા છે. આનું તાજુ ઉદાહરણ છે ભાવનગર. શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મીલની ચાલીની નજીક રહેતા અને વડવા બ વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર સેજલબેન મહેશભાઈ ગોહિલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને એ પણ તેમના ઘરે. 

મહિલા કોર્પોરેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી 

જાનથી મારી નાખવાની ધમકી મળતા આ અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. ગૃહમંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બુટલેગરો ઘર પર પથ્થરમારો કરે છે. સેજલબેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં તેમણે તેમને મળતી ધમકીનો ઉલ્લેખ પણ કર્યો હતો. મહિલા કોર્પોરેટરને ધમકી મળી રહી હતી કે તમે ભાજપનું આટલું કામ ન કરો બાકી અમે તમને હેરાન કરીશું.  


ભાજપની મહિલા કોર્પોરેટર જ સુરક્ષિત નથી!

પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આવી ઘટનાઓ સામે આવતા એક પ્રશ્ન થાય કે જો બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી શકતા હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે? મહિલાઓની સુરક્ષા પર પણ અનેક ગંભીર સવાલો ઉભા થાય છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.