Canada : લક્ષ્મી નારાયણ મંદિર પ્રમુખના પુત્રના ઘરે ભારે ફાયરિંગ, ખાલિસ્તાન વિશે શું કહ્યું? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 10:54:10

કેનેડાથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી, દિવાલોની બહાર સૂત્રો લખવામાં આવે છે વગેરે વગેરે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે કેનેડાના સરેમાં એક અગ્રણી હિંદુ મંદિરના વડાના પુત્રના ઘર પર અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી છે ઉપરાંત ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તે અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે.

ગોળીબારીમાં નથી થઈ કોઈને ઈજા! 

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 27 ડિસેમ્બરે સવારે બની હતી. સવારે 8.03 વાગ્યે આ ઘટના બની છે. આ મળતી માહિતી અનુસાર આ ઘટના 80 એવન્યુના 14900 બ્લોકમાં બની છે. સરે રોયલ માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર જે જગ્યા પર, જે ઘર પર ગોળી ચલાવવામાં આવી છે તે સરેના નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું ઘર છે. આ ગોળીબારીમાં કોઈને ઈજા પહોંચી હોય કોઈ ઘાયલ થયું હોય તેવી માહિતી સામે આવી નથી. પરંતુ હા ગોળીબારી થવાને કારણે ઘરને નુકાસાન થયું છે. દિવાલો પર ગોળીના નિશાન જોવા મળ્યા છે. 


અનેક વખત હિંદુ મંદિરોને બનાવવામાં આવે છે નિશાન! 

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.આ અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે. એક મીડિયા સાથેની વાતચીતમાં લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષએ જણાવ્યું કે હું એ ન જણાવી શકું કે આ હુમલો ખાલિસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે કે પછી વસૂલીવાળા દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે કેનેડામાં રહેતા હિંદુ સમાજના લોકોની ચિંતા વધી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.