Breaking News : Moroccoમાં આવેલા ભૂકંપે મચાવી તબાહી, ધરતીકંપ થવાને કારણે થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-09-09 11:31:20

વિશ્વના અનેક દેશોમાં ભારે ભૂકંપને કારણે તબાહી સર્જાતી હોય છે. ત્યારે મોરક્કોમાં શુક્રવાર મોડી રાત્રે એટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો કે 290થી વધારે લોકોના મોત થઈ ગયા. શુક્રવાર મોડી રાત્રે મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મોરક્કોના ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ તીવ્ર ભૂકંપને કારણે લગભગ 296 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 153 ઘાયલ થયા છે. 

રાજધાની રબાતમાં પણ લોકોએ આખી રાત રસ્તા પર પસાર કરી હતી.



મારકેશ શહેરમાં એક મકાન ધરાશાયી થયું.

આ મારકેશ શહેરની મસ્જિદ છે, જે ભૂકંપથી નાશ પામી છે.

6.8 તીવ્રતાનો ભૂકંપ આવતા મચી તબાહી 

શુક્રવાર મોડી રાત્રે આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ હતી. હજી સુધી મરનારની સંખ્યા 296 આસપાસ પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ મોતનો આંકડો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો, અમેરિકાના જિયોલોજિકલ સર્વેએ જે માહિતી આપી છે તે મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મરક્કેશ શહેરથી 71 કિમી દૂર હતું. 

ભારત મોરક્કોને સંભવિત તમામ મદદ કરશે - પીએમ મોદી  

સ્થાનિય સમયાનુસાર ભૂકંપના આંચકા 11.11 વાગ્યે મહેસૂસ કરાયા હતા. આટલી તીવ્રતાથી ભૂકંપ આવવાથી અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી. પત્તાની જેમ ઈમારતો પડવા લાગી. અનેક લોકોના મોત તો હજી સુધી થઈ ગયા છે જ્યારે હજૂ પણ આ મોતનો આંકડો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભૂકંપ સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે આટલી તીવ્રતાનો ભૂકંપ 100થી વધારે વર્ષો બાદ નોંધાયો છે. આ ભૂકંપને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .