બ્રિટિશ PM ઋષિ સુનકને પોલીસે ફટકાર્યો દંડ, સીટ બેલ્ટ ન પહેરવા બદલ અપાયો મેમો


  • Published By :
  • Published Date : 2023-01-21 11:00:30

પોલીસે બ્રિટીશના વડાપ્રધાન ઋષિ સુનકને દંડ ફટકાર્યો છે. ગાડીમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોવાને કારણે પોલીસે પીએમ સુનકને દંડ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવા સુનક વીડિયો બનાવી રહ્યા હતા. તે સમયે તેમણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું કે તેમણે વાહનો માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેને કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. 

british prime minister Rishi Sunak imposed fined by Lancashire police for not wearing seat belt Britain: सीट बेल्ट नहीं लगाने पर पुलिस ने ऋषि सुनक पर लगाया जुर्माना, ब्रिटिश पीएम ने मानी गलती

નિયમ તોડવા બદલ ફટકારવામાં આવ્યો દંડ 

ટ્રાફિકના નિયમો તોડવા બદલ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને રુ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમ સુનક ગાડીમાં હતા તો પણ સીટ બેલ્ટ ન પહેર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર શેર કરવા એક વીડિયો બનાવી રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે સુનક પોતે ડ્રાઈવીંગ કરી રહ્યા ન હતા. પાછળની પેસેન્જર સીટ પર તેઓ બેઠા હતા. પીએમનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ટ્રાફિકના નિયમો તોડવા બદલ £100નું ચલણ જારી કરવામાં આવ્યું છે. આ વાતને લઈને પીએમએ બે દિવસ પહેલા જ માફી માગી હતી. 

  


પોલીસે ટ્વિટ કરી આપી હતી જાણકારી     

લેન્કેશાયર પોલીસે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયોના પરિભ્રમણને પગલે, જે દર્શાવે છે કે એક વ્યક્તિ સીય બેલ્ટ પહેરવામાં નિષ્ફળ રહી છે. તેથી અમે લંડનના આ 42 વર્ષીય વ્યક્તિને દંડ ફટકાર્યો છે. પોલીસે ટ્વિટમાં પીએમ સુનકના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .