બ્રિટનને મળશે ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન? લિઝ ટ્રસના રાજીનામા બાદ ઋષિ સુનક પ્રબળ દાવેદાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 09:16:25

લિઝ ટ્રસે ફક્ત 45 દિવસમાં જ બ્રિટનના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું
લિઝ ટ્રેસ જણાવ્યું હતું કે હું જે વચનો સાથે સત્તામાં આવી હતી તે પૂરા કરી શકી નહીં
લિઝ ટ્રસના રાજીનામા બાદ ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર છે

Liz Truss chosen to be the UK's next prime minister | Euronews

રાજીનામું આપ્યું પછી લિઝ ટ્રસે કહ્યું હતું, કે વર્તમાન સ્થિતિને જોતાં મને લાગે છે કે હું તે વચન પૂરા કરી શકી નથી કે જેના માટે હું ચૂંટણી લડી હતી. હવે હું વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી રહી છું. બ્રિટિશ વડાંપ્રધાને પોતાના સરકારી આવાસની બહાર મીડિયાને કહ્યું કે, હું જે વચનોની સાથે સત્તામાં આવી હતી, તેને પૂરા ન કરી શકી


લિઝ ટ્રસે બ્રિટનના વડાપ્રધાન બન્યાના 45 દિવસમાં જ રાજીનામુ આપી દીધું છે. લિઝ ટ્રસે ગુરૂવારે જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી રહ્યાં છે, અને જાહેરાત કરી છે કે તેમના અનુગામી આગામી સપ્તાહના અંત સુધીમાં ચૂંટવામાં આવશે. લિઝ ટ્રસના રાજીનામાં બાદ ઋષિ શુનકને બ્રિટનના આગામી વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેઓ આ પદ માટે પ્રબળ દાવેદાર છે. જો ઋષિ સુનક જીતી જશે તો તેઓ બ્રિટનના વડાપ્રધાન બનનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હશે. ઋષિ સુનક આ પદ માટે પ્રબળ દાવેદાર છે પરંતુ આ રેસમાં પેની મોરડાઉન્ટ, કેમી બેડેનોક અને ટોમ ટગેનલટ પણ સામેલ છે.

Rishi Sunak or Liz Truss? UK to get new PM today - Rediff.com India News

સૌથી ઓછો સમય શાસન કરનારા બ્રિટિશ PM બન્યા લિઝ ટ્રસ

47 વર્ષીય ટ્રસે વડાપ્રધાન બન્યાના 45 દિવસમાં જ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેઓ બ્રિટિશ ઈતિહાસમાં સૌથી ઓછા સમય માટે શાસન કરનારા વડાપ્રધાન બની ગયા છે. ટ્રસ સપ્ટેમ્બરની શરૂઆતમાં વિકાસ માટે સર્વશ્રેષ્ઠ કામનું વચન આપીને સત્તા પર આવ્યા હતા, પરંતુ તેમની આર્થિક યોજનાઓ માટે તેઓ કેવી રીતે ચૂકવણી કરશે તે અંગેની ચિંતાઓ વચ્ચે પાઉન્ડ અને ગિલ્ટ બંનેમાં ઘટાડો થતાં તેમની યોજના નાણાકીય બજારો માટે અપ્રિય સાબિત થયો હતો. રાજીનામું આપ્યું પછી લિઝ ટ્રસે કહ્યું હતું, કે વર્તમાન સ્થિતિને જોતાં મને લાગે છે કે હું તે વચન પૂરા કરી શકી નથી કે જેના માટે હું ચૂંટણી લડી હતી. હવે હું વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી રહી છું. બ્રિટિશ વડાંપ્રધાને પોતાના સરકારી આવાસની બહાર મીડિયાને કહ્યું કે, હું જે વચનોની સાથે સત્તામાં આવી હતી, તેને પૂરા ન કરી શકી.

Liz Truss' Short Stint as PM Bridged Queen Elizabeth and King Charles

કોણ છે ભારતીય મૂળના ઋષિ સુનક?

તેઓ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ છે. 42 વર્ષના ઋષિ સુનકે ફેબ્રુઆરી 2020માં ઈતિહાસ રચ્યો હતો કે જ્યારે તેઓને બોરિસ જોનસન સરકારમાં નાણામંત્રી બનાવાયા હતા. કોરોના વાયરસની મહામારી દરમિયાન અર્થતંત્રને ધ્યાનમાં રાખતા તેમણે જે બચાવ પેકેજ જાહેર કર્યું હતું તેની ભારે પ્રશંસા થઈ હતી. ઋષિ સુનકનો જન્મ તારીખ 12 મે, 1980ના દિવસે Southamptonમાં ભારતીય મૂળના માતા-પિતા યશવીર અને ઉષા સુનકના ત્યાં થયો. ઋષિ સુનકના પિતા યશવીરનો જન્મ અને ઉછેર કેન્યામાં થયો જ્યારે માતા ઉષાનો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો. ઋષિ સુનકના દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંતમાં થયો હતો. ઋષિ સુનકના પિતા ડોક્ટર જ્યારે માતા દવાખાનું ચલાવતા હતા. ઋષિ સુનક ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. ઋષિ સુનકે ઓક્સફર્ડની એક કોલેજમાંથી ફિલોસોફી, રાજનીતિ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. જ્યાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી ઋષિ સુનકે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું હતું.

ब्रिटेन की PM लिज ट्रस पर कुर्सी छोड़ने का दबाव, ऋषि सुनक फिर रेस में,  बोरिस जॉनसन सबसे मजबूत दावेदार - rishi sunak britain prime minister liz  truss boris johnson ntc - AajTak

વર્ષ 2001થી 2004 દરમિયાન ઋષિ સુનકે ઈન્વેસ્ટમેન્ટ બેંકમાં વિશ્લેષક તરીકે કામ કર્યું, ત્યારબાદ ધ ચિલ્ડ્રન્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજમેન્ટમાં કામ કર્યું અને સપ્ટેમ્બર 2006માં પાર્ટનર તરીકે જોડાયા. સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં MBA દરમિયાન ઋષિ સુનકની મુલાકાત અક્ષતા મૂર્તિ સાથે થઈ કે જેઓ નારાયણ મૂર્તિના દીકરી છે. પછી ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિએ વર્ષ 2009માં લગ્ન કર્યા. તેઓના 2 બાળકો છે.


ઓક્ટોબર 2014માં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે પસંદગી થઈ. વર્ષ 2015માં તેઓ પહેલી વખત સંસદ પહોંચ્યા. વર્ષ 2015થી 2017 દરમિયાન સંસદમાં તેમણે પર્યાવરણ, ફૂડ અને રુરલ અફેર્સ સિલેક્ટ કમિટીના સભ્ય તરીકે કામ કર્યું. વર્ષ 2019માં ઋષિ સુનકની ચીફ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી તરીકે નિમણૂક કરાઈ અને વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ફરી વખત ચૂંટાઈ આવ્યા. ઋષિ સુનક ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે અને તેઓને ક્રિકેટ તેમજ ફૂટબોલ સિવાય ફિલ્મો જોવાનો શોખ છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.