ICAIએ જાહેર કર્યું CAનું ફાઇનલ રિઝલ્ટ, દેશને મળ્યા 13,430 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનો અક્ષય જૈન ટોપર


  • Published By :
  • Published Date : 2023-07-05 17:12:32

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ આજે ​​5મી જુલાઈના રોજ CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલના પરિણામો જાહેર કર્યા છે. ICAI CA ની ઇન્ટર અને ફાઇનલ પરીક્ષા મે 2023 માં યોજાવાની હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ વર્ષની CA ફાઈનલ પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે 13,430 વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે. 


અક્ષય જૈને ટોપ કર્યું


ICAIએ CA રિઝલ્ટ 2023 હેઠળ ફાઈનલ અને ઈન્ટરમિડીએટની મે મહિનામાં લેવાયેલી પરીક્ષામાં મહત્તમ અંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં (CA Toppers List 2023) પણ જારી કર્યું છે. આ લિસ્ટ મુજબ અમદાવાદના અક્ષય જૈને આ વર્ષે  CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે. નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંકે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે હૈદરાબાદના વાય ગોકુલે ઇન્ટરમાં ટોપ કર્યું છે. અગાઉ, સંસ્થા દ્વારા તાજેતરની નોટિસ જારી કરીને CA ફાઇનલ પરિણામ મે 2023 અને CA ઇન્ટર રિઝલ્ટ મે 2023ની તારીખ આપવામાં આવી હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ફાઇનલ અને ઇન્ટર-મે પરીક્ષાના પરિણામો બુધવારે જાહેર થવાના હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.