કેનેડા જવાનું સપનું જોતા યુવાનો પહેલા આ વાયરલ વીડિયો ખાસ જુઓ, જાણો કેનેડાની હકીકત


  • Published By :
  • Published Date : 2023-08-02 22:03:41

ગુજરાતના લોકોને કેનેડામાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના યુવાનો સ્ટુડન્ટ વીઝા કે પછી વર્ક પરમીટ દ્વારા કેનેડા જવા માટે તલપાપડ રહેતા હોય છે. કેનેડામાં બધી મોજ જ મોજ છે  તેવી એક સમાન્ય માન્યતા ઘર કરી ગઈ છે જો કે તેવું હકીકતમાં છે નહીં. કેનેડામાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને નોકરીના ફાંફા પડી રહ્યા છે. હાલ સોશિયલ મિડીયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેનેડાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ એક સુપરમાર્કેટમાં નોકરી માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે.


કેનેડાના બ્રેમ્પટન સીટીનો વીડિયો વાયરલ


કેનેડાના બ્રેમ્પટન સીટીમાં તાજેતરમાં લેવામાં આવેલી એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કારણ કે તેમાં સ્થાનિક  સુપરમાર્કેટમાં નોકરીમાં જોબ ફેરમાં નોકરી મેળવવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી. @BramaleaRd દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વિડિયોમાં નોકરી માટે લાઈન લગાવતા સેંકડો જોવા મળે છે. આ જોબ ફેરમાં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે તે જાણવા ઉત્સુકતા ધરાવતા હતા, તેમજ નોકરીવાંચ્છુંઓને કેટલાય કલાક રાહ જોવાની ફરજ પડી હતી.જેમાંથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓ છે, બોવેર્ડ ડ્રાઈવ ઈસ્ટ અને માઉન્ટેનશ રોડ નજીકના ફોર્ટિનોસ સુપરમાર્કેટની બહાર લાઇન બતાવે છે કે કેનેડામાં કેટલી હદે બેકારી છે. બ્રેમ્પટન સીટી ઓન્ટારિયોના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં આવેલું કેનેડાનું શહેર છે.


સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો થયો


હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. કેનેડામાં નોકરીની અછત સર્જાતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ વીડિયોમાં યુવક-યુવતીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડામાં જોબ ફેરમાં યુવક-યુવતીઓની લાંબી લાઈન લાગેલી છે. સુપરમાર્કેટમાં નોકરી મેળવવા માટે યુવક-યુવતીઓની લાંબી લાઈન લાગેલી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્લિપને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં ઘણા ઉત્તરદાતાઓએ કેનેડામાં  વધતી બેરોજગારી, GTA માં રહેઠાણ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.