ICAIએ જાહેર કર્યું CAનું ફાઇનલ રિઝલ્ટ, દેશને મળ્યા 13,430 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનો અક્ષય જૈન ટોપર


  • Published By :
  • Published Date : 2023-07-05 17:12:32

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ આજે ​​5મી જુલાઈના રોજ CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલના પરિણામો જાહેર કર્યા છે. ICAI CA ની ઇન્ટર અને ફાઇનલ પરીક્ષા મે 2023 માં યોજાવાની હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ વર્ષની CA ફાઈનલ પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે 13,430 વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે. 


અક્ષય જૈને ટોપ કર્યું


ICAIએ CA રિઝલ્ટ 2023 હેઠળ ફાઈનલ અને ઈન્ટરમિડીએટની મે મહિનામાં લેવાયેલી પરીક્ષામાં મહત્તમ અંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં (CA Toppers List 2023) પણ જારી કર્યું છે. આ લિસ્ટ મુજબ અમદાવાદના અક્ષય જૈને આ વર્ષે  CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે. નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંકે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે હૈદરાબાદના વાય ગોકુલે ઇન્ટરમાં ટોપ કર્યું છે. અગાઉ, સંસ્થા દ્વારા તાજેતરની નોટિસ જારી કરીને CA ફાઇનલ પરિણામ મે 2023 અને CA ઇન્ટર રિઝલ્ટ મે 2023ની તારીખ આપવામાં આવી હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ફાઇનલ અને ઇન્ટર-મે પરીક્ષાના પરિણામો બુધવારે જાહેર થવાના હતા.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.