બ્રિટનમાં દાયકાનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન, લંડનમાં 5 લાખથી વધુ લોકોએ રેલી યોજી


  • Published By :
  • Published Date : 2023-02-02 16:38:05

બ્રિટનમાં પણ મોંઘવારી અને બેરોજગારીને લઈ વિરોધ વધી રહ્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના વિરોધમાં પાંચ લાખથી વધુ લોકો લંડનના માર્ગો પર ઉતરી આવ્યા હતા. લાખો લોકો સ્વયંભુ રીતે આ વિશાળ રેલીમાં જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શકોમાં શિક્ષકો, સિવિલ સર્વન્ટ, લોકોમોટિવ ડ્રાઈવર્સ સહિતના સરકારી કર્મચારીઓ બધા જ કામો પડતા મુકીને વિરોધ કરવા માટે ઉમટી પડ્યા હતા. 


શા માટે વિરોધ પ્રદર્શનો


આ દાયકાના આ સૌથી મોટા વિરોધ પ્રદર્શનનમાં જોડાયેલા લોકોની મુખ્ય માગ પગાર વધારાની હતી. અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આ લોકોએ સરકાર પાસે પગાર વધારાની માગ કરી હતી. લંડનમાં યોજાયેલા આ ધરણા-પ્રદર્શનોથી ટ્રાફિકની સમસ્યા વણસી હતી. પીએમ ઓફિસે ચેતવણી આપી હતી કે આ વિરોધ પ્રદર્શનના કારણે અવ્યવસ્થા ફેલાશે તેમ છતાં લોકો ધરણા માટે એકઠા થયા હતા.


લોકો માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારે છે


બ્રિટનમાં મોંઘવારીથી લોકોની હાલત કફોડી થઈ છે. પરિવારનો નિભાવ કરવા માટે પણ પગાર ઓછો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. 10 કલાક કામ કરવા છતા પણ લોકોને માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારવા પડી રહ્યા છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્ક સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010થી 2022 વચ્ચે શિક્ષકોના પગારમાં 9થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.


પ્રદર્શનને 'લોકડાઉન 2023' નામ આપ્યું 


લંડનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને તમામ અખબારોએ લોકડાઉન 2023 નામ આપ્યું છે. કેટલાક સમાચાર પત્રો વોકઆઉટ વેડનેસડે ડે પણ કહે છે. આ જોરદાર વિરોધ પ્રદર્શનની તુલના વર્ષ 1978-79માં થયેલી હડતાલ સાથે કરવામાં આવી રહી છે. વિંટર ઓફ ડિસ્કન્ટેન્ટ એટલે કે શિયાળાનો અસંતોષ નામ આપ્યું છે.



આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.