આવતી કાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, 31 જાન્યુ.એ આર્થિક સર્વે અને 1 ફેબ્રુ.એ બજેટ રજુ થશે


  • Published By :
  • Published Date : 2023-01-31 12:22:59

દેશમાં 2024થી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી વચ્ચે આવતીકાલથી શરૂ થનાર સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આવતી કાલે સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે. આ પછી સરકાર 2022-23ના વાર્ષિક આર્થિક સર્વેનો રિપોર્ટ સંસદમાં રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. 


રાષ્ટ્રપતિ મુર્મુ બન્ને ગૃહોને કરશે સંબોધન


કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બન્ને સદનોને સંયુક્ત રીતે સંબોધન કરશે. કાલથી તા.6 એપ્રિલ સુધીના આ સત્રમાં 66 દિવસમાં 27 બેઠકો થશે. સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થશે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.


અંતિમ પૂર્ણ બજેટ છે 


લોકસભા ચૂંટણી 2024માં યોજાવાની છે, તેથી આ બજેટનું મોદી સરકાર માટે ખુબ જ મહત્વ છે. ચૂંટણી પૂર્વેનું આ અંતિમ પુર્ણ બજેટ હશે અને તેથી મોદી સરકાર હવે ‘રેવડી-કલ્ચર’ અપનાવે છે કે પછી અત્યંત ટાઈટ નાણાકીય સ્થિતિ જોતા રાજકોષીય ખાધ વગેરેની ચિંતા કરશે? તેના પર સામાન્ચ લોકોથી માડીને આર્થિક નિષ્ણાતોની નજર રહેશે. 


આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ


સંસદના બજેટ સત્ર પહેલા સોમવારે (30 જાન્યુઆરી) દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 27 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આજે સર્વપક્ષીય બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આજની બેઠક સારી રહી, હું સંસદને સારી રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છું છું. વિપક્ષો હવે કઈ રીતે ફલોર સ્ટ્રેટેજી ઘડે છે તેના પર સૌની નજર છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.