Breaking News : Bhavnagar અને Jamnagarને મળ્યા પ્રથમ નાગરિક, જાણો કોની કરાઈ પસંદગી?


  • Published By :
  • Published Date : 2023-09-12 12:08:50

ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના મેયર તરીકે વિનોદ ખીમસુરીયાની વરણી કરવામાં આવી છે. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જામનગર સ્ટેડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોશીના નામની વરણી કરવામાં આવી છે. 

(ફોટો - જામનગરના મેયર ભરત બારડ)

6 મહાનગરોને મળ્યા છે નવા મેયર 

મહત્વનું છે કે 6 મહાનગર પાલિકાઓમાં મેયરની વરણી કરવામાં આવવાની હતી. ગઈકાલે અમદાવાદ તેમજ વડોદરાના મેયરની વરણી કરવામાં આવી હતી. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને જ્યારે વડોદરાની સુકાન પિન્કી સોનીને સોંપવામાં આવી હતી. તે ઉપરાંત આજે સુરતના મેયરની વરણી પણ કરવામાં આવી. દક્ષેશ માવાણીને સુરતના મેયર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નરેશ પાટીલની પસંદગી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટના મેયર તરીકે નયના પઢેડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી