આવતી કાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, 31 જાન્યુ.એ આર્થિક સર્વે અને 1 ફેબ્રુ.એ બજેટ રજુ થશે


  • Published By :
  • Published Date : 2023-01-31 12:22:59

દેશમાં 2024થી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી વચ્ચે આવતીકાલથી શરૂ થનાર સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આવતી કાલે સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે. આ પછી સરકાર 2022-23ના વાર્ષિક આર્થિક સર્વેનો રિપોર્ટ સંસદમાં રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. 


રાષ્ટ્રપતિ મુર્મુ બન્ને ગૃહોને કરશે સંબોધન


કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બન્ને સદનોને સંયુક્ત રીતે સંબોધન કરશે. કાલથી તા.6 એપ્રિલ સુધીના આ સત્રમાં 66 દિવસમાં 27 બેઠકો થશે. સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થશે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.


અંતિમ પૂર્ણ બજેટ છે 


લોકસભા ચૂંટણી 2024માં યોજાવાની છે, તેથી આ બજેટનું મોદી સરકાર માટે ખુબ જ મહત્વ છે. ચૂંટણી પૂર્વેનું આ અંતિમ પુર્ણ બજેટ હશે અને તેથી મોદી સરકાર હવે ‘રેવડી-કલ્ચર’ અપનાવે છે કે પછી અત્યંત ટાઈટ નાણાકીય સ્થિતિ જોતા રાજકોષીય ખાધ વગેરેની ચિંતા કરશે? તેના પર સામાન્ચ લોકોથી માડીને આર્થિક નિષ્ણાતોની નજર રહેશે. 


આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ


સંસદના બજેટ સત્ર પહેલા સોમવારે (30 જાન્યુઆરી) દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 27 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આજે સર્વપક્ષીય બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આજની બેઠક સારી રહી, હું સંસદને સારી રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છું છું. વિપક્ષો હવે કઈ રીતે ફલોર સ્ટ્રેટેજી ઘડે છે તેના પર સૌની નજર છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.