CBSE ધોરણ 12ના પરિણામમાં છોકરીઓ બાજી મારી ગઈ! 87.33 ટકા વિદ્યાર્થી પાસ, જાણો ક્યાં સુધી જોઈ શકાશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:58:05

થોડા સમય પહેલા ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું હતું. ત્યારે આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા પાસ કરનાર વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જ્યારે 84.67 ટકા છોકરાઓ છે. cbse.gov.in પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.


ધોરણ 12નું પરિણામ થયું જાહેર!

શુક્રવાર એટલે કે આજે સીબીએસસી બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે. કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા વિદ્યાર્થીની છે જ્યારે 84.67 ટકા વિદ્યાર્થીઓ છે. આ વર્ષે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ પર, ડિજીલોકર અને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે. 


મોબાઈલ પર પણ મેળવી શકાશે પરિણામ!

SMS દ્વારા વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ SMS દ્વારા CBSE બોર્ડના ધોરણ 10માનું પરિણામ પણ જોઈ શકશે. પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ ફોનમાંથી માત્ર એક જ એસએમએસ કરવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમના પરિણામો તપાસવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર 7738299899 પર CBSE10(space)Roll_Number લખીને SMS મોકલી શકે છે. આ મેસેજ મોકલતાની સાથે જ મોબાઈલમાં પરિણામ આવી જશે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.