બ્રિટિશ PM ઋષિ સુનકને પોલીસે ફટકાર્યો દંડ, સીટ બેલ્ટ ન પહેરવા બદલ અપાયો મેમો


  • Published By :
  • Published Date : 2023-01-21 11:00:30

પોલીસે બ્રિટીશના વડાપ્રધાન ઋષિ સુનકને દંડ ફટકાર્યો છે. ગાડીમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોવાને કારણે પોલીસે પીએમ સુનકને દંડ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવા સુનક વીડિયો બનાવી રહ્યા હતા. તે સમયે તેમણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું કે તેમણે વાહનો માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેને કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. 

british prime minister Rishi Sunak imposed fined by Lancashire police for not wearing seat belt Britain: सीट बेल्ट नहीं लगाने पर पुलिस ने ऋषि सुनक पर लगाया जुर्माना, ब्रिटिश पीएम ने मानी गलती

નિયમ તોડવા બદલ ફટકારવામાં આવ્યો દંડ 

ટ્રાફિકના નિયમો તોડવા બદલ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને રુ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમ સુનક ગાડીમાં હતા તો પણ સીટ બેલ્ટ ન પહેર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર શેર કરવા એક વીડિયો બનાવી રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે સુનક પોતે ડ્રાઈવીંગ કરી રહ્યા ન હતા. પાછળની પેસેન્જર સીટ પર તેઓ બેઠા હતા. પીએમનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ટ્રાફિકના નિયમો તોડવા બદલ £100નું ચલણ જારી કરવામાં આવ્યું છે. આ વાતને લઈને પીએમએ બે દિવસ પહેલા જ માફી માગી હતી. 

  


પોલીસે ટ્વિટ કરી આપી હતી જાણકારી     

લેન્કેશાયર પોલીસે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયોના પરિભ્રમણને પગલે, જે દર્શાવે છે કે એક વ્યક્તિ સીય બેલ્ટ પહેરવામાં નિષ્ફળ રહી છે. તેથી અમે લંડનના આ 42 વર્ષીય વ્યક્તિને દંડ ફટકાર્યો છે. પોલીસે ટ્વિટમાં પીએમ સુનકના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?