કેપ્ટન અમરિન્દર ભાજપ માં જોડાશે ....કોંગ્રેસને લાગશે ઝટકો , આપની ચિંતા વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:20:22

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશે .....

કોંગ્રેસમાં થી નીકળી જનાર અને  પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે નક્કી કર્યું છે તે ભાજપમાં જોડાશે . તેઓએ જાહેર કર્યું છે કે તેઓ આવતા અઠવાડિયે ભાજપ માં જોડાશે. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દરને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યાં હતા પરંતુ ચન્નીમાં આગેવાનીમાં કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં ઘોર પરાજય થયો હતો અને આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. કોંગ્રેસમાંથી નીકળી ગયા બાદ અમરિન્દરે પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, પરંતુ હવે તેમણે આ પાર્ટીનો ભાજપમાં વિલય કરી નાખવાનું અને ભાજપમાં જોડાઈજવાનું નક્કી કર્યું છે


શાહને મળતા હતા અમરિન્દર

જ્યારે કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને pm દીને મળ્યા હતા ત્યારથીજ તેમણે ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુઆ બધી અટકળો પર તેમણે પૂર્ણવિરામ લગાવી દીધો છે . જો કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશેતો આપ ની ચિંતામાં વધારો થશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.