વિશ્વ વિખ્યાત બુર્જ ખલીફા નજીકની 35 માળની ઈમારત પર લાગી આગ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:30:15


સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં આગનો એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે થઈ હતી. દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટના એટલા માટે ખૂબ મોટી હતી કારણ કે આગ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પાસે લાગી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.


પોલીસે ઘટનાનો કર્યો ઈન્કાર 


ઈમારતમાં લાગેલી આગનો વીડિયો જોઈને લાગે છે કે કોઈ મોટી મીણબત્તી સળગી રહી છે. આ ભયાનક આગ ઈમારતના દરેક ફ્લોરની બાલ્કનીમાંથી ફેલાઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ ઈમારત પર કાળા નિશાન દેખાય છે. આ ઇમારત UAE સરકાર સમર્થિત એમાર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલ 8 બુલવાર્ડ વોક નામના ટાવર્સની શ્રેણીનો એક ભાગ છે. દુબઈ પોલીસ અને સિવિલ ડિફેન્સે તાત્કાલિક આગનો ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો ન હતો. એમાર ડેવલપર્સે પણ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી અને ન તો દુબઈની મીડિયા ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.