કેનેડાની સેનાએ ભારતીયો માટે ભરતીના દ્વાર ખોલ્યા, સશસ્ત્ર દળોમાં જવાનોની ભારે ઘટ


  • Published By :
  • Published Date : 2022-11-14 18:27:16

કેનેડામાં નિવાસ કરતા ભારતીય સમુદાય માટે તે દેશની સેનામાં નોકરી મેળવવાનૌ માર્ગ મોકળો બની ગયો છે. દેશની ઘટતી વસ્તીથી પરેશાન કેનેડાની સરકારે હવે કેનેડાના સશસ્ત્ર દળોમાં હવે દેશમાં રહેતા કાયમી નિવાસીઓને પણ હવે સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની સેનામાં જવાનોની મોટા પ્રમાણમાં ઘટ સર્જાઈ છે.  


ભારતીયોને સેનામાં નોકરીની તક


મિડિયા રિપોર્ટ પ્રમાણે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની જુની ભરતી પ્રક્રિયામાં બદલાવ લાવવાની ઘોષણા કરવાના પાંચ વર્ષ બાદ હવે આ ઘોષણા કરવામાં આવી છે. કેનેડાની સરકારના આ પગલાથી કેનેડામાં છેલ્લા 10 વર્ષથી નિવાસ કરતા ભારતીયો પણ નોકરી માટે અરજીઓ કરી શકશે.


કેનેડાની સેનામાં જવાનોની ભારે ઘટ


કેનેડાની સેનામાં ભરતીના ઈચ્છુક કે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તે ગ્રેડ 10 કે ગ્રેડ 12ની ડિગ્રી મેળવી તે અરજી કરી શકશે. CAFએ સપ્ટેમ્બરમાં હજારો ખાલી જગ્યાઓ ભરવાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમાંથી અડધા હોદ્દાઓ પર ભરતી કરવા માટે તેમણે આ વર્ષે દર મહિને  5,900 જવાનોની ભરતી કરવી પડશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.