ઈન્સ્ટામાં ફોલોઅર્સ ન વધ્યાં તો યુવકે પી લીધું ઝેર ને પછી..


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 08:23:42

આજના સમયમાં કોઈક જ એવો સ્માર્ટ ફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એકપણ એપ્લિકેશન ન હોય. દૂર રહેતા સ્વજન-મિત્રના સંપર્કમાં રહેવાના હેતુ સાથે સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે પણ દૂર રહેતી વ્યક્તિથી ભલે નીકટના સંબંધો હોય કે નહીં પણ હવે તો ઘરના સદસ્યો સાથે જીવંત સંબંધ પણ નથી જોવા મળતો. ઉલટાનું પરિવારના વ્યક્તિઓ વચ્ચે પણ એક અદ્રશ્ય દિવાલ જોવા મળે છે. એટલે સોશિયલ મીડિયા બેધારી તલવારની જેમ જ ચાલે છે. એમાંય યુવાનો પર તો ખાસ.સોશિયલ મીડિયામાં ફોલોવર્સ ન વધવાના કારણે કોઈ જીવ ગુમાવે ખરા. નહીં પણ આવું થયું છે સુરતમાં. સોશિયલ મીડિયાના રવાડે ચડેલા યુવાનો માટે જિંદગી તો જાણે રમત બની ગઇ છે. યુવાનો સોશિયલ મીડિયાને જ જિંદગી માની બેઠા છે. સોશિયલ મીડિયાના વળગણને કારણે અનેક યુવાનો જિંદગીથી હાથ ધોઇ બેસે છે. એવી જ એક ઘટના સુરત કુંડીયાણા ગામમાં બની છે. જ્યાં 21 વર્ષીય પ્રતીક પટેલ નામના યુવકે ફેમસ થવાના ચક્કરમાં આપઘાત કરી લીધો છે. સોશિયલ મીડિયાનો કોન્ટેન્ટ ક્રિએટર પ્રતિક રિલ્સ બનાવવાનો શોખીન હતો. જો કે ફોલોઅર્સ ન વધતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ઓલપાડ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે. સુરત PIએ તમામ યુવકોને સોશિયલ મીડિયાને લઈ સલાહ આપી છે કે, ''માત્ર રિલ્સ બનાવીને જ સફળ થવાય તે જરૂરી નથી, ફેમસ થવા માટે બીજા ઘણા રસ્તા છે અને સારું ભણીને કે રમતમાં સારું પ્રદર્શન કરીને પ્રસિદ્ધિ મેળવી શકાય.

આપને એ જણાવી દઉં કે પ્રતિકના 7 હજાર કરતા વધારે ફોલોઅર્સ હતા. ગુરુવારે પ્રતિકે તેના ઘર પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંતિમ પગલું ભર્યું. એક રાહદારીએ તેને જમીન પર પડેલો જોયો ને તેના પરિવાર અને ગામના લોકોએ જાણ કરી પરિજનોને પણ શુક્રવારે તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસે તેનું સોશિયલ મીડિયા ફંફોળ્યુંતો ખ્યાલ આવ્યો કે પ્રતિકે 376 રીલ્સ બનાવી હતી. અને 7923 ફોલોઅર્સ હતા. પોતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર વોર્ડ બોય તરીકે કામ કરતો હતો.. પરિવારના સભ્યોએ કહ્યું કે એનું ધ્યાન સતત ફોલોઅર્સ પર જ હતું.. જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો.

પ્રતિક પટેલના ફેમિલી બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો તેના પિતા ઇશ્વરભાઈ જમુભાઈ પટેલ એક રિક્ષા ચાલક છે.  પ્રતિક વિશે એવું કહેવાતું હતું કે તે એક પ્રતિભાશાળી યુવાન હતો, જેણે જિલ્લા અને તાલુકા કક્ષાની ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક મેડલ જીત્યા હતા. તે રોજ ફિટનેસ સેન્ટરમાં જતો અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનું સપનું હતું કે તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ હોય અને તે એક સુપરસ્ટાર બને. જોકે, તેના 7,923 ફોલોઅર્સ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ઓછા લાગતા હતા, જેના કારણે તે લાંબા સમયથી હતાશા અનુભવી રહ્યો હતો. આ હતાશાએ અને એના કારણે આ આત્યાંતિક પગલું ભર્યું.સોશિયલ મીડિયાની લત લોકોને કઈ દિશામાં લઈ જાય છે તેનો અંદાજ જ નથી લગાવી શકાતો. આ થાય છે શું કામ તો ડિજિટલ જનરેશનનો સૌથી મોટો ડર એ છે કે તેઓ કોઈપણ માહિતીથી પાછળ ન રહી જાય. વ્હોટ્સએપથી થોડા સમય માટેનું અંતર તેમને ડરાવે છે. તેમને લાગે છે કે તેઓ કંઈપણ ચૂકી ન જાય. એને FOMO એટલે કે 'ફીયર ઓફ મિસિંગ આઉટ' કહેવામાં આવે છે. એ એક પ્રકારનો ફોબિયા છે. આ સ્થિતિમાં હંમેશાં નવું જોવા માટે આંગળીઓ ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર પર ફરે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર હજારો ફોલોઅર્સ જોઈને ઘણા લોકો ખુશ છે. YouTubeએ સિલ્વર બટન આપ્યું, રીલ્સે રેકોર્ડ બનાવ્યા. એવું લાગે છે કે આપણી સામાજિક મૂડી, સપોર્ટ સિસ્ટમ વધી છે, નેટવર્ક મજબૂત બન્યું છે, પરંતુ આ સિસ્ટમ જરૂર પડ્યે મદદ કરવા આગળ આવતી નથી. છતાંય સોશિયલ મીડિયાની ઘેલછા યુવકોને બરબાદ કરી રહી છે તે એ લોકો સમજતા જ નથી. એટલે સવાલ એ થાય કે શું ફોલોઅર્સ વધવા જિંદગી કરતા પણ વધુ મહત્વના?. સોશિયલ મીડિયા જીવનનો ભાગ છે જીવન નહીં, આ ક્યારે સમજશે યુવાનો ?સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરી રહ્યું છે, તે સમજવું કેમ અઘરું ?. અવળું પગલું ભરતા પહેલા યુવાનો કેમ નથી કરતા પરિવારની ચિંતા?. ફેમસ થવાની ઘેલછા હજુ કેટલાના લેશે જીવ?



દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.