Breaking News : Moroccoમાં આવેલા ભૂકંપે મચાવી તબાહી, ધરતીકંપ થવાને કારણે થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-09-09 11:31:20

વિશ્વના અનેક દેશોમાં ભારે ભૂકંપને કારણે તબાહી સર્જાતી હોય છે. ત્યારે મોરક્કોમાં શુક્રવાર મોડી રાત્રે એટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો કે 290થી વધારે લોકોના મોત થઈ ગયા. શુક્રવાર મોડી રાત્રે મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મોરક્કોના ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ તીવ્ર ભૂકંપને કારણે લગભગ 296 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 153 ઘાયલ થયા છે. 

રાજધાની રબાતમાં પણ લોકોએ આખી રાત રસ્તા પર પસાર કરી હતી.



મારકેશ શહેરમાં એક મકાન ધરાશાયી થયું.

આ મારકેશ શહેરની મસ્જિદ છે, જે ભૂકંપથી નાશ પામી છે.

6.8 તીવ્રતાનો ભૂકંપ આવતા મચી તબાહી 

શુક્રવાર મોડી રાત્રે આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ હતી. હજી સુધી મરનારની સંખ્યા 296 આસપાસ પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ મોતનો આંકડો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો, અમેરિકાના જિયોલોજિકલ સર્વેએ જે માહિતી આપી છે તે મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મરક્કેશ શહેરથી 71 કિમી દૂર હતું. 

ભારત મોરક્કોને સંભવિત તમામ મદદ કરશે - પીએમ મોદી  

સ્થાનિય સમયાનુસાર ભૂકંપના આંચકા 11.11 વાગ્યે મહેસૂસ કરાયા હતા. આટલી તીવ્રતાથી ભૂકંપ આવવાથી અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી. પત્તાની જેમ ઈમારતો પડવા લાગી. અનેક લોકોના મોત તો હજી સુધી થઈ ગયા છે જ્યારે હજૂ પણ આ મોતનો આંકડો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભૂકંપ સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે આટલી તીવ્રતાનો ભૂકંપ 100થી વધારે વર્ષો બાદ નોંધાયો છે. આ ભૂકંપને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે.    



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.