પબુભા બાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતની જાહેરાત, પગાર ભથ્થું નહીં લેવાનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-23 18:13:34

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક કરોડપતિ ધારાસભ્યો વિજયી થયા હતા. આ અમિર ધારાસભ્યોએ પગાર અને ભથ્થા નહીં લેવાનો નવો ચીલો ચાતર્યો છે. દેવભૂમિ દ્વારકા બેઠક પરથી ચૂંટાનારા પભુભા માણેક બાદ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ મંત્રી તરીકેનું પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી છે.


CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર 


કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળે છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખીને પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી. આર્થિક રીતે સધ્ધર બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી બે વાર જીત્યા છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.


કોણ છે બળવતસિંહ રાજપુત?


નવા મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપુત 100 કરોડથી વધુની એટલે કે 327 કરોડની મિલકતો ધરાવે છે. સફળ બિઝનેસ મેન અને ગોકુલ ગૃપના માલિક બળવંતસિંહ રાજપુત ગ્રેજ્યુએટ છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.