કેનેડાએ PR કાર્યક્રમમાં કર્યા નવા સુધારા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-20 19:18:20

કેનેડાએ થોડાક સમય પેહલા પરમેનન્ટ રેસિડન્સી એટલેકે પીઆર માટેના નિયમો કડક કર્યા હતા . જેનાથી ઇન્ડિયન ઇમિગ્રેન્ટ્સને ત્યાં રોકાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે . જોકે હવે કેનેડાથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , કન્સ્ટ્રક્શન વર્કર માટેના પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે . તેનાથી કેનેડામાં ખુબ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ શકે છે . કેનેડામાં હાલમાં થોડા સમય પેહલા નવા વડાપ્રધાન માર્ક કાર્ને બન્યા છે . તેમના આગમન સાથે જ તેમણે પરમેનન્ટ રેસિડન્સી મેળવવાના કેટલાક નિયમો હળવા કર્યા છે . તેનાથી હાલમાં જે ઇન્ડિયન ઈમિગ્રેન્ટ્સ કેનેડામાં કન્સ્ટ્રક્શન વર્કમાં રોકાયેલા છે અને જે લોકો આ કન્સ્ટ્રક્ટર સેક્ટરમાં કામ કરવા કેનેડામાં પ્રવેશવા માંગે છે તેમને ખુબ મોટો ફાયદો થશે . 

Mark Carney - Wikipedia

આ માટે કેનેડા સરકારે એક નવો કાર્યક્રમ જાહેર કર્યો છે .જે અંતર્ગત કેનેડામાં જ રહેલા ૬,૦૦૦ કન્સ્ટ્રક્શન વર્કરસ માટે  જગ્યા રિઝર્વ રાખી છે . બાકીના ફોરેન સ્થિત કન્સ્ટ્રક્શન વર્કર્સને સહીત કુલ ૧૪,૦૦૦ કામદારોને તક આપવામાં આવશે . આ નવા એપ્રેન્ટિસ પ્રોગ્રામ અંતર્ગત તમારે સ્ટડી પરમીટ લેવાની પણ જરૂર નઈ હોય . સરળ ભાષામાં કહીએ તો , કંસ્ટ્રકશન વર્કર માટે ડાઇરેક્ટ પીઆર ઉપલબ્ધ બનશે . આ વર્કર્સ કેનેડામાં સ્થિત હશે કે પછી તેઓ ત્યાં પ્રવેશ લેવા માંગે છે તે તમામનો આ નવા કાર્યક્રમમાં સમાવેશ થઇ જશે .  

Canada's National Housing Strategy – The Strong, the Soft, and the Splashy  | Wellesley Institute
હવે જાણીએ કે કેનેડા સરકાર કેમ આ પીઆર કાર્યક્રમમાં સુધારા લઇને આવી. વિશ્વનો ભૂગોળની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો દેશ કેનેડા . ત્યાં જગ્યા ઘણી છે પણ ઘરોની ખુબ મોટા પાયે અછત છે .  કેનેડા ૨૦૩૦ સુધીમાં , ૧૦ લાખ ઘર બનાવવા માંગે છે . આટલુંજ નહિ , કેનેડામાં સ્કિલ્ડ લેબરની જબરદસ્ત અછત જોવા મળે છે . ખાસ કરીને કંસ્ટ્રક્શન સેક્ટરમાં તો સ્કિલ્ડ લેબરની ખુબ મોટી અછત છે. વર્તમાનમાં કેનેડામાં કંસ્ટ્રશન ઇન્ડસ્ટ્રીમાં ૨૩ ટકા કર્મચારીઓ ફોરેનના છે . આ કર્મચારીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને આ બધા જ પાસે કોઈ જ પ્રકારનું નાગરિકત્વ નથી . કેનેડા સરકાર  બહારથી આવતા કંસ્ટ્રકશન વર્કર્સ માટે ટ્રેઇનિંગ ખુબ સરળ બનાવશે . રોજગારી સાથે તેમને પરમેનન્ટ રેસિડન્સી મળશે . ભારતના જેટલા પણ વિદ્યાર્થીઓ આ કંસ્ટ્રક્ટર સેક્ટરમાં હશે તેમણે કેટલાક માપદંડ એટલેકે , ક્રાઈટેરિયામાં સર  કરેલા  હોવા જોઈએ.  કંસ્ટ્રક્ટર સેક્ટરમાં સિવિલ એન્જીનીયરીંગ ટેક્નોલોજી ,  કન્સ્ટ્રક્શન એસ્ટિમેશન , કાર્પેન્ટરી, પ્લમ્બિંગ , રુફિંગ , શીટ મેટલ વર્કનો સમાવેશ થાય છે. 

Flag of Canada - Wikipedia

આ પીઆર કોઈ પણ ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે એટલે ઉપયોગી બનશે કેમ કે , તેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બને છે . હાલમાં કેનેડા ખુબ જ વિવાદોમાં છે . કેમ કે , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અમેરિકાનું ૫૧મુ રાજ્ય બનાવવા માંગે છે . તો હવે આવી જ આંતરરાષ્ટ્રીય ખબરો માટે જોતા રહો જમાવટ .



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.