બ્રિટિશ PM ઋષિ સુનકને પોલીસે ફટકાર્યો દંડ, સીટ બેલ્ટ ન પહેરવા બદલ અપાયો મેમો


  • Published By :
  • Published Date : 2023-01-21 11:00:30

પોલીસે બ્રિટીશના વડાપ્રધાન ઋષિ સુનકને દંડ ફટકાર્યો છે. ગાડીમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોવાને કારણે પોલીસે પીએમ સુનકને દંડ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવા સુનક વીડિયો બનાવી રહ્યા હતા. તે સમયે તેમણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું કે તેમણે વાહનો માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેને કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. 

british prime minister Rishi Sunak imposed fined by Lancashire police for not wearing seat belt Britain: सीट बेल्ट नहीं लगाने पर पुलिस ने ऋषि सुनक पर लगाया जुर्माना, ब्रिटिश पीएम ने मानी गलती

નિયમ તોડવા બદલ ફટકારવામાં આવ્યો દંડ 

ટ્રાફિકના નિયમો તોડવા બદલ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને રુ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમ સુનક ગાડીમાં હતા તો પણ સીટ બેલ્ટ ન પહેર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર શેર કરવા એક વીડિયો બનાવી રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે સુનક પોતે ડ્રાઈવીંગ કરી રહ્યા ન હતા. પાછળની પેસેન્જર સીટ પર તેઓ બેઠા હતા. પીએમનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ટ્રાફિકના નિયમો તોડવા બદલ £100નું ચલણ જારી કરવામાં આવ્યું છે. આ વાતને લઈને પીએમએ બે દિવસ પહેલા જ માફી માગી હતી. 

  


પોલીસે ટ્વિટ કરી આપી હતી જાણકારી     

લેન્કેશાયર પોલીસે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયોના પરિભ્રમણને પગલે, જે દર્શાવે છે કે એક વ્યક્તિ સીય બેલ્ટ પહેરવામાં નિષ્ફળ રહી છે. તેથી અમે લંડનના આ 42 વર્ષીય વ્યક્તિને દંડ ફટકાર્યો છે. પોલીસે ટ્વિટમાં પીએમ સુનકના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.