કેનેડાએ PR કાર્યક્રમમાં કર્યા નવા સુધારા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-20 19:18:20

કેનેડાએ થોડાક સમય પેહલા પરમેનન્ટ રેસિડન્સી એટલેકે પીઆર માટેના નિયમો કડક કર્યા હતા . જેનાથી ઇન્ડિયન ઇમિગ્રેન્ટ્સને ત્યાં રોકાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે . જોકે હવે કેનેડાથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , કન્સ્ટ્રક્શન વર્કર માટેના પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે . તેનાથી કેનેડામાં ખુબ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ શકે છે . કેનેડામાં હાલમાં થોડા સમય પેહલા નવા વડાપ્રધાન માર્ક કાર્ને બન્યા છે . તેમના આગમન સાથે જ તેમણે પરમેનન્ટ રેસિડન્સી મેળવવાના કેટલાક નિયમો હળવા કર્યા છે . તેનાથી હાલમાં જે ઇન્ડિયન ઈમિગ્રેન્ટ્સ કેનેડામાં કન્સ્ટ્રક્શન વર્કમાં રોકાયેલા છે અને જે લોકો આ કન્સ્ટ્રક્ટર સેક્ટરમાં કામ કરવા કેનેડામાં પ્રવેશવા માંગે છે તેમને ખુબ મોટો ફાયદો થશે . 

Mark Carney - Wikipedia

આ માટે કેનેડા સરકારે એક નવો કાર્યક્રમ જાહેર કર્યો છે .જે અંતર્ગત કેનેડામાં જ રહેલા ૬,૦૦૦ કન્સ્ટ્રક્શન વર્કરસ માટે  જગ્યા રિઝર્વ રાખી છે . બાકીના ફોરેન સ્થિત કન્સ્ટ્રક્શન વર્કર્સને સહીત કુલ ૧૪,૦૦૦ કામદારોને તક આપવામાં આવશે . આ નવા એપ્રેન્ટિસ પ્રોગ્રામ અંતર્ગત તમારે સ્ટડી પરમીટ લેવાની પણ જરૂર નઈ હોય . સરળ ભાષામાં કહીએ તો , કંસ્ટ્રકશન વર્કર માટે ડાઇરેક્ટ પીઆર ઉપલબ્ધ બનશે . આ વર્કર્સ કેનેડામાં સ્થિત હશે કે પછી તેઓ ત્યાં પ્રવેશ લેવા માંગે છે તે તમામનો આ નવા કાર્યક્રમમાં સમાવેશ થઇ જશે .  

Canada's National Housing Strategy – The Strong, the Soft, and the Splashy  | Wellesley Institute
હવે જાણીએ કે કેનેડા સરકાર કેમ આ પીઆર કાર્યક્રમમાં સુધારા લઇને આવી. વિશ્વનો ભૂગોળની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો દેશ કેનેડા . ત્યાં જગ્યા ઘણી છે પણ ઘરોની ખુબ મોટા પાયે અછત છે .  કેનેડા ૨૦૩૦ સુધીમાં , ૧૦ લાખ ઘર બનાવવા માંગે છે . આટલુંજ નહિ , કેનેડામાં સ્કિલ્ડ લેબરની જબરદસ્ત અછત જોવા મળે છે . ખાસ કરીને કંસ્ટ્રક્શન સેક્ટરમાં તો સ્કિલ્ડ લેબરની ખુબ મોટી અછત છે. વર્તમાનમાં કેનેડામાં કંસ્ટ્રશન ઇન્ડસ્ટ્રીમાં ૨૩ ટકા કર્મચારીઓ ફોરેનના છે . આ કર્મચારીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને આ બધા જ પાસે કોઈ જ પ્રકારનું નાગરિકત્વ નથી . કેનેડા સરકાર  બહારથી આવતા કંસ્ટ્રકશન વર્કર્સ માટે ટ્રેઇનિંગ ખુબ સરળ બનાવશે . રોજગારી સાથે તેમને પરમેનન્ટ રેસિડન્સી મળશે . ભારતના જેટલા પણ વિદ્યાર્થીઓ આ કંસ્ટ્રક્ટર સેક્ટરમાં હશે તેમણે કેટલાક માપદંડ એટલેકે , ક્રાઈટેરિયામાં સર  કરેલા  હોવા જોઈએ.  કંસ્ટ્રક્ટર સેક્ટરમાં સિવિલ એન્જીનીયરીંગ ટેક્નોલોજી ,  કન્સ્ટ્રક્શન એસ્ટિમેશન , કાર્પેન્ટરી, પ્લમ્બિંગ , રુફિંગ , શીટ મેટલ વર્કનો સમાવેશ થાય છે. 

Flag of Canada - Wikipedia

આ પીઆર કોઈ પણ ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે એટલે ઉપયોગી બનશે કેમ કે , તેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બને છે . હાલમાં કેનેડા ખુબ જ વિવાદોમાં છે . કેમ કે , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અમેરિકાનું ૫૧મુ રાજ્ય બનાવવા માંગે છે . તો હવે આવી જ આંતરરાષ્ટ્રીય ખબરો માટે જોતા રહો જમાવટ .



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.