CBSE ધોરણ 12ના પરિણામમાં છોકરીઓ બાજી મારી ગઈ! 87.33 ટકા વિદ્યાર્થી પાસ, જાણો ક્યાં સુધી જોઈ શકાશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:58:05

થોડા સમય પહેલા ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું હતું. ત્યારે આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા પાસ કરનાર વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જ્યારે 84.67 ટકા છોકરાઓ છે. cbse.gov.in પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.


ધોરણ 12નું પરિણામ થયું જાહેર!

શુક્રવાર એટલે કે આજે સીબીએસસી બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે. કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા વિદ્યાર્થીની છે જ્યારે 84.67 ટકા વિદ્યાર્થીઓ છે. આ વર્ષે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ પર, ડિજીલોકર અને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે. 


મોબાઈલ પર પણ મેળવી શકાશે પરિણામ!

SMS દ્વારા વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ SMS દ્વારા CBSE બોર્ડના ધોરણ 10માનું પરિણામ પણ જોઈ શકશે. પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ ફોનમાંથી માત્ર એક જ એસએમએસ કરવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમના પરિણામો તપાસવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર 7738299899 પર CBSE10(space)Roll_Number લખીને SMS મોકલી શકે છે. આ મેસેજ મોકલતાની સાથે જ મોબાઈલમાં પરિણામ આવી જશે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.