બ્રિજભૂષણ શરણ સિંહ Vs પહેલવાનોનો વકર્યો વિવાદ! જાતીય શોષણ મામલે ફસાયેલા સાંસદ બ્રિજભૂષણે રદ્દ કરી મહારેલી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-02 15:39:04

ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ હજી સુધી તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત આવી છે. અનેક રાજકીય પાર્ટીના નેતાઓએ પહેલવાનોની મુલાકાત લીધી હતી. થોડા સમય પહેલા ગંગામાં મેડલને વિસર્જિત કરવાની વાત પહેલવાનો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેને કેન્સલ કરાયો હતો. અયોધ્યા ખાતે 5 જૂનના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ અયોધ્યામાં મહારેલી કરવાના હતા. પરંતુ મહારેલીના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.


અયોધ્યા ખાતે આયોજીત મહારેલીને રદ્દ કરાઈ!

પહેલવાનો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે ચાલતો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનોએ લગાવ્યો છે. પહેલવાનોના સમર્થનમાં અનેક સંગઠનો તેમજ રાજનેતાઓ આવ્યા છે. ત્યારે ગંભીર આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણે અયોધ્યા ખાતે આયોજીત થનારી મહારેલીને સ્થગિત કરી દીધી છે. 5 જૂનના રોજ આ મહારેલી યોજાવાની હતી પરંતુ વિવાદને જોતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સન્માન કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


બ્રિજભૂષણ વિરૂદ્ધ કરવામાં આવેલી બંને FIR સામે આવી!

મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે FIR કરવામાં આવી છે. બંને FIR સામે આવી છે. એક FIR નાબાલિક છોકરીને લઈ કરવામાં  આવી છે જ્યારે બીજી FIR બાલિક પહેલવાનોના આરોપો પર આધારિત છે. પુખ્ત વયના મહિલા પહેલવાનોએ  કહ્યું કે બ્રિજભૂષણએ અનેક વખત છેડછાડ કરી. બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનોએ જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. આ કેસમાં નવો વળાંક આવ્યો હતો જેમાં આરોપ લગાવનાર નાબાલિક નહીં પરંતુ પુખ્ત વયની છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વધારે વિરોધને જોતા 5 જૂને અયોધ્યામાં યોજાનારી મહારેલીને રદ્દ કરવામાં આવી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.