ટ્વિટર પર વિડીયો શેર કરી ભાજપે કર્યો કોંગ્રેસ પર પલટવાર


  • Published By :
  • Published Date : 2022-12-01 13:46:58

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ગુજરાતમાં પ્રચાર કરવા દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસનો પ્રચાર કરતા હતા તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. અનેક વખત પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીને લઈ ટિપ્પ્ણી કરવામાં આવે છે. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ કહેવા માગે છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે મોદીને અપશબ્દો કહ્યા છે ત્યારે ત્યારે કોંગ્રેસની હાર થઈ છે.

કોંગ્રેસ દ્વારા પીએમને લઈ કરાતી ટિપ્પણી પર ભાજપનો પલટવાર

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થચા હોય છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મુખ્યત્વે ચૂંટણી પ્રચારમાં ઉતરતા હોય છે. પાર્ટીના પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાડતી હોય છે. અનેક વખત આપત્તિજનક ટિપ્પણી પણ કરવામાં આવે છે. જેને કારણે વિવાદ પણ સર્જાતો હોય છે. 

નવા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રિમોટ કન્ટ્રોલ ફગાવીને મરજી મુજબ  કામકાજ કરી શકશે? - BBC News ગુજરાતી

ગુજરાતમાં પ્રચાર દરમિયાન ખડગેએ કરી હતી રાવણ સાથે તુલના  

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ઉપરાંત ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી છે ત્યારે ત્યારે એ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે.       




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.