માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવાથી સાધક બને છે સાહસિક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 06:59:01

નવરાત્રી દરમિયાન માતાજીના અલગ-અલગ સ્વરુપોની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા માતાની ઉપાસના કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવાથી ઉપાસક પરાક્રમી અને નિર્ભયી બને છે. છે. માતા ચંદ્રઘંટા ઉપાસકોને તમામ ડરથી મુક્તિ આપે છે. 

Goddess Chandraghanta (Third Day Navratri Devi): Story, Beej Mantra in  English & Hindi - Rudra Centre


શા માટે માતાજીનું નામ પડ્યું ચંદ્રઘંટા

માતાજીએ મસ્તક પર ચંદ્રને ધારણ કર્યો છે જેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે દૈત્યોનો સંહાર કરવા તેવો અવતરિત થયા હતા. માતા ચંદ્રઘંટા સિંહ પર સવારી કરે છે. તેમના 10 હાથ છે. જેમાં તલવાર, ત્રિશુળ, ગદા સહિત અનેક અસ્ત્ર શસ્ત્ર શોભી રહ્યા છે.


ત્રીજા દિવસે કયો રંગ અને ભોગ કરવો અર્પણ

નવરાત્રીના નવ દિવસો દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. royal blue color માતા ચંદ્રઘંટાને પ્રિય હોવાથી ત્રીજા દિવસે તેનું મહાત્મય વધી જાય છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીને દૂધ અર્પણ કરવામાં આવે છે. દૂધ અર્પણ કરવાથી ધન વૈભવ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ સાધકને થાય છે.  


કયા મંત્રથી કરવી દેવીની ઉપાસના 

માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર- 

पिण्डजप्रवरारूढ़ा ण्डकोपास्त्रकेर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥

જો કોઈ સાધક તેમના મંત્રની ઉપાસના ન કરી શકે તો તેમનો બીજ મંત્રની ઉપાસના કરી શકે છે.  ऐं श्रीं शक्तयै नम: નો 108 વાર જપ કરવાથી ચંદ્રઘંટા પ્રસન્ન થાય છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી