દિલ્હીમાં 5 માળની ઈમારત ધરાશાઈ, કોઈ જાનહાનિ નહીં, video જોઈ લોકો દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-03-08 19:18:58

હોળીના દિવસે દિલ્હીના વિજય પાર્ક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અચાનક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણે તે વખતે ઘરની આસપાસ કોઈ નહોતું, નહીંતર તેની ઝપેટમાં ઘણા લોકો ભોગ હોત. જોકે આસપાસના મકાનોને થોડું નુકસાન થયું છે. દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા હતા. 


સમગ્ર મામલો શું છે


દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના મૌજપુર સ્થિત વિજય પાર્ક ગલી નંબર 24માં થઈ હતી. મકાનમાં રહેતા 2 થી 3 જેટલા પરિવારો બિલ્ડીંગમાં ફસાયા હતા જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી મુજબ આ ઘર 18 યાર્ડમાં બનાવવામાં આવ્યું હતું.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.