જિયા ખાન આત્મહત્યા કેસમાં CBI સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો! કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા!


  • Published By :
  • Published Date : 2023-04-28 15:21:25

સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઈની વિશેષ અદાલતમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે જિયાની માતા પણ કોર્ટરૂમમાં હાજર હતા. અને જિયાની માતાએ આ કેસને હાઈકોર્ટમાં પડકારવાની વાત કરી છે.  

      

2013માં અભિનેત્રીએ કરી હતી આત્મહત્યા! 

10 વર્ષ પહેલા જિયા ખાને નાની ઉંમરે જ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જિયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જિયાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં સૂરજ પંચોલીની વાત કરવામાં આવી હતી. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે બાદ આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે. 


સૂરજ પંચોલીની થઈ હતી ધરપકડ! 

જિયાની માતાએ ફરિયાદ કરી હતી. 10 જૂન 2013ના રોજ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જુલાઈ 2013માં તેને જામીન મળી ગયા હતા. સીબીઆઈએ વર્ષ 2014માં આ મામલે તપાસ કરવાની શરૂ કરી હતી. તપાસ દરમિયાન જિયાની માતા રાહિયાએ સૂરજ પર સતત આરોપ લગાવ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે જિયા તેની આત્મહત્યાના થોડા મહિના પહેલાં જ ગર્ભવતી થઈ હતી. 


કોર્ટે આજે સંભળાવ્યો ચૂકાદો!

જે બાદ 2021માં સેશન્સ કોર્ટે કેસને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. જિયાની માતા રાબિયાએ આ કેસની નવેસરથી તપાસ થાય તે માટે 2022માં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. 20 એપ્રિલ 2023ના રોજ જસ્ટિસ એએસ સૈયદે સીબીઆઈની વિશેષ અદાતલમાં બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.