Social Media પર ટ્રેન્ડ થયું #Boycott TMKOC, દયા ભાભીની રાહ જોઈ રહેલા દર્શકોને મળી નિરાશા..!


  • Published By :
  • Published Date : 2023-12-03 11:47:18

સોની સબ પર આવતો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. અનેક વખત પોઝિટિવ વસ્તુઓને લઈ આ શો ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે નેગેટિવ # સાથે આ સિરિયલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. શોમાં ઘણા વર્ષોથી દયા ટપ્પુ કે પાપા ગઢા એટલે કે દયા ભાભીની રાહ જોવાઈ રહી હતી. અનેક વખત દયા ભાભી પાછા ગોકુલધામ આવી રહ્યા છે તેવી ચર્ચાઓ થઈ હતી. છેલ્લા ઘણા સમયથી આ શો દયાભાભી વગર ચાલતો હતો ત્યારે થોડા સમય પહેલા સિરિયલમાં એવો માહોલ બનાવવામાં આવ્યો કે દયા ભાભી આ દિવાળીએ ગોકુલધામ પાછા આવી રહ્યા છે,. પરંતુ ફરીથી આ વખતે દર્શકોને નિરાશા મળી. ત્યારે સોશિયલ મીડિયા પર બોયકોટ TMKOC ટ્રેન્ડ થઈ રહ્યું છે. 


દયાભાભી ક્યારે પાછા આવશે તે અંગે અનેક વખત પૂછાયા છે પ્રશ્નો! 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ઘણા વર્ષોથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. લાખો લોકો હશે જે આ શોના દિવાના છે. એક એવી જનરેશન છે જે  આ શોને જોઈ મોટી થઈ છે. આજે પણ અનેક દર્શકો આ શો જોતા હોય છે પરંતુ જુના શો. એ એપિસોડ જેમાં દયાભાભીનું પાત્ર હોય. અનેક વર્ષોથી શોમાં દયા ભાભીનું પાત્ર નથી. દયાભાભીના પાત્રને દર્શકો યાદ કરી રહ્યા છે. દયાભાભી ક્યારે પાછા આવશે તેવા પ્રશ્નો અનેક વખત આશિત કુમાર મોદીને પૂછવામાં આવ્યું પરંતુ એવો જવાબ આપવામાં આવતો કે ટૂંક સમયમાં તે પાછા શોમાં આવશે. 



જેઠાલાલાના વીડિયો સાથે લોકો કરી રહ્યા છે ટ્વિટ

આવા સમાચાર મળતા દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળતો હતો કે દયાભાભી પાછા આવી રહ્યા છે. આ આશા સાથે દર્શકો શોને જોઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત દર્શકોની આશા તૂટી છે. દયાભાભીનું પાત્ર ન આવતા સોશિયલ મીડિયા પર દર્શકોને ગુસ્સો તૂટી પડ્યો છે. શોને બોયકોટ કરવાની વાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. અનેક ટ્વિટ આ # સાથે કરવામાં આવ્યા છે. આ # સાથે જેઠાલાલનો વીડિયો મુકવામાં આવ્યો છે જેમાં જેઠાલાલ રડી રહ્યા છે. ત્યારે આ #ને કારણે શોની લોકપ્રિયતા પર શું અસર થશે તેના પર એક પ્રશ્ન છે...         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.