પતિને પુરાવા વિના વ્યભિચારી અને દારુડિયો કહેવો ક્રૂરતા છે:બોમ્બે હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-26 17:02:11

મહિલાએ પુનેની ફેમિલા કોર્ટના 2005ના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
પુનેની ફેમિલી કોર્ટે તેના લગ્ન ભંગ કરી દેતો ચુકાદો આપ્યો હતો.
નિવૃત્ત સેનાધિકારી સામે તેમની પત્નીએ વ્યભિચારી અને દારુડિયા હોવાના આરોપ લગાવ્યા હતા.

2008 Gujarat blast case: Bombay HC asks special court to decide plea of  accused against MCOCA charges

પતિ અને પત્નીના એક મામલામાં બોમ્બે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈ પુરાવા વિના પતિ પર વ્યભિચારી અને દારુડિયો હોવાનો આરોપ લગાવવો એ કૂરતા જ છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે અને પુરતા પુરુવા રજૂ કરાયા નથી. મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મુજબ કહ્યું હતું.

Courageous wives of Bihar, India and drunk husbands

બોમ્બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પત્ની કોઈ પુરુવા કે આધાર વિના પોતાના પતિને વ્યભિચારી કે દારુડિયો કહે છે, તો તે પણ ક્રૂરતા જ મનાશે. હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન આ કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, જો પુરાવા વિના કોઈના પર આવા આરોપ લાગવાય છે, તો તે પણ માનસિક પીડા આપવા સમાન છે.

Maharashtra Family Courts/District Court in India | Official Website of  District Court of India

હકીકતમાં, 50 વર્ષની એક મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના વર્ષ 2005ના એ આદેશને પડકાર્યો હતો, જેમાં તેના લગ્નને ભંગ કરી દેવાયા હતા. ત્યારે પતિએ જ પોતાની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે, તેની તરફથી ખોટા આરોપ લગાવાય છે અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પતિ એક નિવૃત્ત સેના અધિકારી હતા, જેમનું સુનવાણી દરમિયાન મોત થઈ ગયું હતું. મહિલાએ ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે ભાર આપીને કહેવાયું હતું કે, મહિલાનો પતિ વુમનાઈઝર અને દારુડિયો હતો. એ કારણે જ્યારે તેનું મોત થઈ ગયું, તેને એ દરેક અધિકારથી વંચિત કરી દેવાઈ, જે તેને મળવા જોઈતા હતા.


પરંતુ, જજ નીતિન જામદાર અને જજ શર્મિલા દેશમુખની બેન્ચે મહિલાની એ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે, પૂરતા પુરુવા રજૂ નથી કરાયા. એટલું જ નહીં, મહિલાની બહેને આજ સુધી એક વખત પણ એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, મહિલાનો પતિ વુમનાઈઝર કે દારુડિયો હતો. તો, જ્યારે આ મામલો ફેમિલી કોર્ટમાં હતો, ત્યારે પતિએ દાવો કર્યો હતો કે, તેની પત્ની તેને પોતાના બાળકોને મળવા દેતી નથી. પતિ દ્વારા એવો પણ આરોપ લગાવાયો હતો કે, પત્ની દ્વારા સમાજની સામે તેને લઈને ઘણા ખોટા દાવાઓ કરાયા હતા, જે કારણે તેમની સમાજમાં પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ હતી. હવે એ બધી દલીલોને ધ્યાનમાં રાખીને બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, ક્રૂરતાનો સરળ અર્થ એ જ થાય છે કે, એક બીજ પક્ષને માનસિક પીડા થાય તેવું વર્તન કરવામાં આવે, તેનું તેના સાથી સાથે રહેવું શક્ય ન હોય.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .