ભારતની ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં જીત, રવીન્દ્ર જાડેજા ઝળક્યો, સીરીઝમાં 2-0થી લીડ મેળવી


  • Published By :
  • Published Date : 2023-02-19 15:14:55

ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે તેની હરિફ ટીમ ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈંડિયાને જીત માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જો કે ભારતીય ટીમ રમતના ત્રીજા દિવસે જ ટી બ્રેક પહેલા સ્કોર સુધી પહોંચી ગઈ હતી. ભારત માટે બીજી ઈનિંગ્સમાં રોહિત શર્માએ 20 બોલમાં તોફાની 31 રન ફટકાર્યા હતા. જ્ચારે ચેતેશ્વર પુજારાએ પણ નોટઆઉટ 31 રનની મહત્વની ઈનિંગ્સ રમ્યો હતો. 


રવીન્દ્ર જાડેજાએ 7 વિકેટ લીધી 


ત્રીજા દિવસની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 61 રન અને એક વિકેટના નુકસાન પર રમવાનું શરૂ કર્યું, પણ પછી ભારતના બોલરોના આક્રમણ સામે ઝાઝું ટકી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 113 રનમાં જ ટીમ પવેલીયન ભેગી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બીજા સેશનમાં રવીન્દ્ર જાડેજાએ જ 7 વિકેટ લીધી અને અશ્વિને 3 વિકેટ લીધી હતી.


ટીમ ઈન્ડિયાની બેટિંગ નિરાશાજનક?

 

ટીમ ઈન્ડિયાનના રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની જોરદાર બોલિંગ કારણે ટીમ ઈન્ડિયાને માત્ર 115 રનનું જ લક્ષ્ય મળ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત તો ખરાબ જ થઈ હતી, રાહુલ તો માત્ર એક જ રન બનાવી શક્યો. રોહિત શર્માએ સારી ઈનિંગ રમી પણ 31 રનમાં જ આઉટ થઈ ગયા. બાદમાં 21 પર વિરાટ કોહલી અને 12 રને શ્રેયસ અય્યર પણ ચાલતો થઈ ગયો. પૂજારાએ 31 રન જ્યારે KS ભરતે 23 રન કરીને ભારતને જીત અપાવી હતી.


સીરીઝમાં ભારતની 2-0ની લીડ 


ભારતના નાગપુર બાદ દિલ્હી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. ભારતે આ ટેસ્ટ 3 દિવસમાં જ જીતી લીધી. તેની સાથે જ ભારતે 4 ટેસ્ટની સીરીઝમાં 2-0ની લીડ મેળવી હતી. ભારતે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે 4 વિકેટ ખોઈને પ્રાપ્ત કરી લીધો હતો. ચેતેશ્વર પુજારાએ નોટઆઉટ 31 રન ફટકાર્યા હતા.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.