Breaking News : Supreme Courtએ ચૂંટણી બોન્ડ પર લગાવ્યો પ્રતિબંધ...


  • Published By :
  • Published Date : 2024-02-15 13:05:43

સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસને લઈ સૂનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. લોકસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને લઈ મહત્વ પૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે.  દેશની સર્વોચ્ચ ન્યાયાલયે ચૂંટણી બોન્ડ સ્કીમને ગેરકાયદેસર જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓએ આ અંગેની જાણકારી આપવી પડશે તેવો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

       

વર્ષ 2017ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી આ સ્કીમ!

ચૂંટણી બોન્ડ અંગેની સુનાવણી પાંચ જજોની બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડની આલોચના કરતા કહ્યું હતું કે રાજકીય પાર્ટીને મળી રહેલા ફંડિંગ વિશે જાણકારી મળવી અનિવાર્ય છે. જો ચૂંટણી બોન્ડ સ્કીમની વાત કરીએ તો સરકાર દ્વારા આ યોજના 2017માં લાવવામાં આવી હતી જ્યારે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી હતા. 2018માં કેન્દ્ર સરકાર દ્વારા આને નોટિફાય કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત કોઈ પણ ભારતીય નાગરિક અથવા તો કંપની ચૂંટણી બોન્ડને ખરીદી શકે છે. 


શું હોય છે ચૂંટણી બોન્ડ?   

જો તમે ચૂંટણી બોન્ડને ખરીદવા માગો છો તો તમારે  એસબીઆઈ બેન્કની સિલેક્ટેડ બ્રાન્ચમાં જવું પડે.જે બોન્ડને ખરીદે છે તે આ બોન્ડને પોતાની ફેવરિટ રાજકીય પાર્ટીને ડોનેટ કરી શકે છે. જે પાર્ટીને આ બોન્ડ આપવો હોય તે પાર્ટી આના માટે એલિજિબલ હોવી જોઈએ. આ કેસને લઈ પહેલી વખત સુનાવણી પહેલી નવેમ્બર 2023માં થઈ હતી. કોર્ટે આ કેસનો ચૂકાદો બીજી નવેમ્બરે સુરક્ષિત કરી દેવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સી.જે.આઈ સહિત પાંચ જજોની બેન્ચે કરી હતી. જજની બેન્ચમાં સીજેઆઈ હતા, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.ખી. પારડીવાલા તેમજ જસ્ટિસ સંજય મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. 


શું કહ્યું બંધારણીય બેન્ચે? 

ચૂકાદો આપતા પાંચ જજોની બેન્ચે જણાવ્યું કે બંધારણીય બેંચે કહ્યું કે દેશના નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. વધુમાં બેન્ચે કહ્યું કે કોર્ટ માને છે કે અનામી ચૂંટણી બોન્ડ માહિતી અધિકાર (RTI) અને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસબીઆઈને 12 એપ્રિલ 2019થી લઈ હજી સુધીની જાણકારી આપવી પડશે. ચૂંટણી પંચને આ અંગેની જાણકારી આપવી પડશે અને તે બાદ ચૂંટણી પંચ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.