કેનેડાની સેનાએ ભારતીયો માટે ભરતીના દ્વાર ખોલ્યા, સશસ્ત્ર દળોમાં જવાનોની ભારે ઘટ


  • Published By :
  • Published Date : 2022-11-14 18:27:16

કેનેડામાં નિવાસ કરતા ભારતીય સમુદાય માટે તે દેશની સેનામાં નોકરી મેળવવાનૌ માર્ગ મોકળો બની ગયો છે. દેશની ઘટતી વસ્તીથી પરેશાન કેનેડાની સરકારે હવે કેનેડાના સશસ્ત્ર દળોમાં હવે દેશમાં રહેતા કાયમી નિવાસીઓને પણ હવે સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની સેનામાં જવાનોની મોટા પ્રમાણમાં ઘટ સર્જાઈ છે.  


ભારતીયોને સેનામાં નોકરીની તક


મિડિયા રિપોર્ટ પ્રમાણે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની જુની ભરતી પ્રક્રિયામાં બદલાવ લાવવાની ઘોષણા કરવાના પાંચ વર્ષ બાદ હવે આ ઘોષણા કરવામાં આવી છે. કેનેડાની સરકારના આ પગલાથી કેનેડામાં છેલ્લા 10 વર્ષથી નિવાસ કરતા ભારતીયો પણ નોકરી માટે અરજીઓ કરી શકશે.


કેનેડાની સેનામાં જવાનોની ભારે ઘટ


કેનેડાની સેનામાં ભરતીના ઈચ્છુક કે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તે ગ્રેડ 10 કે ગ્રેડ 12ની ડિગ્રી મેળવી તે અરજી કરી શકશે. CAFએ સપ્ટેમ્બરમાં હજારો ખાલી જગ્યાઓ ભરવાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમાંથી અડધા હોદ્દાઓ પર ભરતી કરવા માટે તેમણે આ વર્ષે દર મહિને  5,900 જવાનોની ભરતી કરવી પડશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .