બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 19:39:05

ટૂંક સમય પહેલા જ બ્રિટનની કમાન સંભાળનારા લિઝ ટ્રસે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. લીઝ ટ્રસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મારા પછીના પ્રધાનમંત્રી કોણ હશે તેની જાહેરાત નહીં થાય ત્યાં સુધી હું પ્રધાનમંત્રી પદે રહીશ. જ્યારે મારા પછીના પ્રધાનમંત્રીની જાહેરાત થશે ત્યારે હું પ્રધાનમંત્રીનો હોદ્દો છોડી દઈશ. 


બ્રિટનના રાજા સાથે ચર્ચા કરીને આપ્યું રાજીનામું

લિઝ ટ્રસે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેં બ્રિટના રાજા કિંગ જ્યોર્જ સાથે ચર્ચા કરી છે. તેમની સાથે ચર્ચા અને સલાહ સૂચનો બાદ મેં રાજીનામું આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે  તેમની મહત્વાકાંક્ષી ટેક્સ કટ પોલિસીના પરિણામ વચ્ચે કન્ઝરવેટીવ પાર્ટીના શાસનનો અંત આવ્યો છે. 


આ કારણથી લિઝ ટ્રસને આપવું પડ્યું રાજીનામું

અત્યારે વૈશ્વિક મોંઘવારી ચાલી રહી છે તમામ દેશોમાં મોંઘવારીની અસર વર્તાઈ છે. આ સમયની અંદર લિઝ ટ્રસે ટેક્સ કટ કરવાની પોલીસી મામલે નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી બોન્ડ માર્કેટમાં ઘટાડો થયો જેના કારણે પાઉન્ડ તૂટવા લાગ્યો હતો. ટ્રસના નિર્ણયોના કારણે તેના પર નોકરી છોડી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. હજુ તો પ્રધાનમંત્રી બન્યાને માંડ છ અઠવાડિયા જ થયા હશેને લિઝ ટ્રસને રાજીનામું આપવું પડ્યું છે.





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .