દિલ્હીમાં 5 માળની ઈમારત ધરાશાઈ, કોઈ જાનહાનિ નહીં, video જોઈ લોકો દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-03-08 19:18:58

હોળીના દિવસે દિલ્હીના વિજય પાર્ક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અચાનક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણે તે વખતે ઘરની આસપાસ કોઈ નહોતું, નહીંતર તેની ઝપેટમાં ઘણા લોકો ભોગ હોત. જોકે આસપાસના મકાનોને થોડું નુકસાન થયું છે. દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા હતા. 


સમગ્ર મામલો શું છે


દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના મૌજપુર સ્થિત વિજય પાર્ક ગલી નંબર 24માં થઈ હતી. મકાનમાં રહેતા 2 થી 3 જેટલા પરિવારો બિલ્ડીંગમાં ફસાયા હતા જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી મુજબ આ ઘર 18 યાર્ડમાં બનાવવામાં આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે