Breaking News : BCCIએ આખરે આ ખેલાડીઓ સાથેના કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કર્યો છે, આ કારણોસર કેન્સલ કરાયા કરાર


  • Published By :
  • Published Date : 2024-02-28 18:27:22

BCCI દ્વારા બુધવારે ખેલાડીઓની વાર્ષિક કરાર લિસ્ટની ઘોષણા કરી છે. વર્ષ 2023-24 માટે બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં બે ખેલાડીઓના નામને કેન્સલ કરવામાં આવ્યા છે. જેમના કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યા છે તે છે શ્રેયસ અય્યર અને ઈશાન કિસાન. બંને ખેલાડીઓએ રણજી મેચ નથી રમી જેને કારણે તેમના કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. બીસીસીઆઈએ યુવા ખેલાડીઓને મોકો પણ આપ્યો છે. રિંકુ સિંહ તેમજ શિવમ દુબે જેવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે.


ભારત દેશ માટે રમવું એ ગોરવની વાત છે...

બીસીસીઆઈએ વારંવાર ખેલાડીઓને ચેતવણી આપી હતી કે આઈપીએલની સામે ઘરેલુ ક્રિકેટને પણ મહત્વ આપવામાં આવે, પણ જો કે આ ખેલાડીઓ સતત આ વાતને ઈગ્નોર કરીને માત્ર બહાનેબાજી કરી રહ્યા હતા, ભારતીય ક્રિકેટ ટીમમાં રમવુ એ દેશની વિશાળ આબાદીનું સપનું છે, ગલીમાં સવાર સાંજ ક્રિકેટ રમતા કોઈ પણ છોકરાને જઈને પુછો તો એનો જવાબ હંમેશા પહેલા કપિલ દેવ, પછી ધોની અને હમણાં કોહલી બનવાનો હોય, ક્રિકેટરને લોકો ના માત્ર સન્માન કે પ્રેમ આપે છે પણ બીસીસીઆઈ અઢળક રૂપિયા પણ આપે છે, આ જ લોકપ્રિયતાના દમ પર એમને લાખો કરોડોની જાહેરાતો પણ મળે છે, અચાનક જ એ લોકો સ્ટાર અને સેલિબ્રીટી બને છે, પણ મૂળ વાત ઘણીવાર ઘણા ક્રિકેટર્સ ભુલી જાય છે કે એ બધી જ લોકપ્રિયતાનો આધાર માત્ર એમની આવડત નહીં પણ ભારતની ટીમમાં રમવાનો એમને મળેલો ચાન્સ પણ છે.


ખૈર, મૂળ વાત પર પાછા આવીએ, રણજી એ કોઈ પણ ખેલાડી માટે એન્ટ્રી પોઈન્ટ બનતો હોય છે, શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને પણ રણજી રમવા માટે કહેવામાં આવ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જો કે બંનેએ ખોટા કારણો સામે ધર્યા હતા, ઈશાન કિશનને ઝારખંડમાં રણજી રમવાનું કહ્યું તો ભાગ ના લીધો અને વડોદરામાં કૃણાલ પંડ્યા સાથે આઈપીએલની પ્રેક્ટીસ કરતા જોવા મળ્યો, તો શ્રેયસ ઐયરને મુંબઈની આસામ સામેની મેચમાં હાજર રહેવાનું કહ્યું તો બેક ઈન્જરીનું કારણ ધરીને મુંબઈ ક્રિકેટ એસોસીએશન સમક્ષ સિલેક્શન સમયે હાજર ના થયો, પછીથી નેશનલ ક્રિકેટ એકેડમીએ બીસીસીઆઈને જાણ કરી કે શ્રેયસ ઐયર એકદમ ફીટ છે. 

Rahul Dravid: રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટની 'દિવાલ' બનાવનારા 5 મોટા  રેકોર્ડ, જેના વિશે તમે કેટલુ જાણો છો? - Gujarati News | Rahul Dravid 5 Big  Record that made him The Wall of


ટીમમાં રહેવા માટે પરફોર્મન્સ પણ ટકાવી રાખવું જરૂરી છે..

મુખ્ય કોચ રાહુલ દ્રવીડ પણ એ વારંવાર સ્પષ્ટ કરી ચુક્યા હતા કે દેશની ટીમમાં ટકી રહેવા માટે તમારે પર્ફોમન્સને પણ ટકાવી રાખવુ જરૂરી છે, જો કે ક્રિકેટર્સ મળે એનું સન્માન દરેક વખતે નથી કરી શકતા. આ વાત ખાલી ક્રિકેટર્સની જ નથી, દરેક ગ્લેમરસ દુનિયામાં આ ઉદાહરણો જોવા મળ્યા છે કે જે મળે છે એની કદર ઘણા બધા લોકો નથી કરી શકતા, ના એ સમજે છે કે જેટલું અઘરુ કશુંક મેળવવુ છે એટલું જ અઘરુ એને ટકાવી રાખવુ પણ,

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.