Breaking News : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ચાર રાજ્યોના બદલ્યા પ્રદેશ પ્રમુખ


  • Published By :
  • Published Date : 2023-07-04 17:17:59

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને બદલવામાં આવ્યા છે. જે અંતર્ગત પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી મંડળની બેઠક યોજી હતી જે પાંચેક કલાક સુધી ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોય શકે, જો કે રાજકીય પાર્ટીઓ બહુ પહેલાથી પોતાની પરીક્ષાની તૈયારીઓ એટલે કે ચૂંટણીની તૈયારીઓ કરતા હોય છે તો ભાજપે પણ તેવી જ રીતે આ નિર્ણય લીધો છે. 

નવા નિમણૂંક થયેલા અધ્યક્ષોના રાજકીય સફરની વાત કરીએ તો....

પંજાબની વાત કરીએ તો હમણા 2022માં જ પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકારી બનાવી છે. ભાજપે સુનિલ ઝાખડને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે પણ ત્યાં હાલ કોઈ મોટી ચૂંટણીઓ નથી. છે તો બસ મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. બાકી સામાન્ય ચૂંટણીઓ 2019માં યોજાઈ હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પંજાબમાં 2018માં યોજાઈ હતી. પણ પંજાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવા પાછળનું કારણ છે ત્યાંના ભાજપના પ્રદેશ પ્રમુખ અશ્વિનિ કુમાર શર્મા પ્રદેશ પ્રમુખ તરીકે કથિત રીતે નિષ્ફળ રહ્યા છે. માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી સુનિલ ઝાખડ લીધા અને ત્યારે જ તેમને કથિત રીતે વચન આપવામાં આવ્યું હતું કે ભાજપમાં મોટું પદ આપવામાં આવસે અને એ પદ આજે મળી ગયું છે. સુનીલ જાખડને પંજાબના પ્રદેશ પ્રમુખ બનાવી દીધા છે. 


હવે વાત આંધ્રપ્રદેશની કરીએ. તો ત્યાં ડી પુરંદેશ્વરીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જૂન 2014માં આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીએ ત્યાં સરકાર બનાવી હતી. તેમની વચ્ચે અને તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ વચ્ચે ખરાખરીનો જંગ ચાલે છે, ભાજપ હવે આંધ્રપ્રદેશમાં કેટલું ફાવશે તે જોવાનું રહેશે. ડી પુરંદેશ્વરીની વાત કરીએ તો તેમને દક્ષિણના સુષ્મા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. તે વિશાખાપટ્ટનમથી સાંસદ રહ્યા છે.. 2014 પહેલા કોંગ્રેસ સાથે તે જોડાયેલા હતા પણ હવે ભાજપ સાથે જોડાયેલા છે. 


તેલંગાણાની વાત કરીએ તો ત્યાં કે ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટીનો દબદબો છે. કોંગ્રેસના એઆર રેડ્ડીને પણ મોટા નેતા માનવામાં આવે છે. તેલંગાણામાં જાન્યુઆરી 2024માં વિધાનસભાની ચૂંટણી છે અને તમામ પક્ષોએ દમથી લડવા તૈયારીઓ કરી છે. ગયા વખતે 2018માં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કેસીઆર જીત્યા હતા અને બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. જી કિશન રેડ્ડી હવે તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપવાના છે. તે સિકંદરાબાદથી ભાજપના એમપી છે. 1977માં જનતાપાર્ટીથી તેમના રાજકીય સફરની શરૂઆત થઈ હતી. 


ઝારખંડની વાત કરીએ તો બાબુલાલ મરાંડીને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. નવેમ્બર-ડિસેમ્બર 2024માં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી છે માટે ભાજપે બાબુલાલ મરાંડીને મોકો આપ્યો છે. હાલ ત્યાં ઝારખંડ મુક્તિ મોર્ચાના હેમંત સોરેનની સરકાર છે. ત્યાં હેમંત સોરેનની પાર્ટીનું મહાગઠબંધન છે અને તેમણે જ સરકાર બનાવી છે. જેમાં કોંગ્રેસ, આરજેડી અને એનસીપી પક્ષો સામેલ છે. સામે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની વાત કરીએ તો ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ય યુનિયન બંને સાથે લડી રહ્યા છે. ત્રીજી બાજુ ઝારખંડમાં ડાબેરી વિચારધારાની પણ અનેક પાર્ટી છે જેનો ભારે દબદબો છે. બાબુલાલ મરાંડની વાત કરીએ તો ઝારખંડ બન્યા બાદ તે પહેલા મુખ્યમંત્રી હતા. અત્યાર સુધી તે ઝારખંડમાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે ઝારખંડ વિકાસ મોરચા નામની પાર્ટી બનાવી હતી. આ સાથે તે ચાર ટર્મ સુધી સાંસદ પણ રહેલા છે. હવે ભાજપે તેમને મોટી જવાબદારી આપી છે. બાબુલાલ મરાંડીના રાજકીય સફરની શરૂઆત પણ ભાજપ સાથે જ થઈ હતી. હજુ પણ અમુક રાજ્યોના પ્રદેશ પ્રમુખને બદલાવાની વાત થઈ રહી છે પણ હવે જ્યારે બદલાશે ત્યારે જોવાનું રહેશે બાકી હાલ તો ખાલી ચર્ચાઓ જ ચાલી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં સરપ્રાઈઝ બહુ આવતા હોય છે તો ગુજરાતમાંથી પણ કોઈ સરપ્રાઈઝ આવશે કે નહીં તે જોવાનું રહેશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.