Breaking News : Bhavnagar અને Jamnagarને મળ્યા પ્રથમ નાગરિક, જાણો કોની કરાઈ પસંદગી?


  • Published By :
  • Published Date : 2023-09-12 12:08:50

ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના મેયર તરીકે વિનોદ ખીમસુરીયાની વરણી કરવામાં આવી છે. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જામનગર સ્ટેડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોશીના નામની વરણી કરવામાં આવી છે. 

(ફોટો - જામનગરના મેયર ભરત બારડ)

6 મહાનગરોને મળ્યા છે નવા મેયર 

મહત્વનું છે કે 6 મહાનગર પાલિકાઓમાં મેયરની વરણી કરવામાં આવવાની હતી. ગઈકાલે અમદાવાદ તેમજ વડોદરાના મેયરની વરણી કરવામાં આવી હતી. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને જ્યારે વડોદરાની સુકાન પિન્કી સોનીને સોંપવામાં આવી હતી. તે ઉપરાંત આજે સુરતના મેયરની વરણી પણ કરવામાં આવી. દક્ષેશ માવાણીને સુરતના મેયર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નરેશ પાટીલની પસંદગી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટના મેયર તરીકે નયના પઢેડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.