જાતિ આધારીત વસ્તી ગણતરી મુદ્દે વિપક્ષોએ ભાજપને ઘેરી, આગામી ચૂંટણીઓમાં OBC કાર્ડ કેટલું સફળ રહેશે?


  • Published By :
  • Published Date : 2023-04-18 15:55:50

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. આ બાબતનો અણસાર આપણને રાજનેતાઓના નિવેદનો, ગઠબંધનો અને પોતાનો ગરાસ બચાવવાના પ્રયાસો પરથી જણાઈ આવે છે. કોંગ્રેસના નેતાઓ, ઉપરાંત નિતીશ કુમાર, લાલુ યાદવ, એમ કે સ્ટાલીન, હેમંત સોરેન સહિતના નેતાઓ હવે જાતિ આધારીત વસ્તી ગણતરીની માગ કરવા લાગ્યા છે. રાહુલ ગાંધીએ તો અનામતની મહત્તમ 50 ટકાની લિમિટ સમાપ્ત કરી દેવાની પણ માંગ કરી દીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો જાહેરાત પણ કરી દીધી કે 'જેટલી વસ્તી, તેટલો હક'. રાહુલ ગાંધીએ આ નારા દ્વારા ઓબીસી વોટ બેંકને સાધવાનો પ્રયાસ કર્યો છે. તે જ પ્રકારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને જયરામ રમેશે પણ પીએમ મોદીને પત્ર લખીને જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની વિનંતી કરી છે.


હિંદુત્વ/ OBC કાર્ડ


સતત ચૂંટણીઓ હારી રહેલી કોંગ્રેસ પાર્ટી તથા અન્ય સ્થાનિક પક્ષોને ભાજપની હિંદુત્વની લહેરનો મુકાબલો કરી શકે તેવી સ્ટ્રેટેજીની શોધ છે. આ તમામ પાર્ટીઓને OBC જાતિઓમાં આશાની કિરણ જોવા મળી રહી છે. ભાજપે દેશભરમાં અને તેમાં પણ ઉત્તર ભારતમાં જે પ્રકારે હિંદુ વોંટ બેંકનું ધ્રુવીકરણ કર્યું છે. તે ચોંકાવનારૂ છે, ભાજપે હિન્દી બેલ્ટમાં તેની હાજરી મજબુત બનાવી છે. તેમાં પણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભાજપની મજબુત પકડ છે. આ જ કારણે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ હવે OBC કાર્ડ ખેલ્યું છે.   


વિપક્ષોની એકતા


વિપક્ષો દ્વારા જાતિગત વસ્તી ગણતરીની માગનો એક હેતુ વિપક્ષોની એકતાને વધુ મજબુત બનાવવાનો છે. કોંગ્રેસ, જદયું, એનસીપી, ડીએમકે, સપા, બસપા, ટીએમસી, જેએમએમ અને ડાબેરી પક્ષોને એક કરવાનો હેતુ છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ વિરોધ પક્ષોને એક કરવા માટે પણ જાતિગત વસ્તી ગણતરી કરાવવી વિરોધ પક્ષોની મજબુરી છે.


જાતિગત વસ્તી ગણતરી કોંગ્રસની મજબુરી


જાતિગત વસ્તી ગણતરી ન કરાવવી તે ભાજપની રાજકીય મજબુરી બની છે. કારણ કે પછાત મનાતી જાતિઓ વિપક્ષોની પરંપરાગત વોંટ બેંક છે. ભાજપ પર પણ ઉચ્ચ જાતિઓનું દબાણ છે, જે ભાજપની વફાદાર મત બેંક છે. ભાજપ પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને તેને નારાજ કરવા માંગતી નથી. ભાજપ ટેકનિકલ કારણોનો હવાલો આપીને ભલે જાતિ આધારીત વસ્તી ગણતરીની મવાઈ કરી રહી હોય પરંતું હવે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો તેની રાજનૈતિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જાતિ આધારીત વસ્તી ગણતરીનો આખો ખેલ રાજકારણ સાથે જોડાયેલો છે. કોંગ્રેસ જાતિ આધારીત વસ્તી ગણતરીનો મુદ્દો ભાજપને ઘેરવા માટે કરી રહી છે.


જાતિગત વસ્તી ગણતરી લિટમસ ટેસ્ટ


લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને જેડીએસ સહિતના વિરોધ પક્ષો રાજ્યમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને આધાર બનાવી ઓબીસી અને દલિત મતદારોને આકર્ષવા માગે છે. જો કોંગ્રેસનો આ દાવ સફળ રહેશે તો અન્ય રાજ્યો જેવા કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ આ સ્ટ્રેટેજીનો અમલ કરવામાં આવશે. આ જ પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ મુદ્દે રાજકીય તાકાતને અજમાવાનીની કોંગ્રેસની રણનીતી છે


લોકસભાની 120 સીટો પર નજર


લોકસભા ચૂંટણી 2023ને લઈ તમામ વિરોધ પક્ષોની નજર ઓબીસી પ્રભુત્વ ધરાવતી યુપી અને બિહારની 120 સીટો પર છે. વસ્તી ગણતરીના મુદ્દે કોંગ્રેસ, સપા, જદયું અને આરજેડી સહિતના પક્ષો ભાજપને હંફાવવા માગે છે. વર્ષ 2019ની ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે એનડીએ એ આ 120 સીટોમાં જબરદસ્ત બાકોરૂ પાડ્યં છે. આ 120માંથી એનડીએ એ 103 સીટો જીતી છે, અને એકલા ભાજપે જ 84 સીટો જીતી છે. યુપી અને બિહારમાં ભાજપ જો આ 120 સીટો ગુમાવી દે છે તો ભાજપ માટે કેન્દ્રમાં સત્તામાં વાપસી કરવી મુશ્કેલ પડી શકે છે.



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.