ટ્વિટર પર વિડીયો શેર કરી ભાજપે કર્યો કોંગ્રેસ પર પલટવાર


  • Published By :
  • Published Date : 2022-12-01 13:46:58

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ગુજરાતમાં પ્રચાર કરવા દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસનો પ્રચાર કરતા હતા તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. અનેક વખત પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીને લઈ ટિપ્પ્ણી કરવામાં આવે છે. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ કહેવા માગે છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે મોદીને અપશબ્દો કહ્યા છે ત્યારે ત્યારે કોંગ્રેસની હાર થઈ છે.

કોંગ્રેસ દ્વારા પીએમને લઈ કરાતી ટિપ્પણી પર ભાજપનો પલટવાર

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થચા હોય છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મુખ્યત્વે ચૂંટણી પ્રચારમાં ઉતરતા હોય છે. પાર્ટીના પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાડતી હોય છે. અનેક વખત આપત્તિજનક ટિપ્પણી પણ કરવામાં આવે છે. જેને કારણે વિવાદ પણ સર્જાતો હોય છે. 

નવા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રિમોટ કન્ટ્રોલ ફગાવીને મરજી મુજબ  કામકાજ કરી શકશે? - BBC News ગુજરાતી

ગુજરાતમાં પ્રચાર દરમિયાન ખડગેએ કરી હતી રાવણ સાથે તુલના  

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ઉપરાંત ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી છે ત્યારે ત્યારે એ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે.       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.