બ્રિજભૂષણ શરણ સિંહ Vs પહેલવાનોનો વકર્યો વિવાદ! જાતીય શોષણ મામલે ફસાયેલા સાંસદ બ્રિજભૂષણે રદ્દ કરી મહારેલી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-02 15:39:04

ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ હજી સુધી તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત આવી છે. અનેક રાજકીય પાર્ટીના નેતાઓએ પહેલવાનોની મુલાકાત લીધી હતી. થોડા સમય પહેલા ગંગામાં મેડલને વિસર્જિત કરવાની વાત પહેલવાનો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેને કેન્સલ કરાયો હતો. અયોધ્યા ખાતે 5 જૂનના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ અયોધ્યામાં મહારેલી કરવાના હતા. પરંતુ મહારેલીના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.


અયોધ્યા ખાતે આયોજીત મહારેલીને રદ્દ કરાઈ!

પહેલવાનો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે ચાલતો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનોએ લગાવ્યો છે. પહેલવાનોના સમર્થનમાં અનેક સંગઠનો તેમજ રાજનેતાઓ આવ્યા છે. ત્યારે ગંભીર આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણે અયોધ્યા ખાતે આયોજીત થનારી મહારેલીને સ્થગિત કરી દીધી છે. 5 જૂનના રોજ આ મહારેલી યોજાવાની હતી પરંતુ વિવાદને જોતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સન્માન કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


બ્રિજભૂષણ વિરૂદ્ધ કરવામાં આવેલી બંને FIR સામે આવી!

મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે FIR કરવામાં આવી છે. બંને FIR સામે આવી છે. એક FIR નાબાલિક છોકરીને લઈ કરવામાં  આવી છે જ્યારે બીજી FIR બાલિક પહેલવાનોના આરોપો પર આધારિત છે. પુખ્ત વયના મહિલા પહેલવાનોએ  કહ્યું કે બ્રિજભૂષણએ અનેક વખત છેડછાડ કરી. બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનોએ જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. આ કેસમાં નવો વળાંક આવ્યો હતો જેમાં આરોપ લગાવનાર નાબાલિક નહીં પરંતુ પુખ્ત વયની છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વધારે વિરોધને જોતા 5 જૂને અયોધ્યામાં યોજાનારી મહારેલીને રદ્દ કરવામાં આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.