Canada : લક્ષ્મી નારાયણ મંદિર પ્રમુખના પુત્રના ઘરે ભારે ફાયરિંગ, ખાલિસ્તાન વિશે શું કહ્યું? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 10:54:10

કેનેડાથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી, દિવાલોની બહાર સૂત્રો લખવામાં આવે છે વગેરે વગેરે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે કેનેડાના સરેમાં એક અગ્રણી હિંદુ મંદિરના વડાના પુત્રના ઘર પર અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી છે ઉપરાંત ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તે અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે.

ગોળીબારીમાં નથી થઈ કોઈને ઈજા! 

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 27 ડિસેમ્બરે સવારે બની હતી. સવારે 8.03 વાગ્યે આ ઘટના બની છે. આ મળતી માહિતી અનુસાર આ ઘટના 80 એવન્યુના 14900 બ્લોકમાં બની છે. સરે રોયલ માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર જે જગ્યા પર, જે ઘર પર ગોળી ચલાવવામાં આવી છે તે સરેના નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું ઘર છે. આ ગોળીબારીમાં કોઈને ઈજા પહોંચી હોય કોઈ ઘાયલ થયું હોય તેવી માહિતી સામે આવી નથી. પરંતુ હા ગોળીબારી થવાને કારણે ઘરને નુકાસાન થયું છે. દિવાલો પર ગોળીના નિશાન જોવા મળ્યા છે. 


અનેક વખત હિંદુ મંદિરોને બનાવવામાં આવે છે નિશાન! 

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.આ અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે. એક મીડિયા સાથેની વાતચીતમાં લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષએ જણાવ્યું કે હું એ ન જણાવી શકું કે આ હુમલો ખાલિસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે કે પછી વસૂલીવાળા દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે કેનેડામાં રહેતા હિંદુ સમાજના લોકોની ચિંતા વધી છે. 




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?