પબુભા બાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતની જાહેરાત, પગાર ભથ્થું નહીં લેવાનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-23 18:13:34

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક કરોડપતિ ધારાસભ્યો વિજયી થયા હતા. આ અમિર ધારાસભ્યોએ પગાર અને ભથ્થા નહીં લેવાનો નવો ચીલો ચાતર્યો છે. દેવભૂમિ દ્વારકા બેઠક પરથી ચૂંટાનારા પભુભા માણેક બાદ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ મંત્રી તરીકેનું પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી છે.


CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર 


કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળે છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખીને પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી. આર્થિક રીતે સધ્ધર બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી બે વાર જીત્યા છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.


કોણ છે બળવતસિંહ રાજપુત?


નવા મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપુત 100 કરોડથી વધુની એટલે કે 327 કરોડની મિલકતો ધરાવે છે. સફળ બિઝનેસ મેન અને ગોકુલ ગૃપના માલિક બળવંતસિંહ રાજપુત ગ્રેજ્યુએટ છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.