જિયા ખાન આત્મહત્યા કેસમાં CBI સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો! કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા!


  • Published By :
  • Published Date : 2023-04-28 15:21:25

સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઈની વિશેષ અદાલતમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે જિયાની માતા પણ કોર્ટરૂમમાં હાજર હતા. અને જિયાની માતાએ આ કેસને હાઈકોર્ટમાં પડકારવાની વાત કરી છે.  

      

2013માં અભિનેત્રીએ કરી હતી આત્મહત્યા! 

10 વર્ષ પહેલા જિયા ખાને નાની ઉંમરે જ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જિયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જિયાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં સૂરજ પંચોલીની વાત કરવામાં આવી હતી. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે બાદ આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે. 


સૂરજ પંચોલીની થઈ હતી ધરપકડ! 

જિયાની માતાએ ફરિયાદ કરી હતી. 10 જૂન 2013ના રોજ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જુલાઈ 2013માં તેને જામીન મળી ગયા હતા. સીબીઆઈએ વર્ષ 2014માં આ મામલે તપાસ કરવાની શરૂ કરી હતી. તપાસ દરમિયાન જિયાની માતા રાહિયાએ સૂરજ પર સતત આરોપ લગાવ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે જિયા તેની આત્મહત્યાના થોડા મહિના પહેલાં જ ગર્ભવતી થઈ હતી. 


કોર્ટે આજે સંભળાવ્યો ચૂકાદો!

જે બાદ 2021માં સેશન્સ કોર્ટે કેસને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. જિયાની માતા રાબિયાએ આ કેસની નવેસરથી તપાસ થાય તે માટે 2022માં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. 20 એપ્રિલ 2023ના રોજ જસ્ટિસ એએસ સૈયદે સીબીઆઈની વિશેષ અદાતલમાં બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.