Social Media પર ટ્રેન્ડ થયું #Boycott TMKOC, દયા ભાભીની રાહ જોઈ રહેલા દર્શકોને મળી નિરાશા..!


  • Published By :
  • Published Date : 2023-12-03 11:47:18

સોની સબ પર આવતો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. અનેક વખત પોઝિટિવ વસ્તુઓને લઈ આ શો ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે નેગેટિવ # સાથે આ સિરિયલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. શોમાં ઘણા વર્ષોથી દયા ટપ્પુ કે પાપા ગઢા એટલે કે દયા ભાભીની રાહ જોવાઈ રહી હતી. અનેક વખત દયા ભાભી પાછા ગોકુલધામ આવી રહ્યા છે તેવી ચર્ચાઓ થઈ હતી. છેલ્લા ઘણા સમયથી આ શો દયાભાભી વગર ચાલતો હતો ત્યારે થોડા સમય પહેલા સિરિયલમાં એવો માહોલ બનાવવામાં આવ્યો કે દયા ભાભી આ દિવાળીએ ગોકુલધામ પાછા આવી રહ્યા છે,. પરંતુ ફરીથી આ વખતે દર્શકોને નિરાશા મળી. ત્યારે સોશિયલ મીડિયા પર બોયકોટ TMKOC ટ્રેન્ડ થઈ રહ્યું છે. 


દયાભાભી ક્યારે પાછા આવશે તે અંગે અનેક વખત પૂછાયા છે પ્રશ્નો! 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ઘણા વર્ષોથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. લાખો લોકો હશે જે આ શોના દિવાના છે. એક એવી જનરેશન છે જે  આ શોને જોઈ મોટી થઈ છે. આજે પણ અનેક દર્શકો આ શો જોતા હોય છે પરંતુ જુના શો. એ એપિસોડ જેમાં દયાભાભીનું પાત્ર હોય. અનેક વર્ષોથી શોમાં દયા ભાભીનું પાત્ર નથી. દયાભાભીના પાત્રને દર્શકો યાદ કરી રહ્યા છે. દયાભાભી ક્યારે પાછા આવશે તેવા પ્રશ્નો અનેક વખત આશિત કુમાર મોદીને પૂછવામાં આવ્યું પરંતુ એવો જવાબ આપવામાં આવતો કે ટૂંક સમયમાં તે પાછા શોમાં આવશે. 



જેઠાલાલાના વીડિયો સાથે લોકો કરી રહ્યા છે ટ્વિટ

આવા સમાચાર મળતા દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળતો હતો કે દયાભાભી પાછા આવી રહ્યા છે. આ આશા સાથે દર્શકો શોને જોઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત દર્શકોની આશા તૂટી છે. દયાભાભીનું પાત્ર ન આવતા સોશિયલ મીડિયા પર દર્શકોને ગુસ્સો તૂટી પડ્યો છે. શોને બોયકોટ કરવાની વાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. અનેક ટ્વિટ આ # સાથે કરવામાં આવ્યા છે. આ # સાથે જેઠાલાલનો વીડિયો મુકવામાં આવ્યો છે જેમાં જેઠાલાલ રડી રહ્યા છે. ત્યારે આ #ને કારણે શોની લોકપ્રિયતા પર શું અસર થશે તેના પર એક પ્રશ્ન છે...         



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.