કેનેડાએ PR કાર્યક્રમમાં કર્યા નવા સુધારા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-20 19:18:20

કેનેડાએ થોડાક સમય પેહલા પરમેનન્ટ રેસિડન્સી એટલેકે પીઆર માટેના નિયમો કડક કર્યા હતા . જેનાથી ઇન્ડિયન ઇમિગ્રેન્ટ્સને ત્યાં રોકાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે . જોકે હવે કેનેડાથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , કન્સ્ટ્રક્શન વર્કર માટેના પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે . તેનાથી કેનેડામાં ખુબ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ શકે છે . કેનેડામાં હાલમાં થોડા સમય પેહલા નવા વડાપ્રધાન માર્ક કાર્ને બન્યા છે . તેમના આગમન સાથે જ તેમણે પરમેનન્ટ રેસિડન્સી મેળવવાના કેટલાક નિયમો હળવા કર્યા છે . તેનાથી હાલમાં જે ઇન્ડિયન ઈમિગ્રેન્ટ્સ કેનેડામાં કન્સ્ટ્રક્શન વર્કમાં રોકાયેલા છે અને જે લોકો આ કન્સ્ટ્રક્ટર સેક્ટરમાં કામ કરવા કેનેડામાં પ્રવેશવા માંગે છે તેમને ખુબ મોટો ફાયદો થશે . 

Mark Carney - Wikipedia

આ માટે કેનેડા સરકારે એક નવો કાર્યક્રમ જાહેર કર્યો છે .જે અંતર્ગત કેનેડામાં જ રહેલા ૬,૦૦૦ કન્સ્ટ્રક્શન વર્કરસ માટે  જગ્યા રિઝર્વ રાખી છે . બાકીના ફોરેન સ્થિત કન્સ્ટ્રક્શન વર્કર્સને સહીત કુલ ૧૪,૦૦૦ કામદારોને તક આપવામાં આવશે . આ નવા એપ્રેન્ટિસ પ્રોગ્રામ અંતર્ગત તમારે સ્ટડી પરમીટ લેવાની પણ જરૂર નઈ હોય . સરળ ભાષામાં કહીએ તો , કંસ્ટ્રકશન વર્કર માટે ડાઇરેક્ટ પીઆર ઉપલબ્ધ બનશે . આ વર્કર્સ કેનેડામાં સ્થિત હશે કે પછી તેઓ ત્યાં પ્રવેશ લેવા માંગે છે તે તમામનો આ નવા કાર્યક્રમમાં સમાવેશ થઇ જશે .  

Canada's National Housing Strategy – The Strong, the Soft, and the Splashy  | Wellesley Institute
હવે જાણીએ કે કેનેડા સરકાર કેમ આ પીઆર કાર્યક્રમમાં સુધારા લઇને આવી. વિશ્વનો ભૂગોળની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો દેશ કેનેડા . ત્યાં જગ્યા ઘણી છે પણ ઘરોની ખુબ મોટા પાયે અછત છે .  કેનેડા ૨૦૩૦ સુધીમાં , ૧૦ લાખ ઘર બનાવવા માંગે છે . આટલુંજ નહિ , કેનેડામાં સ્કિલ્ડ લેબરની જબરદસ્ત અછત જોવા મળે છે . ખાસ કરીને કંસ્ટ્રક્શન સેક્ટરમાં તો સ્કિલ્ડ લેબરની ખુબ મોટી અછત છે. વર્તમાનમાં કેનેડામાં કંસ્ટ્રશન ઇન્ડસ્ટ્રીમાં ૨૩ ટકા કર્મચારીઓ ફોરેનના છે . આ કર્મચારીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને આ બધા જ પાસે કોઈ જ પ્રકારનું નાગરિકત્વ નથી . કેનેડા સરકાર  બહારથી આવતા કંસ્ટ્રકશન વર્કર્સ માટે ટ્રેઇનિંગ ખુબ સરળ બનાવશે . રોજગારી સાથે તેમને પરમેનન્ટ રેસિડન્સી મળશે . ભારતના જેટલા પણ વિદ્યાર્થીઓ આ કંસ્ટ્રક્ટર સેક્ટરમાં હશે તેમણે કેટલાક માપદંડ એટલેકે , ક્રાઈટેરિયામાં સર  કરેલા  હોવા જોઈએ.  કંસ્ટ્રક્ટર સેક્ટરમાં સિવિલ એન્જીનીયરીંગ ટેક્નોલોજી ,  કન્સ્ટ્રક્શન એસ્ટિમેશન , કાર્પેન્ટરી, પ્લમ્બિંગ , રુફિંગ , શીટ મેટલ વર્કનો સમાવેશ થાય છે. 

Flag of Canada - Wikipedia

આ પીઆર કોઈ પણ ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે એટલે ઉપયોગી બનશે કેમ કે , તેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બને છે . હાલમાં કેનેડા ખુબ જ વિવાદોમાં છે . કેમ કે , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અમેરિકાનું ૫૧મુ રાજ્ય બનાવવા માંગે છે . તો હવે આવી જ આંતરરાષ્ટ્રીય ખબરો માટે જોતા રહો જમાવટ .



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.