કેનેડા અભ્યાસ માટે ગયેલા 700 વિદ્યાર્થીઓને શા માટે સ્વદેશ પરત ફરવું પડશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-08 19:50:45


ભારતમાંથી કેનેડા ભણવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલનો ખતરો તોળાઈ રહ્યો છે. તેનું કારણ તેમના ફેક એડમિશન લેટર હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓને તાજેતરમાં કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલ પત્રો મળ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ ખૂબ નારાજ છે અને સરકાર પાસે સમસ્યાનો નિવેડો લાવવની માંગ કરી રહ્યા છે.


કૌભાંડનો માસ્ટર માઈન્ડ બ્રિજેશ મિશ્રા ફરાર 


આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા પાછળ બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિનો હાથ છે. તે જાલંધર સ્થિત એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસનો વડો છે. વિદ્યાર્થીઓએ અહીંથી સ્ટડી વિઝા મેળવ્યા હતા. આ વિઝા નકલી હોવાનું જાણવા મળ્યું હતું અને હવે આ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવાની ફરજ પડી રહી છે. બ્રિજેશ મિશ્રા ઘણા મહિનાઓથી તેમની ઓફિસમાં દેખાયો નથી. તેને લગતી તમામ વેબસાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી કરતા હતા. આ પહેલીવાર નથી જ્યારે મિશ્રા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હોય. અગાઉ પણ 2013માં વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે નકલી દસ્તાવેજો બનાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે અન્ય ડિરેક્ટરો સાથે 'ઈઝી વે ઈમિગ્રેશન કન્સલ્ટન્સી' નામની કંપની ચલાવતો હતો. પોલીસે તેની ઓફિસ પર દરોડા પાડીને રોકડ, પાસપોર્ટ અને વિદ્યાર્થીઓની નકલી ફાઈલો જપ્ત કરી હતી.


વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા 


જે વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલનો પત્ર મળ્યો છે. તે બ્રિજેશ મિશ્રા મારફતે જ કેનેડા ગયા હતા. આ માટે બ્રિજેશ મિશ્રાએ ઓન્ટારિયોની હમ્બર કોલેજમાં એડમિશન ફી સહિત વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા હતા. જો કે, કેનેડા પહોંચ્યા પછી, આ વિદ્યાર્થીઓને જે કોલેજ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા તેમાં પ્રવેશ મળ્યો ન હતો. હવે આ 700 ભારતીય વિદ્યાર્થીઓ મિસીસોગા, ઓન્ટારિયોમાં કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) ઓફિસની બહાર દેશનિકાલના આદેશ સામે વિરોધ પ્રદર્ષન કરી રહ્યા છે.


વિદેશમંત્રી એસ. જયશંકરે શું કહ્યું?


આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- વિદ્યાર્થીઓનો આ મામલો થોડા સમયથી આવી રહ્યો છે. કેનેડિયનો કહે છે કે તેઓ જે કોલેજમાં હાજરી આપવી જોઈએ ત્યાં ભણ્યા નહોતા અને જ્યારે તેમણે વર્ક પરમિટ માટે અરજી કરી ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શરૂઆતથી જ અમે આ બાબતને ઉઠાવી છે અને અમે કહીએ છીએ કે વિદ્યાર્થીઓએ સારા ઈરાદાથી અભ્યાસ કર્યો છે. જયશંકરે વધુમાં કહ્યું- જો તેમને ગેરમાર્ગે દોરનારા લોકો છે તો દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ. સારા ઈરાદા સાથે ભણતા વિદ્યાર્થીને સજા કરવી ખોટું છે. મને લાગે છે કે કેનેડા પણ માને છે કે જો વિદ્યાર્થીએ કંઈ ખોટું ન કર્યું હોય તો તેમને સજા કરવી ખોટું હશે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.