ICAIએ જાહેર કર્યું CAનું ફાઇનલ રિઝલ્ટ, દેશને મળ્યા 13,430 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનો અક્ષય જૈન ટોપર


  • Published By :
  • Published Date : 2023-07-05 17:12:32

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ આજે ​​5મી જુલાઈના રોજ CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલના પરિણામો જાહેર કર્યા છે. ICAI CA ની ઇન્ટર અને ફાઇનલ પરીક્ષા મે 2023 માં યોજાવાની હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ વર્ષની CA ફાઈનલ પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે 13,430 વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે. 


અક્ષય જૈને ટોપ કર્યું


ICAIએ CA રિઝલ્ટ 2023 હેઠળ ફાઈનલ અને ઈન્ટરમિડીએટની મે મહિનામાં લેવાયેલી પરીક્ષામાં મહત્તમ અંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં (CA Toppers List 2023) પણ જારી કર્યું છે. આ લિસ્ટ મુજબ અમદાવાદના અક્ષય જૈને આ વર્ષે  CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે. નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંકે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે હૈદરાબાદના વાય ગોકુલે ઇન્ટરમાં ટોપ કર્યું છે. અગાઉ, સંસ્થા દ્વારા તાજેતરની નોટિસ જારી કરીને CA ફાઇનલ પરિણામ મે 2023 અને CA ઇન્ટર રિઝલ્ટ મે 2023ની તારીખ આપવામાં આવી હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ફાઇનલ અને ઇન્ટર-મે પરીક્ષાના પરિણામો બુધવારે જાહેર થવાના હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.