કેનેડા અને ચીન વચ્ચે સંબંધો વણસ્યા, બંને દેશોએ એકબીજાના રાજદુતોને કર્યા દેશ નિકાલ


  • Published By :
  • Published Date : 2023-05-09 14:22:37

કેનેડા અને ચીન વચ્ચે તંગદીલી વધી રહી છે, કેનેડાએ ચીનના રાજદુતની હકાલપટ્ટી કરી છે. આ જ મામલે ચીને પણ કેનેડાના કોન્સ્યુલેટ જનરલને 13 મે સુધી દેશ છોડી દેવાની સુચના આપી છે. ચીનના શાંઘાઈ સ્થિત વાણિજ્ય દુતાવાસને 13 મે પહેલા બંધ કરી દેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.


તંગદીલી શા માટે વધી?


કેનેડાની સિક્રટે એજન્સીએ સરકારને એક ગુપ્ત રિપોર્ટ સોંપી છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાજદુત દેશની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યા છે. તેઓ રાજકીય હસ્તક્ષેપ કરીને દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રિપોર્ટ બાદ ચીનના કેનેડા સ્થિત રાજદુત ઝાઓ વેઈને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તો સામે  ચીને પણ શાંઘાઈ વાણિજ્ય દુતાવાસને 13 મે સુધી બંધ કરી દેવાની  સુચના આપવામાં આવી છે.


તે ઉપરાંત ચીને વર્ષ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીઓના પરિણામોને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ  કર્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ કેનેડાની સંસદમાં વારંવાર ચીનના રાજદુતને દેશનિકાલ કરવાની માગ કરી રહ્યા હતા. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .