કેનેડાની સેનાએ ભારતીયો માટે ભરતીના દ્વાર ખોલ્યા, સશસ્ત્ર દળોમાં જવાનોની ભારે ઘટ


  • Published By :
  • Published Date : 2022-11-14 18:27:16

કેનેડામાં નિવાસ કરતા ભારતીય સમુદાય માટે તે દેશની સેનામાં નોકરી મેળવવાનૌ માર્ગ મોકળો બની ગયો છે. દેશની ઘટતી વસ્તીથી પરેશાન કેનેડાની સરકારે હવે કેનેડાના સશસ્ત્ર દળોમાં હવે દેશમાં રહેતા કાયમી નિવાસીઓને પણ હવે સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની સેનામાં જવાનોની મોટા પ્રમાણમાં ઘટ સર્જાઈ છે.  


ભારતીયોને સેનામાં નોકરીની તક


મિડિયા રિપોર્ટ પ્રમાણે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની જુની ભરતી પ્રક્રિયામાં બદલાવ લાવવાની ઘોષણા કરવાના પાંચ વર્ષ બાદ હવે આ ઘોષણા કરવામાં આવી છે. કેનેડાની સરકારના આ પગલાથી કેનેડામાં છેલ્લા 10 વર્ષથી નિવાસ કરતા ભારતીયો પણ નોકરી માટે અરજીઓ કરી શકશે.


કેનેડાની સેનામાં જવાનોની ભારે ઘટ


કેનેડાની સેનામાં ભરતીના ઈચ્છુક કે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તે ગ્રેડ 10 કે ગ્રેડ 12ની ડિગ્રી મેળવી તે અરજી કરી શકશે. CAFએ સપ્ટેમ્બરમાં હજારો ખાલી જગ્યાઓ ભરવાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમાંથી અડધા હોદ્દાઓ પર ભરતી કરવા માટે તેમણે આ વર્ષે દર મહિને  5,900 જવાનોની ભરતી કરવી પડશે.



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .