ટ્વિટર પર વિડીયો શેર કરી ભાજપે કર્યો કોંગ્રેસ પર પલટવાર


  • Published By :
  • Published Date : 2022-12-01 13:46:58

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ગુજરાતમાં પ્રચાર કરવા દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસનો પ્રચાર કરતા હતા તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. અનેક વખત પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીને લઈ ટિપ્પ્ણી કરવામાં આવે છે. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ કહેવા માગે છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે મોદીને અપશબ્દો કહ્યા છે ત્યારે ત્યારે કોંગ્રેસની હાર થઈ છે.

કોંગ્રેસ દ્વારા પીએમને લઈ કરાતી ટિપ્પણી પર ભાજપનો પલટવાર

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થચા હોય છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મુખ્યત્વે ચૂંટણી પ્રચારમાં ઉતરતા હોય છે. પાર્ટીના પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાડતી હોય છે. અનેક વખત આપત્તિજનક ટિપ્પણી પણ કરવામાં આવે છે. જેને કારણે વિવાદ પણ સર્જાતો હોય છે. 

નવા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રિમોટ કન્ટ્રોલ ફગાવીને મરજી મુજબ  કામકાજ કરી શકશે? - BBC News ગુજરાતી

ગુજરાતમાં પ્રચાર દરમિયાન ખડગેએ કરી હતી રાવણ સાથે તુલના  

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ઉપરાંત ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી છે ત્યારે ત્યારે એ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે.       




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે