બ્રિટનમાં દાયકાનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન, લંડનમાં 5 લાખથી વધુ લોકોએ રેલી યોજી


  • Published By :
  • Published Date : 2023-02-02 16:38:05

બ્રિટનમાં પણ મોંઘવારી અને બેરોજગારીને લઈ વિરોધ વધી રહ્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના વિરોધમાં પાંચ લાખથી વધુ લોકો લંડનના માર્ગો પર ઉતરી આવ્યા હતા. લાખો લોકો સ્વયંભુ રીતે આ વિશાળ રેલીમાં જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શકોમાં શિક્ષકો, સિવિલ સર્વન્ટ, લોકોમોટિવ ડ્રાઈવર્સ સહિતના સરકારી કર્મચારીઓ બધા જ કામો પડતા મુકીને વિરોધ કરવા માટે ઉમટી પડ્યા હતા. 


શા માટે વિરોધ પ્રદર્શનો


આ દાયકાના આ સૌથી મોટા વિરોધ પ્રદર્શનનમાં જોડાયેલા લોકોની મુખ્ય માગ પગાર વધારાની હતી. અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આ લોકોએ સરકાર પાસે પગાર વધારાની માગ કરી હતી. લંડનમાં યોજાયેલા આ ધરણા-પ્રદર્શનોથી ટ્રાફિકની સમસ્યા વણસી હતી. પીએમ ઓફિસે ચેતવણી આપી હતી કે આ વિરોધ પ્રદર્શનના કારણે અવ્યવસ્થા ફેલાશે તેમ છતાં લોકો ધરણા માટે એકઠા થયા હતા.


લોકો માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારે છે


બ્રિટનમાં મોંઘવારીથી લોકોની હાલત કફોડી થઈ છે. પરિવારનો નિભાવ કરવા માટે પણ પગાર ઓછો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. 10 કલાક કામ કરવા છતા પણ લોકોને માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારવા પડી રહ્યા છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્ક સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010થી 2022 વચ્ચે શિક્ષકોના પગારમાં 9થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.


પ્રદર્શનને 'લોકડાઉન 2023' નામ આપ્યું 


લંડનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને તમામ અખબારોએ લોકડાઉન 2023 નામ આપ્યું છે. કેટલાક સમાચાર પત્રો વોકઆઉટ વેડનેસડે ડે પણ કહે છે. આ જોરદાર વિરોધ પ્રદર્શનની તુલના વર્ષ 1978-79માં થયેલી હડતાલ સાથે કરવામાં આવી રહી છે. વિંટર ઓફ ડિસ્કન્ટેન્ટ એટલે કે શિયાળાનો અસંતોષ નામ આપ્યું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.