જાતિ આધારીત વસ્તી ગણતરી મુદ્દે વિપક્ષોએ ભાજપને ઘેરી, આગામી ચૂંટણીઓમાં OBC કાર્ડ કેટલું સફળ રહેશે?


  • Published By :
  • Published Date : 2023-04-18 15:55:50

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. આ બાબતનો અણસાર આપણને રાજનેતાઓના નિવેદનો, ગઠબંધનો અને પોતાનો ગરાસ બચાવવાના પ્રયાસો પરથી જણાઈ આવે છે. કોંગ્રેસના નેતાઓ, ઉપરાંત નિતીશ કુમાર, લાલુ યાદવ, એમ કે સ્ટાલીન, હેમંત સોરેન સહિતના નેતાઓ હવે જાતિ આધારીત વસ્તી ગણતરીની માગ કરવા લાગ્યા છે. રાહુલ ગાંધીએ તો અનામતની મહત્તમ 50 ટકાની લિમિટ સમાપ્ત કરી દેવાની પણ માંગ કરી દીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો જાહેરાત પણ કરી દીધી કે 'જેટલી વસ્તી, તેટલો હક'. રાહુલ ગાંધીએ આ નારા દ્વારા ઓબીસી વોટ બેંકને સાધવાનો પ્રયાસ કર્યો છે. તે જ પ્રકારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને જયરામ રમેશે પણ પીએમ મોદીને પત્ર લખીને જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની વિનંતી કરી છે.


હિંદુત્વ/ OBC કાર્ડ


સતત ચૂંટણીઓ હારી રહેલી કોંગ્રેસ પાર્ટી તથા અન્ય સ્થાનિક પક્ષોને ભાજપની હિંદુત્વની લહેરનો મુકાબલો કરી શકે તેવી સ્ટ્રેટેજીની શોધ છે. આ તમામ પાર્ટીઓને OBC જાતિઓમાં આશાની કિરણ જોવા મળી રહી છે. ભાજપે દેશભરમાં અને તેમાં પણ ઉત્તર ભારતમાં જે પ્રકારે હિંદુ વોંટ બેંકનું ધ્રુવીકરણ કર્યું છે. તે ચોંકાવનારૂ છે, ભાજપે હિન્દી બેલ્ટમાં તેની હાજરી મજબુત બનાવી છે. તેમાં પણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભાજપની મજબુત પકડ છે. આ જ કારણે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ હવે OBC કાર્ડ ખેલ્યું છે.   


વિપક્ષોની એકતા


વિપક્ષો દ્વારા જાતિગત વસ્તી ગણતરીની માગનો એક હેતુ વિપક્ષોની એકતાને વધુ મજબુત બનાવવાનો છે. કોંગ્રેસ, જદયું, એનસીપી, ડીએમકે, સપા, બસપા, ટીએમસી, જેએમએમ અને ડાબેરી પક્ષોને એક કરવાનો હેતુ છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ વિરોધ પક્ષોને એક કરવા માટે પણ જાતિગત વસ્તી ગણતરી કરાવવી વિરોધ પક્ષોની મજબુરી છે.


જાતિગત વસ્તી ગણતરી કોંગ્રસની મજબુરી


જાતિગત વસ્તી ગણતરી ન કરાવવી તે ભાજપની રાજકીય મજબુરી બની છે. કારણ કે પછાત મનાતી જાતિઓ વિપક્ષોની પરંપરાગત વોંટ બેંક છે. ભાજપ પર પણ ઉચ્ચ જાતિઓનું દબાણ છે, જે ભાજપની વફાદાર મત બેંક છે. ભાજપ પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને તેને નારાજ કરવા માંગતી નથી. ભાજપ ટેકનિકલ કારણોનો હવાલો આપીને ભલે જાતિ આધારીત વસ્તી ગણતરીની મવાઈ કરી રહી હોય પરંતું હવે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો તેની રાજનૈતિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જાતિ આધારીત વસ્તી ગણતરીનો આખો ખેલ રાજકારણ સાથે જોડાયેલો છે. કોંગ્રેસ જાતિ આધારીત વસ્તી ગણતરીનો મુદ્દો ભાજપને ઘેરવા માટે કરી રહી છે.


જાતિગત વસ્તી ગણતરી લિટમસ ટેસ્ટ


લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને જેડીએસ સહિતના વિરોધ પક્ષો રાજ્યમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને આધાર બનાવી ઓબીસી અને દલિત મતદારોને આકર્ષવા માગે છે. જો કોંગ્રેસનો આ દાવ સફળ રહેશે તો અન્ય રાજ્યો જેવા કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ આ સ્ટ્રેટેજીનો અમલ કરવામાં આવશે. આ જ પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ મુદ્દે રાજકીય તાકાતને અજમાવાનીની કોંગ્રેસની રણનીતી છે


લોકસભાની 120 સીટો પર નજર


લોકસભા ચૂંટણી 2023ને લઈ તમામ વિરોધ પક્ષોની નજર ઓબીસી પ્રભુત્વ ધરાવતી યુપી અને બિહારની 120 સીટો પર છે. વસ્તી ગણતરીના મુદ્દે કોંગ્રેસ, સપા, જદયું અને આરજેડી સહિતના પક્ષો ભાજપને હંફાવવા માગે છે. વર્ષ 2019ની ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે એનડીએ એ આ 120 સીટોમાં જબરદસ્ત બાકોરૂ પાડ્યં છે. આ 120માંથી એનડીએ એ 103 સીટો જીતી છે, અને એકલા ભાજપે જ 84 સીટો જીતી છે. યુપી અને બિહારમાં ભાજપ જો આ 120 સીટો ગુમાવી દે છે તો ભાજપ માટે કેન્દ્રમાં સત્તામાં વાપસી કરવી મુશ્કેલ પડી શકે છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.