ઈન્સ્ટામાં ફોલોઅર્સ ન વધ્યાં તો યુવકે પી લીધું ઝેર ને પછી..


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 08:23:42

આજના સમયમાં કોઈક જ એવો સ્માર્ટ ફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એકપણ એપ્લિકેશન ન હોય. દૂર રહેતા સ્વજન-મિત્રના સંપર્કમાં રહેવાના હેતુ સાથે સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે પણ દૂર રહેતી વ્યક્તિથી ભલે નીકટના સંબંધો હોય કે નહીં પણ હવે તો ઘરના સદસ્યો સાથે જીવંત સંબંધ પણ નથી જોવા મળતો. ઉલટાનું પરિવારના વ્યક્તિઓ વચ્ચે પણ એક અદ્રશ્ય દિવાલ જોવા મળે છે. એટલે સોશિયલ મીડિયા બેધારી તલવારની જેમ જ ચાલે છે. એમાંય યુવાનો પર તો ખાસ.સોશિયલ મીડિયામાં ફોલોવર્સ ન વધવાના કારણે કોઈ જીવ ગુમાવે ખરા. નહીં પણ આવું થયું છે સુરતમાં. સોશિયલ મીડિયાના રવાડે ચડેલા યુવાનો માટે જિંદગી તો જાણે રમત બની ગઇ છે. યુવાનો સોશિયલ મીડિયાને જ જિંદગી માની બેઠા છે. સોશિયલ મીડિયાના વળગણને કારણે અનેક યુવાનો જિંદગીથી હાથ ધોઇ બેસે છે. એવી જ એક ઘટના સુરત કુંડીયાણા ગામમાં બની છે. જ્યાં 21 વર્ષીય પ્રતીક પટેલ નામના યુવકે ફેમસ થવાના ચક્કરમાં આપઘાત કરી લીધો છે. સોશિયલ મીડિયાનો કોન્ટેન્ટ ક્રિએટર પ્રતિક રિલ્સ બનાવવાનો શોખીન હતો. જો કે ફોલોઅર્સ ન વધતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ઓલપાડ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે. સુરત PIએ તમામ યુવકોને સોશિયલ મીડિયાને લઈ સલાહ આપી છે કે, ''માત્ર રિલ્સ બનાવીને જ સફળ થવાય તે જરૂરી નથી, ફેમસ થવા માટે બીજા ઘણા રસ્તા છે અને સારું ભણીને કે રમતમાં સારું પ્રદર્શન કરીને પ્રસિદ્ધિ મેળવી શકાય.

આપને એ જણાવી દઉં કે પ્રતિકના 7 હજાર કરતા વધારે ફોલોઅર્સ હતા. ગુરુવારે પ્રતિકે તેના ઘર પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંતિમ પગલું ભર્યું. એક રાહદારીએ તેને જમીન પર પડેલો જોયો ને તેના પરિવાર અને ગામના લોકોએ જાણ કરી પરિજનોને પણ શુક્રવારે તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસે તેનું સોશિયલ મીડિયા ફંફોળ્યુંતો ખ્યાલ આવ્યો કે પ્રતિકે 376 રીલ્સ બનાવી હતી. અને 7923 ફોલોઅર્સ હતા. પોતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર વોર્ડ બોય તરીકે કામ કરતો હતો.. પરિવારના સભ્યોએ કહ્યું કે એનું ધ્યાન સતત ફોલોઅર્સ પર જ હતું.. જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો.

પ્રતિક પટેલના ફેમિલી બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો તેના પિતા ઇશ્વરભાઈ જમુભાઈ પટેલ એક રિક્ષા ચાલક છે.  પ્રતિક વિશે એવું કહેવાતું હતું કે તે એક પ્રતિભાશાળી યુવાન હતો, જેણે જિલ્લા અને તાલુકા કક્ષાની ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક મેડલ જીત્યા હતા. તે રોજ ફિટનેસ સેન્ટરમાં જતો અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનું સપનું હતું કે તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ હોય અને તે એક સુપરસ્ટાર બને. જોકે, તેના 7,923 ફોલોઅર્સ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ઓછા લાગતા હતા, જેના કારણે તે લાંબા સમયથી હતાશા અનુભવી રહ્યો હતો. આ હતાશાએ અને એના કારણે આ આત્યાંતિક પગલું ભર્યું.સોશિયલ મીડિયાની લત લોકોને કઈ દિશામાં લઈ જાય છે તેનો અંદાજ જ નથી લગાવી શકાતો. આ થાય છે શું કામ તો ડિજિટલ જનરેશનનો સૌથી મોટો ડર એ છે કે તેઓ કોઈપણ માહિતીથી પાછળ ન રહી જાય. વ્હોટ્સએપથી થોડા સમય માટેનું અંતર તેમને ડરાવે છે. તેમને લાગે છે કે તેઓ કંઈપણ ચૂકી ન જાય. એને FOMO એટલે કે 'ફીયર ઓફ મિસિંગ આઉટ' કહેવામાં આવે છે. એ એક પ્રકારનો ફોબિયા છે. આ સ્થિતિમાં હંમેશાં નવું જોવા માટે આંગળીઓ ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર પર ફરે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર હજારો ફોલોઅર્સ જોઈને ઘણા લોકો ખુશ છે. YouTubeએ સિલ્વર બટન આપ્યું, રીલ્સે રેકોર્ડ બનાવ્યા. એવું લાગે છે કે આપણી સામાજિક મૂડી, સપોર્ટ સિસ્ટમ વધી છે, નેટવર્ક મજબૂત બન્યું છે, પરંતુ આ સિસ્ટમ જરૂર પડ્યે મદદ કરવા આગળ આવતી નથી. છતાંય સોશિયલ મીડિયાની ઘેલછા યુવકોને બરબાદ કરી રહી છે તે એ લોકો સમજતા જ નથી. એટલે સવાલ એ થાય કે શું ફોલોઅર્સ વધવા જિંદગી કરતા પણ વધુ મહત્વના?. સોશિયલ મીડિયા જીવનનો ભાગ છે જીવન નહીં, આ ક્યારે સમજશે યુવાનો ?સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરી રહ્યું છે, તે સમજવું કેમ અઘરું ?. અવળું પગલું ભરતા પહેલા યુવાનો કેમ નથી કરતા પરિવારની ચિંતા?. ફેમસ થવાની ઘેલછા હજુ કેટલાના લેશે જીવ?



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.