મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં કોર્ટે બ્રિજભૂષણ સિંહને પાઠવ્યું સમન્સ, 18 જુલાઈએ હાજર થવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-07-07 19:31:33

ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે સમન મોકલ્યું છે. બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 6 મહિલા પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે હાલમાં જ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. હવે કોર્ટે બ્રિજભૂષણ સિંહને 18 જુલાઈએ હાજર થવા માટે સમન પાઠવ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહ ઉપરાંત WFIના ઉપાધ્યક્ષ વિનોદ તોમરને પણ સમન મોકલવામાં આવ્યું છે.


1500 પાનાની ચાર્જશીટ દાખલ


બ્રિજભૂષણ સિંહ સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બ્રિજભૂષણ સિંહના હોમ ટાઉનમાં ફરીને લગભગ 200 સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને  તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તે ઉપરાંત 70-80 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પહેલવાનોદ્વારા લગાવવામાં આવેલા યોન ઉત્પીડનના આરોપોના આધાર પર  બ્રિજભૂષણ સિંહ સામે 354 (એક મહિલાની મર્યાદા ભંગ કરવી) 354A (યૌન સંબંધી ટિપ્પણી),   354D (પીછો કરવો) અને આઈપીસીની કલમ 506 (1) (ગુનાઈત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


બ્રિજભૂષણ સિંહ કોર્ટમાં હાજર રહેશે


બ્રિજભૂષણ સિંહ સામે દાખલ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા એસીએમએમ હરજીત સિંહ જસપાલે બ્રિજભૂષણને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસને આગળ વધારવા માટે પુરતા પુરાવાઓ છે. આ વચ્ચે સમન મળ્યા હોવાની પુષ્ટિ કરતા બ્રિજભૂષણ સિંહે સ્પષ્ટ કહ્યું કે તેઓ 18 જુલાઈએ કોર્ટની સામે હાજર થશે. તેઓ વ્યક્તિ રીતે હાજર થવાને લઈને કોઈ પણ પ્રકારની છૂટ નહીં માગે.


ટોચના પહેલવાનોએ કર્યા હતા ધરણા 


WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના ટોચના પહેલવાનો ધરણા પર બેઠા હતા. લગભગ એક મહિના સુધી બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જંતરમંતર પર ન્યાયની માગ કરતા રહ્યાં. રમતગમત મંત્રાલયે દરમિયનગીરી કર્યા બાદ ખેલાડી મેટ પર પરત ફર્યા હતા. હાલ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા પોતાની ટીમની સાથે ટ્રેનિંગ કરવા માટે કઝાકિસ્તાન ગયા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.