દિલ્હીમાં 5 માળની ઈમારત ધરાશાઈ, કોઈ જાનહાનિ નહીં, video જોઈ લોકો દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-03-08 19:18:58

હોળીના દિવસે દિલ્હીના વિજય પાર્ક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અચાનક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણે તે વખતે ઘરની આસપાસ કોઈ નહોતું, નહીંતર તેની ઝપેટમાં ઘણા લોકો ભોગ હોત. જોકે આસપાસના મકાનોને થોડું નુકસાન થયું છે. દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા હતા. 


સમગ્ર મામલો શું છે


દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના મૌજપુર સ્થિત વિજય પાર્ક ગલી નંબર 24માં થઈ હતી. મકાનમાં રહેતા 2 થી 3 જેટલા પરિવારો બિલ્ડીંગમાં ફસાયા હતા જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી મુજબ આ ઘર 18 યાર્ડમાં બનાવવામાં આવ્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.