ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:28



ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અમદાવાદથી મુંબઈ આવતા સમયે પાલઘર નજીક કાર અકસ્માતમાં નિધન થયું છે. અમદાવાદથી સાયરસ મિસ્ત્રી સહિત કુલ 4 લોકો મર્સિડીઝ બેન્ઝ કારમાં બેસીને મુંબઈ આવી રહ્યા હતા. પાલઘર નજીક સૂર્યા નદીના પુલ પર મર્સિડીઝનો અકસ્માત થયો હતો. કારમાંથી ચારેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં સાયરસ મિસ્ત્રી સહિત એક વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 



પાલઘર પોલીસે શું સ્પષ્ટતા કરી?

મર્સિડીઝ કાર નંબર MH-47-AB-6705નો પાલઘર નજીક અકસ્માત થયો હતો. જેમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના સિવાય જહાંગીર દિનશા પંડોલનું નિધન થયું છે. ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક રીતે એવું લાગે છે કે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રી સહિતના સવાર લોકોને કાસાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કાર્યપદ્ધતિ મુજબ પાલઘર પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ આગળની સીટ પર બેઠા હતા એરબેગના કારણે બંનેનો બચાવ થયો હતો. જ્યારે સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનસા પંડોલ પાછળની સીટ બેઠા હોવાના કારણે તેમનું નિધન થયું હતું. 



અનેક મોટા નેતાએ શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રીને સમગ્ર મામલો ધ્યાનમાં આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીનું આવી રીતે જવાથી શોકની લાગણી અનુભવું છું. તેઓ એક આશાસ્પદ ઉદ્યોગપતિ હતા જે આર્થિક ક્ષમતામાં વિશ્વાસ રાખતા હતા. ઉદ્યોગ અને વાણિજ્ય જગત માટે આ મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રોને સંવેદના પાઠવું છું." જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીના નિધનથી દેશની આર્થિક શક્તિને મોટી ખોટ પડી છે. નમ્રતા તેમનો કાયમી લક્ષણ હતો. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."


કોણ હતા સાયરસ મિસ્ત્રી?

સાયરસ મિસ્ત્રી શાપૂરજી પાલોનજી ગ્રુપ પાલોનજી મિસ્ત્રીના પુત્ર હતા. તેઓએ વિદેશથી મેનેજમેન્ટ વિષયનો અભ્યાસ કર્યો હતો. 1991થી તેઓ ઉદ્યોગજગત સાથે જોડાયા હતા. તેઓએ જ્યારે વર્ષ 2012માં ટાટા સન્સના ચેરમેન પદે નિમણૂક થઈ હતી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. ચાર વર્ષ ટાટા સન્સના ચેરમેન પદે સેવા આપી 2016ના રોજ રાજીનામુ આપ્યું હતું. વિવાદ બાદ 2017માં એન. ચંદ્રશેખર ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. ટાટા સન્સ સામે તેઓ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આજે ઉદવાડાથી મુંબઈ જતા સમયે સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત થયો હતો જેમાં ચારમાંથી 2 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .