ટ્વિટર પર વિડીયો શેર કરી ભાજપે કર્યો કોંગ્રેસ પર પલટવાર


  • Published By :
  • Published Date : 2022-12-01 13:46:58

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ગુજરાતમાં પ્રચાર કરવા દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસનો પ્રચાર કરતા હતા તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. અનેક વખત પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીને લઈ ટિપ્પ્ણી કરવામાં આવે છે. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ કહેવા માગે છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે મોદીને અપશબ્દો કહ્યા છે ત્યારે ત્યારે કોંગ્રેસની હાર થઈ છે.

કોંગ્રેસ દ્વારા પીએમને લઈ કરાતી ટિપ્પણી પર ભાજપનો પલટવાર

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થચા હોય છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મુખ્યત્વે ચૂંટણી પ્રચારમાં ઉતરતા હોય છે. પાર્ટીના પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાડતી હોય છે. અનેક વખત આપત્તિજનક ટિપ્પણી પણ કરવામાં આવે છે. જેને કારણે વિવાદ પણ સર્જાતો હોય છે. 

નવા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રિમોટ કન્ટ્રોલ ફગાવીને મરજી મુજબ  કામકાજ કરી શકશે? - BBC News ગુજરાતી

ગુજરાતમાં પ્રચાર દરમિયાન ખડગેએ કરી હતી રાવણ સાથે તુલના  

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ઉપરાંત ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી છે ત્યારે ત્યારે એ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે.       




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.