જિયા ખાન આત્મહત્યા કેસમાં CBI સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો! કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા!


  • Published By :
  • Published Date : 2023-04-28 15:21:25

સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઈની વિશેષ અદાલતમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે જિયાની માતા પણ કોર્ટરૂમમાં હાજર હતા. અને જિયાની માતાએ આ કેસને હાઈકોર્ટમાં પડકારવાની વાત કરી છે.  

      

2013માં અભિનેત્રીએ કરી હતી આત્મહત્યા! 

10 વર્ષ પહેલા જિયા ખાને નાની ઉંમરે જ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જિયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જિયાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં સૂરજ પંચોલીની વાત કરવામાં આવી હતી. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે બાદ આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે. 


સૂરજ પંચોલીની થઈ હતી ધરપકડ! 

જિયાની માતાએ ફરિયાદ કરી હતી. 10 જૂન 2013ના રોજ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જુલાઈ 2013માં તેને જામીન મળી ગયા હતા. સીબીઆઈએ વર્ષ 2014માં આ મામલે તપાસ કરવાની શરૂ કરી હતી. તપાસ દરમિયાન જિયાની માતા રાહિયાએ સૂરજ પર સતત આરોપ લગાવ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે જિયા તેની આત્મહત્યાના થોડા મહિના પહેલાં જ ગર્ભવતી થઈ હતી. 


કોર્ટે આજે સંભળાવ્યો ચૂકાદો!

જે બાદ 2021માં સેશન્સ કોર્ટે કેસને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. જિયાની માતા રાબિયાએ આ કેસની નવેસરથી તપાસ થાય તે માટે 2022માં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. 20 એપ્રિલ 2023ના રોજ જસ્ટિસ એએસ સૈયદે સીબીઆઈની વિશેષ અદાતલમાં બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.