દિલ્હીમાં 5 માળની ઈમારત ધરાશાઈ, કોઈ જાનહાનિ નહીં, video જોઈ લોકો દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-03-08 19:18:58

હોળીના દિવસે દિલ્હીના વિજય પાર્ક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અચાનક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણે તે વખતે ઘરની આસપાસ કોઈ નહોતું, નહીંતર તેની ઝપેટમાં ઘણા લોકો ભોગ હોત. જોકે આસપાસના મકાનોને થોડું નુકસાન થયું છે. દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા હતા. 


સમગ્ર મામલો શું છે


દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના મૌજપુર સ્થિત વિજય પાર્ક ગલી નંબર 24માં થઈ હતી. મકાનમાં રહેતા 2 થી 3 જેટલા પરિવારો બિલ્ડીંગમાં ફસાયા હતા જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી મુજબ આ ઘર 18 યાર્ડમાં બનાવવામાં આવ્યું હતું.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.