CBSE ધોરણ 12ના પરિણામમાં છોકરીઓ બાજી મારી ગઈ! 87.33 ટકા વિદ્યાર્થી પાસ, જાણો ક્યાં સુધી જોઈ શકાશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:58:05

થોડા સમય પહેલા ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું હતું. ત્યારે આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા પાસ કરનાર વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જ્યારે 84.67 ટકા છોકરાઓ છે. cbse.gov.in પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.


ધોરણ 12નું પરિણામ થયું જાહેર!

શુક્રવાર એટલે કે આજે સીબીએસસી બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે. કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા વિદ્યાર્થીની છે જ્યારે 84.67 ટકા વિદ્યાર્થીઓ છે. આ વર્ષે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ પર, ડિજીલોકર અને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે. 


મોબાઈલ પર પણ મેળવી શકાશે પરિણામ!

SMS દ્વારા વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ SMS દ્વારા CBSE બોર્ડના ધોરણ 10માનું પરિણામ પણ જોઈ શકશે. પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ ફોનમાંથી માત્ર એક જ એસએમએસ કરવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમના પરિણામો તપાસવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર 7738299899 પર CBSE10(space)Roll_Number લખીને SMS મોકલી શકે છે. આ મેસેજ મોકલતાની સાથે જ મોબાઈલમાં પરિણામ આવી જશે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.