CBSE ધોરણ 12ના પરિણામમાં છોકરીઓ બાજી મારી ગઈ! 87.33 ટકા વિદ્યાર્થી પાસ, જાણો ક્યાં સુધી જોઈ શકાશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:58:05

થોડા સમય પહેલા ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું હતું. ત્યારે આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા પાસ કરનાર વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જ્યારે 84.67 ટકા છોકરાઓ છે. cbse.gov.in પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.


ધોરણ 12નું પરિણામ થયું જાહેર!

શુક્રવાર એટલે કે આજે સીબીએસસી બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે. કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા વિદ્યાર્થીની છે જ્યારે 84.67 ટકા વિદ્યાર્થીઓ છે. આ વર્ષે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ પર, ડિજીલોકર અને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે. 


મોબાઈલ પર પણ મેળવી શકાશે પરિણામ!

SMS દ્વારા વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ SMS દ્વારા CBSE બોર્ડના ધોરણ 10માનું પરિણામ પણ જોઈ શકશે. પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ ફોનમાંથી માત્ર એક જ એસએમએસ કરવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમના પરિણામો તપાસવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર 7738299899 પર CBSE10(space)Roll_Number લખીને SMS મોકલી શકે છે. આ મેસેજ મોકલતાની સાથે જ મોબાઈલમાં પરિણામ આવી જશે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.