બ્રિટિશ PM ઋષિ સુનકને પોલીસે ફટકાર્યો દંડ, સીટ બેલ્ટ ન પહેરવા બદલ અપાયો મેમો


  • Published By :
  • Published Date : 2023-01-21 11:00:30

પોલીસે બ્રિટીશના વડાપ્રધાન ઋષિ સુનકને દંડ ફટકાર્યો છે. ગાડીમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોવાને કારણે પોલીસે પીએમ સુનકને દંડ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવા સુનક વીડિયો બનાવી રહ્યા હતા. તે સમયે તેમણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું કે તેમણે વાહનો માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેને કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. 

british prime minister Rishi Sunak imposed fined by Lancashire police for not wearing seat belt Britain: सीट बेल्ट नहीं लगाने पर पुलिस ने ऋषि सुनक पर लगाया जुर्माना, ब्रिटिश पीएम ने मानी गलती

નિયમ તોડવા બદલ ફટકારવામાં આવ્યો દંડ 

ટ્રાફિકના નિયમો તોડવા બદલ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને રુ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમ સુનક ગાડીમાં હતા તો પણ સીટ બેલ્ટ ન પહેર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર શેર કરવા એક વીડિયો બનાવી રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે સુનક પોતે ડ્રાઈવીંગ કરી રહ્યા ન હતા. પાછળની પેસેન્જર સીટ પર તેઓ બેઠા હતા. પીએમનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ટ્રાફિકના નિયમો તોડવા બદલ £100નું ચલણ જારી કરવામાં આવ્યું છે. આ વાતને લઈને પીએમએ બે દિવસ પહેલા જ માફી માગી હતી. 

  


પોલીસે ટ્વિટ કરી આપી હતી જાણકારી     

લેન્કેશાયર પોલીસે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયોના પરિભ્રમણને પગલે, જે દર્શાવે છે કે એક વ્યક્તિ સીય બેલ્ટ પહેરવામાં નિષ્ફળ રહી છે. તેથી અમે લંડનના આ 42 વર્ષીય વ્યક્તિને દંડ ફટકાર્યો છે. પોલીસે ટ્વિટમાં પીએમ સુનકના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.