ઈન્સ્ટામાં ફોલોઅર્સ ન વધ્યાં તો યુવકે પી લીધું ઝેર ને પછી..


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 08:23:42

આજના સમયમાં કોઈક જ એવો સ્માર્ટ ફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એકપણ એપ્લિકેશન ન હોય. દૂર રહેતા સ્વજન-મિત્રના સંપર્કમાં રહેવાના હેતુ સાથે સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે પણ દૂર રહેતી વ્યક્તિથી ભલે નીકટના સંબંધો હોય કે નહીં પણ હવે તો ઘરના સદસ્યો સાથે જીવંત સંબંધ પણ નથી જોવા મળતો. ઉલટાનું પરિવારના વ્યક્તિઓ વચ્ચે પણ એક અદ્રશ્ય દિવાલ જોવા મળે છે. એટલે સોશિયલ મીડિયા બેધારી તલવારની જેમ જ ચાલે છે. એમાંય યુવાનો પર તો ખાસ.સોશિયલ મીડિયામાં ફોલોવર્સ ન વધવાના કારણે કોઈ જીવ ગુમાવે ખરા. નહીં પણ આવું થયું છે સુરતમાં. સોશિયલ મીડિયાના રવાડે ચડેલા યુવાનો માટે જિંદગી તો જાણે રમત બની ગઇ છે. યુવાનો સોશિયલ મીડિયાને જ જિંદગી માની બેઠા છે. સોશિયલ મીડિયાના વળગણને કારણે અનેક યુવાનો જિંદગીથી હાથ ધોઇ બેસે છે. એવી જ એક ઘટના સુરત કુંડીયાણા ગામમાં બની છે. જ્યાં 21 વર્ષીય પ્રતીક પટેલ નામના યુવકે ફેમસ થવાના ચક્કરમાં આપઘાત કરી લીધો છે. સોશિયલ મીડિયાનો કોન્ટેન્ટ ક્રિએટર પ્રતિક રિલ્સ બનાવવાનો શોખીન હતો. જો કે ફોલોઅર્સ ન વધતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ઓલપાડ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે. સુરત PIએ તમામ યુવકોને સોશિયલ મીડિયાને લઈ સલાહ આપી છે કે, ''માત્ર રિલ્સ બનાવીને જ સફળ થવાય તે જરૂરી નથી, ફેમસ થવા માટે બીજા ઘણા રસ્તા છે અને સારું ભણીને કે રમતમાં સારું પ્રદર્શન કરીને પ્રસિદ્ધિ મેળવી શકાય.

આપને એ જણાવી દઉં કે પ્રતિકના 7 હજાર કરતા વધારે ફોલોઅર્સ હતા. ગુરુવારે પ્રતિકે તેના ઘર પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંતિમ પગલું ભર્યું. એક રાહદારીએ તેને જમીન પર પડેલો જોયો ને તેના પરિવાર અને ગામના લોકોએ જાણ કરી પરિજનોને પણ શુક્રવારે તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસે તેનું સોશિયલ મીડિયા ફંફોળ્યુંતો ખ્યાલ આવ્યો કે પ્રતિકે 376 રીલ્સ બનાવી હતી. અને 7923 ફોલોઅર્સ હતા. પોતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર વોર્ડ બોય તરીકે કામ કરતો હતો.. પરિવારના સભ્યોએ કહ્યું કે એનું ધ્યાન સતત ફોલોઅર્સ પર જ હતું.. જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો.

પ્રતિક પટેલના ફેમિલી બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો તેના પિતા ઇશ્વરભાઈ જમુભાઈ પટેલ એક રિક્ષા ચાલક છે.  પ્રતિક વિશે એવું કહેવાતું હતું કે તે એક પ્રતિભાશાળી યુવાન હતો, જેણે જિલ્લા અને તાલુકા કક્ષાની ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક મેડલ જીત્યા હતા. તે રોજ ફિટનેસ સેન્ટરમાં જતો અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનું સપનું હતું કે તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ હોય અને તે એક સુપરસ્ટાર બને. જોકે, તેના 7,923 ફોલોઅર્સ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ઓછા લાગતા હતા, જેના કારણે તે લાંબા સમયથી હતાશા અનુભવી રહ્યો હતો. આ હતાશાએ અને એના કારણે આ આત્યાંતિક પગલું ભર્યું.સોશિયલ મીડિયાની લત લોકોને કઈ દિશામાં લઈ જાય છે તેનો અંદાજ જ નથી લગાવી શકાતો. આ થાય છે શું કામ તો ડિજિટલ જનરેશનનો સૌથી મોટો ડર એ છે કે તેઓ કોઈપણ માહિતીથી પાછળ ન રહી જાય. વ્હોટ્સએપથી થોડા સમય માટેનું અંતર તેમને ડરાવે છે. તેમને લાગે છે કે તેઓ કંઈપણ ચૂકી ન જાય. એને FOMO એટલે કે 'ફીયર ઓફ મિસિંગ આઉટ' કહેવામાં આવે છે. એ એક પ્રકારનો ફોબિયા છે. આ સ્થિતિમાં હંમેશાં નવું જોવા માટે આંગળીઓ ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર પર ફરે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર હજારો ફોલોઅર્સ જોઈને ઘણા લોકો ખુશ છે. YouTubeએ સિલ્વર બટન આપ્યું, રીલ્સે રેકોર્ડ બનાવ્યા. એવું લાગે છે કે આપણી સામાજિક મૂડી, સપોર્ટ સિસ્ટમ વધી છે, નેટવર્ક મજબૂત બન્યું છે, પરંતુ આ સિસ્ટમ જરૂર પડ્યે મદદ કરવા આગળ આવતી નથી. છતાંય સોશિયલ મીડિયાની ઘેલછા યુવકોને બરબાદ કરી રહી છે તે એ લોકો સમજતા જ નથી. એટલે સવાલ એ થાય કે શું ફોલોઅર્સ વધવા જિંદગી કરતા પણ વધુ મહત્વના?. સોશિયલ મીડિયા જીવનનો ભાગ છે જીવન નહીં, આ ક્યારે સમજશે યુવાનો ?સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરી રહ્યું છે, તે સમજવું કેમ અઘરું ?. અવળું પગલું ભરતા પહેલા યુવાનો કેમ નથી કરતા પરિવારની ચિંતા?. ફેમસ થવાની ઘેલછા હજુ કેટલાના લેશે જીવ?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.