પતિને પુરાવા વિના વ્યભિચારી અને દારુડિયો કહેવો ક્રૂરતા છે:બોમ્બે હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-26 17:02:11

મહિલાએ પુનેની ફેમિલા કોર્ટના 2005ના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
પુનેની ફેમિલી કોર્ટે તેના લગ્ન ભંગ કરી દેતો ચુકાદો આપ્યો હતો.
નિવૃત્ત સેનાધિકારી સામે તેમની પત્નીએ વ્યભિચારી અને દારુડિયા હોવાના આરોપ લગાવ્યા હતા.

2008 Gujarat blast case: Bombay HC asks special court to decide plea of  accused against MCOCA charges

પતિ અને પત્નીના એક મામલામાં બોમ્બે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈ પુરાવા વિના પતિ પર વ્યભિચારી અને દારુડિયો હોવાનો આરોપ લગાવવો એ કૂરતા જ છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે અને પુરતા પુરુવા રજૂ કરાયા નથી. મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મુજબ કહ્યું હતું.

Courageous wives of Bihar, India and drunk husbands

બોમ્બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પત્ની કોઈ પુરુવા કે આધાર વિના પોતાના પતિને વ્યભિચારી કે દારુડિયો કહે છે, તો તે પણ ક્રૂરતા જ મનાશે. હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન આ કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, જો પુરાવા વિના કોઈના પર આવા આરોપ લાગવાય છે, તો તે પણ માનસિક પીડા આપવા સમાન છે.

Maharashtra Family Courts/District Court in India | Official Website of  District Court of India

હકીકતમાં, 50 વર્ષની એક મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના વર્ષ 2005ના એ આદેશને પડકાર્યો હતો, જેમાં તેના લગ્નને ભંગ કરી દેવાયા હતા. ત્યારે પતિએ જ પોતાની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે, તેની તરફથી ખોટા આરોપ લગાવાય છે અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પતિ એક નિવૃત્ત સેના અધિકારી હતા, જેમનું સુનવાણી દરમિયાન મોત થઈ ગયું હતું. મહિલાએ ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે ભાર આપીને કહેવાયું હતું કે, મહિલાનો પતિ વુમનાઈઝર અને દારુડિયો હતો. એ કારણે જ્યારે તેનું મોત થઈ ગયું, તેને એ દરેક અધિકારથી વંચિત કરી દેવાઈ, જે તેને મળવા જોઈતા હતા.


પરંતુ, જજ નીતિન જામદાર અને જજ શર્મિલા દેશમુખની બેન્ચે મહિલાની એ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે, પૂરતા પુરુવા રજૂ નથી કરાયા. એટલું જ નહીં, મહિલાની બહેને આજ સુધી એક વખત પણ એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, મહિલાનો પતિ વુમનાઈઝર કે દારુડિયો હતો. તો, જ્યારે આ મામલો ફેમિલી કોર્ટમાં હતો, ત્યારે પતિએ દાવો કર્યો હતો કે, તેની પત્ની તેને પોતાના બાળકોને મળવા દેતી નથી. પતિ દ્વારા એવો પણ આરોપ લગાવાયો હતો કે, પત્ની દ્વારા સમાજની સામે તેને લઈને ઘણા ખોટા દાવાઓ કરાયા હતા, જે કારણે તેમની સમાજમાં પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ હતી. હવે એ બધી દલીલોને ધ્યાનમાં રાખીને બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, ક્રૂરતાનો સરળ અર્થ એ જ થાય છે કે, એક બીજ પક્ષને માનસિક પીડા થાય તેવું વર્તન કરવામાં આવે, તેનું તેના સાથી સાથે રહેવું શક્ય ન હોય.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.