Bhavnagarમાં બુટલેગરે આપી BJPના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-02 16:18:41

રાજ્યમાં દારૂબંધી કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ પણ આપણી સામે વારંવાર આવી રહ્યા છે. આજે દારૂબંધીના કાયદાની નહીં પરંતુ બુટલેગરોની વાત કરવી છે. બુટલેગરો બેફામ બન્યા છે જેનું ઉદાહરણ ભાવનગરથી સામે આવ્યું છે. ભાવનગરમાં બુટલેગરે ભાજપની મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોર્પોરેટરના ઘર પર આવીને બુટલેગરો કોર્પોરેટરને તેમજ તેમના પતિને ધમકાવી રહ્યા છે.     

Bootleggers torture in Bhavnagar, threaten to kill BJP's female corporator Bhavnagar News: ભાવનગરમાં બુટલેગરો બેફામ, ભાજપની જ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની આપી ધમકી

ભાવનગરમાં બુટલેગર બેફામ બન્યા!

બુટલેગરોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. દારૂબંધી કાયદાને લઈ તેમને કેટલો ડર છે એ તો જાણીએ જ છીએ પરંતુ હવે તો ઘરમાં આવીને બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકી આપી રહ્યા છે. આનું તાજુ ઉદાહરણ છે ભાવનગર. શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મીલની ચાલીની નજીક રહેતા અને વડવા બ વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર સેજલબેન મહેશભાઈ ગોહિલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને એ પણ તેમના ઘરે. 

મહિલા કોર્પોરેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી 

જાનથી મારી નાખવાની ધમકી મળતા આ અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. ગૃહમંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બુટલેગરો ઘર પર પથ્થરમારો કરે છે. સેજલબેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં તેમણે તેમને મળતી ધમકીનો ઉલ્લેખ પણ કર્યો હતો. મહિલા કોર્પોરેટરને ધમકી મળી રહી હતી કે તમે ભાજપનું આટલું કામ ન કરો બાકી અમે તમને હેરાન કરીશું.  


ભાજપની મહિલા કોર્પોરેટર જ સુરક્ષિત નથી!

પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આવી ઘટનાઓ સામે આવતા એક પ્રશ્ન થાય કે જો બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી શકતા હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે? મહિલાઓની સુરક્ષા પર પણ અનેક ગંભીર સવાલો ઉભા થાય છે.  



ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.