મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં કોર્ટે બ્રિજભૂષણ સિંહને પાઠવ્યું સમન્સ, 18 જુલાઈએ હાજર થવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-07-07 19:31:33

ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે સમન મોકલ્યું છે. બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 6 મહિલા પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે હાલમાં જ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. હવે કોર્ટે બ્રિજભૂષણ સિંહને 18 જુલાઈએ હાજર થવા માટે સમન પાઠવ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહ ઉપરાંત WFIના ઉપાધ્યક્ષ વિનોદ તોમરને પણ સમન મોકલવામાં આવ્યું છે.


1500 પાનાની ચાર્જશીટ દાખલ


બ્રિજભૂષણ સિંહ સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બ્રિજભૂષણ સિંહના હોમ ટાઉનમાં ફરીને લગભગ 200 સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને  તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તે ઉપરાંત 70-80 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પહેલવાનોદ્વારા લગાવવામાં આવેલા યોન ઉત્પીડનના આરોપોના આધાર પર  બ્રિજભૂષણ સિંહ સામે 354 (એક મહિલાની મર્યાદા ભંગ કરવી) 354A (યૌન સંબંધી ટિપ્પણી),   354D (પીછો કરવો) અને આઈપીસીની કલમ 506 (1) (ગુનાઈત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


બ્રિજભૂષણ સિંહ કોર્ટમાં હાજર રહેશે


બ્રિજભૂષણ સિંહ સામે દાખલ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા એસીએમએમ હરજીત સિંહ જસપાલે બ્રિજભૂષણને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસને આગળ વધારવા માટે પુરતા પુરાવાઓ છે. આ વચ્ચે સમન મળ્યા હોવાની પુષ્ટિ કરતા બ્રિજભૂષણ સિંહે સ્પષ્ટ કહ્યું કે તેઓ 18 જુલાઈએ કોર્ટની સામે હાજર થશે. તેઓ વ્યક્તિ રીતે હાજર થવાને લઈને કોઈ પણ પ્રકારની છૂટ નહીં માગે.


ટોચના પહેલવાનોએ કર્યા હતા ધરણા 


WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના ટોચના પહેલવાનો ધરણા પર બેઠા હતા. લગભગ એક મહિના સુધી બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જંતરમંતર પર ન્યાયની માગ કરતા રહ્યાં. રમતગમત મંત્રાલયે દરમિયનગીરી કર્યા બાદ ખેલાડી મેટ પર પરત ફર્યા હતા. હાલ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા પોતાની ટીમની સાથે ટ્રેનિંગ કરવા માટે કઝાકિસ્તાન ગયા છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.