Breaking News : BCCIએ આખરે આ ખેલાડીઓ સાથેના કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કર્યો છે, આ કારણોસર કેન્સલ કરાયા કરાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-28 18:27:22

BCCI દ્વારા બુધવારે ખેલાડીઓની વાર્ષિક કરાર લિસ્ટની ઘોષણા કરી છે. વર્ષ 2023-24 માટે બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં બે ખેલાડીઓના નામને કેન્સલ કરવામાં આવ્યા છે. જેમના કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યા છે તે છે શ્રેયસ અય્યર અને ઈશાન કિસાન. બંને ખેલાડીઓએ રણજી મેચ નથી રમી જેને કારણે તેમના કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. બીસીસીઆઈએ યુવા ખેલાડીઓને મોકો પણ આપ્યો છે. રિંકુ સિંહ તેમજ શિવમ દુબે જેવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે.


ભારત દેશ માટે રમવું એ ગોરવની વાત છે...

બીસીસીઆઈએ વારંવાર ખેલાડીઓને ચેતવણી આપી હતી કે આઈપીએલની સામે ઘરેલુ ક્રિકેટને પણ મહત્વ આપવામાં આવે, પણ જો કે આ ખેલાડીઓ સતત આ વાતને ઈગ્નોર કરીને માત્ર બહાનેબાજી કરી રહ્યા હતા, ભારતીય ક્રિકેટ ટીમમાં રમવુ એ દેશની વિશાળ આબાદીનું સપનું છે, ગલીમાં સવાર સાંજ ક્રિકેટ રમતા કોઈ પણ છોકરાને જઈને પુછો તો એનો જવાબ હંમેશા પહેલા કપિલ દેવ, પછી ધોની અને હમણાં કોહલી બનવાનો હોય, ક્રિકેટરને લોકો ના માત્ર સન્માન કે પ્રેમ આપે છે પણ બીસીસીઆઈ અઢળક રૂપિયા પણ આપે છે, આ જ લોકપ્રિયતાના દમ પર એમને લાખો કરોડોની જાહેરાતો પણ મળે છે, અચાનક જ એ લોકો સ્ટાર અને સેલિબ્રીટી બને છે, પણ મૂળ વાત ઘણીવાર ઘણા ક્રિકેટર્સ ભુલી જાય છે કે એ બધી જ લોકપ્રિયતાનો આધાર માત્ર એમની આવડત નહીં પણ ભારતની ટીમમાં રમવાનો એમને મળેલો ચાન્સ પણ છે.


ખૈર, મૂળ વાત પર પાછા આવીએ, રણજી એ કોઈ પણ ખેલાડી માટે એન્ટ્રી પોઈન્ટ બનતો હોય છે, શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને પણ રણજી રમવા માટે કહેવામાં આવ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જો કે બંનેએ ખોટા કારણો સામે ધર્યા હતા, ઈશાન કિશનને ઝારખંડમાં રણજી રમવાનું કહ્યું તો ભાગ ના લીધો અને વડોદરામાં કૃણાલ પંડ્યા સાથે આઈપીએલની પ્રેક્ટીસ કરતા જોવા મળ્યો, તો શ્રેયસ ઐયરને મુંબઈની આસામ સામેની મેચમાં હાજર રહેવાનું કહ્યું તો બેક ઈન્જરીનું કારણ ધરીને મુંબઈ ક્રિકેટ એસોસીએશન સમક્ષ સિલેક્શન સમયે હાજર ના થયો, પછીથી નેશનલ ક્રિકેટ એકેડમીએ બીસીસીઆઈને જાણ કરી કે શ્રેયસ ઐયર એકદમ ફીટ છે. 

Rahul Dravid: રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટની 'દિવાલ' બનાવનારા 5 મોટા  રેકોર્ડ, જેના વિશે તમે કેટલુ જાણો છો? - Gujarati News | Rahul Dravid 5 Big  Record that made him The Wall of


ટીમમાં રહેવા માટે પરફોર્મન્સ પણ ટકાવી રાખવું જરૂરી છે..

મુખ્ય કોચ રાહુલ દ્રવીડ પણ એ વારંવાર સ્પષ્ટ કરી ચુક્યા હતા કે દેશની ટીમમાં ટકી રહેવા માટે તમારે પર્ફોમન્સને પણ ટકાવી રાખવુ જરૂરી છે, જો કે ક્રિકેટર્સ મળે એનું સન્માન દરેક વખતે નથી કરી શકતા. આ વાત ખાલી ક્રિકેટર્સની જ નથી, દરેક ગ્લેમરસ દુનિયામાં આ ઉદાહરણો જોવા મળ્યા છે કે જે મળે છે એની કદર ઘણા બધા લોકો નથી કરી શકતા, ના એ સમજે છે કે જેટલું અઘરુ કશુંક મેળવવુ છે એટલું જ અઘરુ એને ટકાવી રાખવુ પણ,

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.