પતિને પુરાવા વિના વ્યભિચારી અને દારુડિયો કહેવો ક્રૂરતા છે:બોમ્બે હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-26 17:02:11

મહિલાએ પુનેની ફેમિલા કોર્ટના 2005ના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
પુનેની ફેમિલી કોર્ટે તેના લગ્ન ભંગ કરી દેતો ચુકાદો આપ્યો હતો.
નિવૃત્ત સેનાધિકારી સામે તેમની પત્નીએ વ્યભિચારી અને દારુડિયા હોવાના આરોપ લગાવ્યા હતા.

2008 Gujarat blast case: Bombay HC asks special court to decide plea of  accused against MCOCA charges

પતિ અને પત્નીના એક મામલામાં બોમ્બે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈ પુરાવા વિના પતિ પર વ્યભિચારી અને દારુડિયો હોવાનો આરોપ લગાવવો એ કૂરતા જ છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે અને પુરતા પુરુવા રજૂ કરાયા નથી. મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મુજબ કહ્યું હતું.

Courageous wives of Bihar, India and drunk husbands

બોમ્બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પત્ની કોઈ પુરુવા કે આધાર વિના પોતાના પતિને વ્યભિચારી કે દારુડિયો કહે છે, તો તે પણ ક્રૂરતા જ મનાશે. હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન આ કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, જો પુરાવા વિના કોઈના પર આવા આરોપ લાગવાય છે, તો તે પણ માનસિક પીડા આપવા સમાન છે.

Maharashtra Family Courts/District Court in India | Official Website of  District Court of India

હકીકતમાં, 50 વર્ષની એક મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના વર્ષ 2005ના એ આદેશને પડકાર્યો હતો, જેમાં તેના લગ્નને ભંગ કરી દેવાયા હતા. ત્યારે પતિએ જ પોતાની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે, તેની તરફથી ખોટા આરોપ લગાવાય છે અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પતિ એક નિવૃત્ત સેના અધિકારી હતા, જેમનું સુનવાણી દરમિયાન મોત થઈ ગયું હતું. મહિલાએ ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે ભાર આપીને કહેવાયું હતું કે, મહિલાનો પતિ વુમનાઈઝર અને દારુડિયો હતો. એ કારણે જ્યારે તેનું મોત થઈ ગયું, તેને એ દરેક અધિકારથી વંચિત કરી દેવાઈ, જે તેને મળવા જોઈતા હતા.


પરંતુ, જજ નીતિન જામદાર અને જજ શર્મિલા દેશમુખની બેન્ચે મહિલાની એ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે, પૂરતા પુરુવા રજૂ નથી કરાયા. એટલું જ નહીં, મહિલાની બહેને આજ સુધી એક વખત પણ એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, મહિલાનો પતિ વુમનાઈઝર કે દારુડિયો હતો. તો, જ્યારે આ મામલો ફેમિલી કોર્ટમાં હતો, ત્યારે પતિએ દાવો કર્યો હતો કે, તેની પત્ની તેને પોતાના બાળકોને મળવા દેતી નથી. પતિ દ્વારા એવો પણ આરોપ લગાવાયો હતો કે, પત્ની દ્વારા સમાજની સામે તેને લઈને ઘણા ખોટા દાવાઓ કરાયા હતા, જે કારણે તેમની સમાજમાં પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ હતી. હવે એ બધી દલીલોને ધ્યાનમાં રાખીને બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, ક્રૂરતાનો સરળ અર્થ એ જ થાય છે કે, એક બીજ પક્ષને માનસિક પીડા થાય તેવું વર્તન કરવામાં આવે, તેનું તેના સાથી સાથે રહેવું શક્ય ન હોય.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.