બ્રિટનમાં દાયકાનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન, લંડનમાં 5 લાખથી વધુ લોકોએ રેલી યોજી


  • Published By :
  • Published Date : 2023-02-02 16:38:05

બ્રિટનમાં પણ મોંઘવારી અને બેરોજગારીને લઈ વિરોધ વધી રહ્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના વિરોધમાં પાંચ લાખથી વધુ લોકો લંડનના માર્ગો પર ઉતરી આવ્યા હતા. લાખો લોકો સ્વયંભુ રીતે આ વિશાળ રેલીમાં જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શકોમાં શિક્ષકો, સિવિલ સર્વન્ટ, લોકોમોટિવ ડ્રાઈવર્સ સહિતના સરકારી કર્મચારીઓ બધા જ કામો પડતા મુકીને વિરોધ કરવા માટે ઉમટી પડ્યા હતા. 


શા માટે વિરોધ પ્રદર્શનો


આ દાયકાના આ સૌથી મોટા વિરોધ પ્રદર્શનનમાં જોડાયેલા લોકોની મુખ્ય માગ પગાર વધારાની હતી. અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આ લોકોએ સરકાર પાસે પગાર વધારાની માગ કરી હતી. લંડનમાં યોજાયેલા આ ધરણા-પ્રદર્શનોથી ટ્રાફિકની સમસ્યા વણસી હતી. પીએમ ઓફિસે ચેતવણી આપી હતી કે આ વિરોધ પ્રદર્શનના કારણે અવ્યવસ્થા ફેલાશે તેમ છતાં લોકો ધરણા માટે એકઠા થયા હતા.


લોકો માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારે છે


બ્રિટનમાં મોંઘવારીથી લોકોની હાલત કફોડી થઈ છે. પરિવારનો નિભાવ કરવા માટે પણ પગાર ઓછો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. 10 કલાક કામ કરવા છતા પણ લોકોને માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારવા પડી રહ્યા છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્ક સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010થી 2022 વચ્ચે શિક્ષકોના પગારમાં 9થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.


પ્રદર્શનને 'લોકડાઉન 2023' નામ આપ્યું 


લંડનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને તમામ અખબારોએ લોકડાઉન 2023 નામ આપ્યું છે. કેટલાક સમાચાર પત્રો વોકઆઉટ વેડનેસડે ડે પણ કહે છે. આ જોરદાર વિરોધ પ્રદર્શનની તુલના વર્ષ 1978-79માં થયેલી હડતાલ સાથે કરવામાં આવી રહી છે. વિંટર ઓફ ડિસ્કન્ટેન્ટ એટલે કે શિયાળાનો અસંતોષ નામ આપ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.