ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:28



ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અમદાવાદથી મુંબઈ આવતા સમયે પાલઘર નજીક કાર અકસ્માતમાં નિધન થયું છે. અમદાવાદથી સાયરસ મિસ્ત્રી સહિત કુલ 4 લોકો મર્સિડીઝ બેન્ઝ કારમાં બેસીને મુંબઈ આવી રહ્યા હતા. પાલઘર નજીક સૂર્યા નદીના પુલ પર મર્સિડીઝનો અકસ્માત થયો હતો. કારમાંથી ચારેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં સાયરસ મિસ્ત્રી સહિત એક વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 



પાલઘર પોલીસે શું સ્પષ્ટતા કરી?

મર્સિડીઝ કાર નંબર MH-47-AB-6705નો પાલઘર નજીક અકસ્માત થયો હતો. જેમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના સિવાય જહાંગીર દિનશા પંડોલનું નિધન થયું છે. ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક રીતે એવું લાગે છે કે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રી સહિતના સવાર લોકોને કાસાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કાર્યપદ્ધતિ મુજબ પાલઘર પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ આગળની સીટ પર બેઠા હતા એરબેગના કારણે બંનેનો બચાવ થયો હતો. જ્યારે સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનસા પંડોલ પાછળની સીટ બેઠા હોવાના કારણે તેમનું નિધન થયું હતું. 



અનેક મોટા નેતાએ શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રીને સમગ્ર મામલો ધ્યાનમાં આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીનું આવી રીતે જવાથી શોકની લાગણી અનુભવું છું. તેઓ એક આશાસ્પદ ઉદ્યોગપતિ હતા જે આર્થિક ક્ષમતામાં વિશ્વાસ રાખતા હતા. ઉદ્યોગ અને વાણિજ્ય જગત માટે આ મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રોને સંવેદના પાઠવું છું." જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીના નિધનથી દેશની આર્થિક શક્તિને મોટી ખોટ પડી છે. નમ્રતા તેમનો કાયમી લક્ષણ હતો. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."


કોણ હતા સાયરસ મિસ્ત્રી?

સાયરસ મિસ્ત્રી શાપૂરજી પાલોનજી ગ્રુપ પાલોનજી મિસ્ત્રીના પુત્ર હતા. તેઓએ વિદેશથી મેનેજમેન્ટ વિષયનો અભ્યાસ કર્યો હતો. 1991થી તેઓ ઉદ્યોગજગત સાથે જોડાયા હતા. તેઓએ જ્યારે વર્ષ 2012માં ટાટા સન્સના ચેરમેન પદે નિમણૂક થઈ હતી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. ચાર વર્ષ ટાટા સન્સના ચેરમેન પદે સેવા આપી 2016ના રોજ રાજીનામુ આપ્યું હતું. વિવાદ બાદ 2017માં એન. ચંદ્રશેખર ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. ટાટા સન્સ સામે તેઓ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આજે ઉદવાડાથી મુંબઈ જતા સમયે સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત થયો હતો જેમાં ચારમાંથી 2 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.