બ્રિજભૂષણ શરણ સિંહ Vs પહેલવાનોનો વકર્યો વિવાદ! જાતીય શોષણ મામલે ફસાયેલા સાંસદ બ્રિજભૂષણે રદ્દ કરી મહારેલી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-02 15:39:04

ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ હજી સુધી તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત આવી છે. અનેક રાજકીય પાર્ટીના નેતાઓએ પહેલવાનોની મુલાકાત લીધી હતી. થોડા સમય પહેલા ગંગામાં મેડલને વિસર્જિત કરવાની વાત પહેલવાનો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેને કેન્સલ કરાયો હતો. અયોધ્યા ખાતે 5 જૂનના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ અયોધ્યામાં મહારેલી કરવાના હતા. પરંતુ મહારેલીના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.


અયોધ્યા ખાતે આયોજીત મહારેલીને રદ્દ કરાઈ!

પહેલવાનો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે ચાલતો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનોએ લગાવ્યો છે. પહેલવાનોના સમર્થનમાં અનેક સંગઠનો તેમજ રાજનેતાઓ આવ્યા છે. ત્યારે ગંભીર આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણે અયોધ્યા ખાતે આયોજીત થનારી મહારેલીને સ્થગિત કરી દીધી છે. 5 જૂનના રોજ આ મહારેલી યોજાવાની હતી પરંતુ વિવાદને જોતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સન્માન કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


બ્રિજભૂષણ વિરૂદ્ધ કરવામાં આવેલી બંને FIR સામે આવી!

મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે FIR કરવામાં આવી છે. બંને FIR સામે આવી છે. એક FIR નાબાલિક છોકરીને લઈ કરવામાં  આવી છે જ્યારે બીજી FIR બાલિક પહેલવાનોના આરોપો પર આધારિત છે. પુખ્ત વયના મહિલા પહેલવાનોએ  કહ્યું કે બ્રિજભૂષણએ અનેક વખત છેડછાડ કરી. બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનોએ જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. આ કેસમાં નવો વળાંક આવ્યો હતો જેમાં આરોપ લગાવનાર નાબાલિક નહીં પરંતુ પુખ્ત વયની છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વધારે વિરોધને જોતા 5 જૂને અયોધ્યામાં યોજાનારી મહારેલીને રદ્દ કરવામાં આવી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.