કેનેડા અભ્યાસ માટે ગયેલા 700 વિદ્યાર્થીઓને શા માટે સ્વદેશ પરત ફરવું પડશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-08 19:50:45


ભારતમાંથી કેનેડા ભણવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલનો ખતરો તોળાઈ રહ્યો છે. તેનું કારણ તેમના ફેક એડમિશન લેટર હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓને તાજેતરમાં કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલ પત્રો મળ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ ખૂબ નારાજ છે અને સરકાર પાસે સમસ્યાનો નિવેડો લાવવની માંગ કરી રહ્યા છે.


કૌભાંડનો માસ્ટર માઈન્ડ બ્રિજેશ મિશ્રા ફરાર 


આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા પાછળ બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિનો હાથ છે. તે જાલંધર સ્થિત એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસનો વડો છે. વિદ્યાર્થીઓએ અહીંથી સ્ટડી વિઝા મેળવ્યા હતા. આ વિઝા નકલી હોવાનું જાણવા મળ્યું હતું અને હવે આ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવાની ફરજ પડી રહી છે. બ્રિજેશ મિશ્રા ઘણા મહિનાઓથી તેમની ઓફિસમાં દેખાયો નથી. તેને લગતી તમામ વેબસાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી કરતા હતા. આ પહેલીવાર નથી જ્યારે મિશ્રા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હોય. અગાઉ પણ 2013માં વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે નકલી દસ્તાવેજો બનાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે અન્ય ડિરેક્ટરો સાથે 'ઈઝી વે ઈમિગ્રેશન કન્સલ્ટન્સી' નામની કંપની ચલાવતો હતો. પોલીસે તેની ઓફિસ પર દરોડા પાડીને રોકડ, પાસપોર્ટ અને વિદ્યાર્થીઓની નકલી ફાઈલો જપ્ત કરી હતી.


વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા 


જે વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલનો પત્ર મળ્યો છે. તે બ્રિજેશ મિશ્રા મારફતે જ કેનેડા ગયા હતા. આ માટે બ્રિજેશ મિશ્રાએ ઓન્ટારિયોની હમ્બર કોલેજમાં એડમિશન ફી સહિત વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા હતા. જો કે, કેનેડા પહોંચ્યા પછી, આ વિદ્યાર્થીઓને જે કોલેજ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા તેમાં પ્રવેશ મળ્યો ન હતો. હવે આ 700 ભારતીય વિદ્યાર્થીઓ મિસીસોગા, ઓન્ટારિયોમાં કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) ઓફિસની બહાર દેશનિકાલના આદેશ સામે વિરોધ પ્રદર્ષન કરી રહ્યા છે.


વિદેશમંત્રી એસ. જયશંકરે શું કહ્યું?


આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- વિદ્યાર્થીઓનો આ મામલો થોડા સમયથી આવી રહ્યો છે. કેનેડિયનો કહે છે કે તેઓ જે કોલેજમાં હાજરી આપવી જોઈએ ત્યાં ભણ્યા નહોતા અને જ્યારે તેમણે વર્ક પરમિટ માટે અરજી કરી ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શરૂઆતથી જ અમે આ બાબતને ઉઠાવી છે અને અમે કહીએ છીએ કે વિદ્યાર્થીઓએ સારા ઈરાદાથી અભ્યાસ કર્યો છે. જયશંકરે વધુમાં કહ્યું- જો તેમને ગેરમાર્ગે દોરનારા લોકો છે તો દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ. સારા ઈરાદા સાથે ભણતા વિદ્યાર્થીને સજા કરવી ખોટું છે. મને લાગે છે કે કેનેડા પણ માને છે કે જો વિદ્યાર્થીએ કંઈ ખોટું ન કર્યું હોય તો તેમને સજા કરવી ખોટું હશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.