ભારતની ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં જીત, રવીન્દ્ર જાડેજા ઝળક્યો, સીરીઝમાં 2-0થી લીડ મેળવી


  • Published By :
  • Published Date : 2023-02-19 15:14:55

ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે તેની હરિફ ટીમ ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈંડિયાને જીત માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જો કે ભારતીય ટીમ રમતના ત્રીજા દિવસે જ ટી બ્રેક પહેલા સ્કોર સુધી પહોંચી ગઈ હતી. ભારત માટે બીજી ઈનિંગ્સમાં રોહિત શર્માએ 20 બોલમાં તોફાની 31 રન ફટકાર્યા હતા. જ્ચારે ચેતેશ્વર પુજારાએ પણ નોટઆઉટ 31 રનની મહત્વની ઈનિંગ્સ રમ્યો હતો. 


રવીન્દ્ર જાડેજાએ 7 વિકેટ લીધી 


ત્રીજા દિવસની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 61 રન અને એક વિકેટના નુકસાન પર રમવાનું શરૂ કર્યું, પણ પછી ભારતના બોલરોના આક્રમણ સામે ઝાઝું ટકી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 113 રનમાં જ ટીમ પવેલીયન ભેગી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બીજા સેશનમાં રવીન્દ્ર જાડેજાએ જ 7 વિકેટ લીધી અને અશ્વિને 3 વિકેટ લીધી હતી.


ટીમ ઈન્ડિયાની બેટિંગ નિરાશાજનક?

 

ટીમ ઈન્ડિયાનના રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની જોરદાર બોલિંગ કારણે ટીમ ઈન્ડિયાને માત્ર 115 રનનું જ લક્ષ્ય મળ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત તો ખરાબ જ થઈ હતી, રાહુલ તો માત્ર એક જ રન બનાવી શક્યો. રોહિત શર્માએ સારી ઈનિંગ રમી પણ 31 રનમાં જ આઉટ થઈ ગયા. બાદમાં 21 પર વિરાટ કોહલી અને 12 રને શ્રેયસ અય્યર પણ ચાલતો થઈ ગયો. પૂજારાએ 31 રન જ્યારે KS ભરતે 23 રન કરીને ભારતને જીત અપાવી હતી.


સીરીઝમાં ભારતની 2-0ની લીડ 


ભારતના નાગપુર બાદ દિલ્હી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. ભારતે આ ટેસ્ટ 3 દિવસમાં જ જીતી લીધી. તેની સાથે જ ભારતે 4 ટેસ્ટની સીરીઝમાં 2-0ની લીડ મેળવી હતી. ભારતે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે 4 વિકેટ ખોઈને પ્રાપ્ત કરી લીધો હતો. ચેતેશ્વર પુજારાએ નોટઆઉટ 31 રન ફટકાર્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.