ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:28



ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અમદાવાદથી મુંબઈ આવતા સમયે પાલઘર નજીક કાર અકસ્માતમાં નિધન થયું છે. અમદાવાદથી સાયરસ મિસ્ત્રી સહિત કુલ 4 લોકો મર્સિડીઝ બેન્ઝ કારમાં બેસીને મુંબઈ આવી રહ્યા હતા. પાલઘર નજીક સૂર્યા નદીના પુલ પર મર્સિડીઝનો અકસ્માત થયો હતો. કારમાંથી ચારેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં સાયરસ મિસ્ત્રી સહિત એક વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 



પાલઘર પોલીસે શું સ્પષ્ટતા કરી?

મર્સિડીઝ કાર નંબર MH-47-AB-6705નો પાલઘર નજીક અકસ્માત થયો હતો. જેમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના સિવાય જહાંગીર દિનશા પંડોલનું નિધન થયું છે. ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક રીતે એવું લાગે છે કે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રી સહિતના સવાર લોકોને કાસાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કાર્યપદ્ધતિ મુજબ પાલઘર પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ આગળની સીટ પર બેઠા હતા એરબેગના કારણે બંનેનો બચાવ થયો હતો. જ્યારે સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનસા પંડોલ પાછળની સીટ બેઠા હોવાના કારણે તેમનું નિધન થયું હતું. 



અનેક મોટા નેતાએ શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રીને સમગ્ર મામલો ધ્યાનમાં આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીનું આવી રીતે જવાથી શોકની લાગણી અનુભવું છું. તેઓ એક આશાસ્પદ ઉદ્યોગપતિ હતા જે આર્થિક ક્ષમતામાં વિશ્વાસ રાખતા હતા. ઉદ્યોગ અને વાણિજ્ય જગત માટે આ મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રોને સંવેદના પાઠવું છું." જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીના નિધનથી દેશની આર્થિક શક્તિને મોટી ખોટ પડી છે. નમ્રતા તેમનો કાયમી લક્ષણ હતો. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."


કોણ હતા સાયરસ મિસ્ત્રી?

સાયરસ મિસ્ત્રી શાપૂરજી પાલોનજી ગ્રુપ પાલોનજી મિસ્ત્રીના પુત્ર હતા. તેઓએ વિદેશથી મેનેજમેન્ટ વિષયનો અભ્યાસ કર્યો હતો. 1991થી તેઓ ઉદ્યોગજગત સાથે જોડાયા હતા. તેઓએ જ્યારે વર્ષ 2012માં ટાટા સન્સના ચેરમેન પદે નિમણૂક થઈ હતી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. ચાર વર્ષ ટાટા સન્સના ચેરમેન પદે સેવા આપી 2016ના રોજ રાજીનામુ આપ્યું હતું. વિવાદ બાદ 2017માં એન. ચંદ્રશેખર ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. ટાટા સન્સ સામે તેઓ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આજે ઉદવાડાથી મુંબઈ જતા સમયે સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત થયો હતો જેમાં ચારમાંથી 2 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.