Breaking News : Bhavnagar અને Jamnagarને મળ્યા પ્રથમ નાગરિક, જાણો કોની કરાઈ પસંદગી?


  • Published By :
  • Published Date : 2023-09-12 12:08:50

ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના મેયર તરીકે વિનોદ ખીમસુરીયાની વરણી કરવામાં આવી છે. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જામનગર સ્ટેડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોશીના નામની વરણી કરવામાં આવી છે. 

(ફોટો - જામનગરના મેયર ભરત બારડ)

6 મહાનગરોને મળ્યા છે નવા મેયર 

મહત્વનું છે કે 6 મહાનગર પાલિકાઓમાં મેયરની વરણી કરવામાં આવવાની હતી. ગઈકાલે અમદાવાદ તેમજ વડોદરાના મેયરની વરણી કરવામાં આવી હતી. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને જ્યારે વડોદરાની સુકાન પિન્કી સોનીને સોંપવામાં આવી હતી. તે ઉપરાંત આજે સુરતના મેયરની વરણી પણ કરવામાં આવી. દક્ષેશ માવાણીને સુરતના મેયર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નરેશ પાટીલની પસંદગી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટના મેયર તરીકે નયના પઢેડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.