બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 19:39:05

ટૂંક સમય પહેલા જ બ્રિટનની કમાન સંભાળનારા લિઝ ટ્રસે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. લીઝ ટ્રસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મારા પછીના પ્રધાનમંત્રી કોણ હશે તેની જાહેરાત નહીં થાય ત્યાં સુધી હું પ્રધાનમંત્રી પદે રહીશ. જ્યારે મારા પછીના પ્રધાનમંત્રીની જાહેરાત થશે ત્યારે હું પ્રધાનમંત્રીનો હોદ્દો છોડી દઈશ. 


બ્રિટનના રાજા સાથે ચર્ચા કરીને આપ્યું રાજીનામું

લિઝ ટ્રસે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેં બ્રિટના રાજા કિંગ જ્યોર્જ સાથે ચર્ચા કરી છે. તેમની સાથે ચર્ચા અને સલાહ સૂચનો બાદ મેં રાજીનામું આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે  તેમની મહત્વાકાંક્ષી ટેક્સ કટ પોલિસીના પરિણામ વચ્ચે કન્ઝરવેટીવ પાર્ટીના શાસનનો અંત આવ્યો છે. 


આ કારણથી લિઝ ટ્રસને આપવું પડ્યું રાજીનામું

અત્યારે વૈશ્વિક મોંઘવારી ચાલી રહી છે તમામ દેશોમાં મોંઘવારીની અસર વર્તાઈ છે. આ સમયની અંદર લિઝ ટ્રસે ટેક્સ કટ કરવાની પોલીસી મામલે નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી બોન્ડ માર્કેટમાં ઘટાડો થયો જેના કારણે પાઉન્ડ તૂટવા લાગ્યો હતો. ટ્રસના નિર્ણયોના કારણે તેના પર નોકરી છોડી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. હજુ તો પ્રધાનમંત્રી બન્યાને માંડ છ અઠવાડિયા જ થયા હશેને લિઝ ટ્રસને રાજીનામું આપવું પડ્યું છે.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.