કેપ્ટન અમરિન્દર ભાજપ માં જોડાશે ....કોંગ્રેસને લાગશે ઝટકો , આપની ચિંતા વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:20:22

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશે .....

કોંગ્રેસમાં થી નીકળી જનાર અને  પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે નક્કી કર્યું છે તે ભાજપમાં જોડાશે . તેઓએ જાહેર કર્યું છે કે તેઓ આવતા અઠવાડિયે ભાજપ માં જોડાશે. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દરને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યાં હતા પરંતુ ચન્નીમાં આગેવાનીમાં કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં ઘોર પરાજય થયો હતો અને આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. કોંગ્રેસમાંથી નીકળી ગયા બાદ અમરિન્દરે પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, પરંતુ હવે તેમણે આ પાર્ટીનો ભાજપમાં વિલય કરી નાખવાનું અને ભાજપમાં જોડાઈજવાનું નક્કી કર્યું છે


શાહને મળતા હતા અમરિન્દર

જ્યારે કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને pm દીને મળ્યા હતા ત્યારથીજ તેમણે ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુઆ બધી અટકળો પર તેમણે પૂર્ણવિરામ લગાવી દીધો છે . જો કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશેતો આપ ની ચિંતામાં વધારો થશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.