વિશ્વ વિખ્યાત બુર્જ ખલીફા નજીકની 35 માળની ઈમારત પર લાગી આગ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:30:15


સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં આગનો એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે થઈ હતી. દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટના એટલા માટે ખૂબ મોટી હતી કારણ કે આગ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પાસે લાગી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.


પોલીસે ઘટનાનો કર્યો ઈન્કાર 


ઈમારતમાં લાગેલી આગનો વીડિયો જોઈને લાગે છે કે કોઈ મોટી મીણબત્તી સળગી રહી છે. આ ભયાનક આગ ઈમારતના દરેક ફ્લોરની બાલ્કનીમાંથી ફેલાઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ ઈમારત પર કાળા નિશાન દેખાય છે. આ ઇમારત UAE સરકાર સમર્થિત એમાર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલ 8 બુલવાર્ડ વોક નામના ટાવર્સની શ્રેણીનો એક ભાગ છે. દુબઈ પોલીસ અને સિવિલ ડિફેન્સે તાત્કાલિક આગનો ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો ન હતો. એમાર ડેવલપર્સે પણ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી અને ન તો દુબઈની મીડિયા ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .