Bhavnagarમાં બુટલેગરે આપી BJPના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-02 16:18:41

રાજ્યમાં દારૂબંધી કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ પણ આપણી સામે વારંવાર આવી રહ્યા છે. આજે દારૂબંધીના કાયદાની નહીં પરંતુ બુટલેગરોની વાત કરવી છે. બુટલેગરો બેફામ બન્યા છે જેનું ઉદાહરણ ભાવનગરથી સામે આવ્યું છે. ભાવનગરમાં બુટલેગરે ભાજપની મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોર્પોરેટરના ઘર પર આવીને બુટલેગરો કોર્પોરેટરને તેમજ તેમના પતિને ધમકાવી રહ્યા છે.     

Bootleggers torture in Bhavnagar, threaten to kill BJP's female corporator Bhavnagar News: ભાવનગરમાં બુટલેગરો બેફામ, ભાજપની જ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની આપી ધમકી

ભાવનગરમાં બુટલેગર બેફામ બન્યા!

બુટલેગરોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. દારૂબંધી કાયદાને લઈ તેમને કેટલો ડર છે એ તો જાણીએ જ છીએ પરંતુ હવે તો ઘરમાં આવીને બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકી આપી રહ્યા છે. આનું તાજુ ઉદાહરણ છે ભાવનગર. શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મીલની ચાલીની નજીક રહેતા અને વડવા બ વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર સેજલબેન મહેશભાઈ ગોહિલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને એ પણ તેમના ઘરે. 

મહિલા કોર્પોરેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી 

જાનથી મારી નાખવાની ધમકી મળતા આ અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. ગૃહમંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બુટલેગરો ઘર પર પથ્થરમારો કરે છે. સેજલબેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં તેમણે તેમને મળતી ધમકીનો ઉલ્લેખ પણ કર્યો હતો. મહિલા કોર્પોરેટરને ધમકી મળી રહી હતી કે તમે ભાજપનું આટલું કામ ન કરો બાકી અમે તમને હેરાન કરીશું.  


ભાજપની મહિલા કોર્પોરેટર જ સુરક્ષિત નથી!

પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આવી ઘટનાઓ સામે આવતા એક પ્રશ્ન થાય કે જો બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી શકતા હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે? મહિલાઓની સુરક્ષા પર પણ અનેક ગંભીર સવાલો ઉભા થાય છે.  



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.