મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં કોર્ટે બ્રિજભૂષણ સિંહને પાઠવ્યું સમન્સ, 18 જુલાઈએ હાજર થવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-07-07 19:31:33

ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે સમન મોકલ્યું છે. બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 6 મહિલા પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે હાલમાં જ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. હવે કોર્ટે બ્રિજભૂષણ સિંહને 18 જુલાઈએ હાજર થવા માટે સમન પાઠવ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહ ઉપરાંત WFIના ઉપાધ્યક્ષ વિનોદ તોમરને પણ સમન મોકલવામાં આવ્યું છે.


1500 પાનાની ચાર્જશીટ દાખલ


બ્રિજભૂષણ સિંહ સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બ્રિજભૂષણ સિંહના હોમ ટાઉનમાં ફરીને લગભગ 200 સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને  તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તે ઉપરાંત 70-80 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પહેલવાનોદ્વારા લગાવવામાં આવેલા યોન ઉત્પીડનના આરોપોના આધાર પર  બ્રિજભૂષણ સિંહ સામે 354 (એક મહિલાની મર્યાદા ભંગ કરવી) 354A (યૌન સંબંધી ટિપ્પણી),   354D (પીછો કરવો) અને આઈપીસીની કલમ 506 (1) (ગુનાઈત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


બ્રિજભૂષણ સિંહ કોર્ટમાં હાજર રહેશે


બ્રિજભૂષણ સિંહ સામે દાખલ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા એસીએમએમ હરજીત સિંહ જસપાલે બ્રિજભૂષણને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસને આગળ વધારવા માટે પુરતા પુરાવાઓ છે. આ વચ્ચે સમન મળ્યા હોવાની પુષ્ટિ કરતા બ્રિજભૂષણ સિંહે સ્પષ્ટ કહ્યું કે તેઓ 18 જુલાઈએ કોર્ટની સામે હાજર થશે. તેઓ વ્યક્તિ રીતે હાજર થવાને લઈને કોઈ પણ પ્રકારની છૂટ નહીં માગે.


ટોચના પહેલવાનોએ કર્યા હતા ધરણા 


WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના ટોચના પહેલવાનો ધરણા પર બેઠા હતા. લગભગ એક મહિના સુધી બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જંતરમંતર પર ન્યાયની માગ કરતા રહ્યાં. રમતગમત મંત્રાલયે દરમિયનગીરી કર્યા બાદ ખેલાડી મેટ પર પરત ફર્યા હતા. હાલ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા પોતાની ટીમની સાથે ટ્રેનિંગ કરવા માટે કઝાકિસ્તાન ગયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.